Wednesday, 27 April 2016

[amdavadis4ever] રૂઢિપ્રયોગ અને ચોવક એ કાવ્યના સહોદર છે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કારાણી સાહેબે 'કચ્છનું લોકસાહિત્ય'એ નામથી એક ગ્રંથ બહાર પાડ્યો છે, તેના પાના નંબર ૩૧ પર એક કચ્છી દુહો લખ્યો છે, જેના પરથી ફલિત થાય છે કે, પ્રત્યેક ચોવક કે રૂઢિપ્રયોગ કોઈ વિશિષ્ટ અનુભૂતિ કે વિચારનું સુંદર ચિત્રાંકન કરી શકે છે, અને તેના પ્રયોગથી ભાષામાં સજીવતા પ્રવેશે છે. લોકસાહિત્યના પ્રત્યેક કલાકારો એ દુહો લલકારતા જ હોય છે:

"અસીં ગિરિવર જા મોરલા, કંકણ ચુણ પેટ ભરોં,

રુત આવઈ ન બોલજેં, ત હૈયા ફાટ મરોં

અરે, અમે તો ગિરિવરના મોરલા છીએ, કાંકરા ચણીને પેટ ભરીએ છીએ, પણ ઋતુ આવે ને અમે ન ટહૂકીએ તો અમારું હૈયું ફાટી પડે! આ તેનો સીધો શબ્દાર્થ. ગૂઢાર્થમાં નથી જવું, પણ "હૈયાફાટ મરોંએ રૂઢિપ્રયોગ છે, જેનો ભાવાર્થ છે, અકાળે મરણ થવું કે અકળાઈને મરી જવું. વળી આ પ્રયોગ "ફાટીપોણું (મૃત્યુ પામવું) રૂઢિપ્રયોગ પર અવલંબિત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. દુહામાં થયેલું વિચારનું ચિત્રાંકન અદ્ભુત છે.

કચ્છના કુળદેવી, જગદંબા આશાપુરાની શક્તિવંદના કરવામાં વપરાયેલો રૂઢિપ્રયોગ માણીએ: 

"અસીં જાણો ન કીં, બુઝોં બુઝેતી તૂ બાઈ,

ઢચ્ચર મથા ઢારીએં, આશાપુરા તૂ આઈ,

અમે અબુધ છીએં, કંઈ પણ જાણતા નથી. માત્ર તું જ એક સર્વજ્ઞાતા છો. હે, મા! તું જ રણસંગ્રામમાં દુશ્મનોનાં ધડ-માથાં ઢાળીને મોતને ઘાટ ઉતારે છે! માતાજીની શક્તિનો મહિમા છે, આ કાવ્યપંક્તિમાં, પણ "મથા ઢારીએં "મથો ઢારણુંએ રૂઢિપ્રયોગનો સુપેરે ઉપયોગ થયો છે. વળી રણભૂમિનું ચિત્રાંકન તેના કારણે પેદા થયું છે.

આવા પ્રયોગો ભાષામાં પ્રાણ પૂરે છે. ભાષાને સુંદરતા બક્ષે છે, અતિઆકર્ષક બનાવે છે. બેશક, આપણે રૂઢિપ્રયોગોને કાવ્યના સહોદર કહી શકીએ. કાવ્યોની જેમ જ એ ભાવજગતને સપાટી પર લાવે છે! આવી કાવ્યાત્મકતા ચોવકમાં પણ ઘણી વાર જોવા મળે છે. ચાલો આ માણીએ:

"બાપા ચુંઢે બાવરીયા, ને મા ચુંઢે બેર,

તેંજો પુતર ઘો઼ડે ચ઼ડયો, ઈ ગાલ વેસે કેર?

ચોવકનો ગર્ભિત અર્થ એ જ છે કે, "પોતાની શક્તિ કરતાં મોટી વાત કરવી પણ કાવ્ય સ્વરૂપે વપરાયેલાં પ્રતીકો જુઓ: "મા 'બાપ' 'પુત્ર' 'ઘોડો' 'બાવળ' અને 'બોરડી'. કઈ રીતે કચ્છી ભાષાની તાકાત ઓછી આંકી શકાય?

કોઈ વસ્તુ સમય પર ન મળે તો તેની કોઈ કિંમત રહેતી નથી, મતલબ ઉપયોગી નથી રહેતી. સુંદર, છણકાવાળી ચોવક છે:

"બર ઈ તોજી લપઈ, જુકો સ઼જી રાત તપઈ

શું કામની હવે તારી લાપસી? ભલે તેં સારી સ્વાદિષ્ટ બનાવવા વાર લગાડી હશે (સ઼જી રાત તપઈ) પણ હવે એ મારા કામની નથી (બરઈ)! સમય પર ન મળે તો સારામાં સારી વાનગી પણ નકામી! હવે, આ ચોવક ક્યાં ક્યાં વાપરી શકાય એ તમે વિચારજો!

દુનિયામાં, એટલે કે સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર હોય છે, બધા જ બુદ્ધુ નથી હોતા, એવું કહેવા માટે એમ કહેવાય કે,

"ધુનીયાં મેં મ઼િડે અન્ન ખેંતા, ઘા કો નતો ખાય

બધા જ અનાજ ખાય છે, ઘાસ(ઘા) કોઈ પણ નથી ખાતું! અલબત્ત સમજદારીનું પ્રમાણ વિષયવાર વધતું-ઓછું હોઈ શકે. સમજની પણ મર્યાદા હોઈ શકે. મર્યાદા શબ્દ પરથી એક સુંદર ચોવક યાદ આવી ગઈ:

"થોડેં જો મોં સકર સેં ભરાજે, જિજેં જો મીઠે સે ય ન ભરાજે

મર્યાદામાં મજા છે! મર્યાદાની માઝા છોડવામાં નહીં. થોડા જણ હોય તો બધાનું મોઢું સાકરથી ભરી શકાય પણ મર્યાદા બહારની સંખ્યા થાય તો' મીઠાથી પણ મોઢું ન ભરી શકાય!

એવી જ, મર્યાદાની વાતના અર્થની નજીક મૂકી શકાય તેવી ચોવક છે: "જિતરો ગુ઼ડ વિજોં તિતરો મિઠો થીયે કોઈ બાબતનો વ્યાપ ધારીએ એટલો વધારી શકાય. જેટલો ગોળ નાખીએ એટલી મીઠાસ વધતી જાય.

આમ કરું તોય માર, તેમ કરું તો પણ માર! તેમ ઉપાય શું? આવી સ્થિતિ વર્ણવવા કચ્છીમાં એક માણવા જેવી મસ્ત ચોવક છે:

"ચિભ઼ડેં વારી ભરી, બધો ત ફિસી પૅ, છો઼ડયો ત રુ઼ડી પૅ

ઘણી વાર આ ચોવક આખી બોલવાની પણ જરૂર નથી રહેતી એટલું જ કહેવાય છે કે "ચિભ઼ડ વારી ભરી આય...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment