Sunday, 3 January 2016

[amdavadis4ever] ખોટી ચિંત ા છોડી દો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જેરામભાઈ સોનીને બે દીકરાઓ અજય અને વિજય. અજય મોટો અને વિજય નાનો અને બે દીકરીઓ પ્રતિમા અને પ્રફુલ્લા. પ્રતિમા મોટી અને પ્રફુલ્લા નાની. બેઉ દીકરીઓના એક જ ગામમાં લગ્ન કર્યા છે. મોટી પ્રતિમા એના સાસરે સુખી છે, જ્યારે પ્રફુલ્લાના ઘરમાં રોજ કંકાસ. પ્રફુલ્લા દુ:ખી હતી, કારણ એના સાસુ, સસરા, જેઠાણી, નણંદ એની પર જુલમ ગુજારતાં હતાં, પણ તે તેના પિયરમાં માબાપ આગળ કશું બોલતી નહીં. 

જેરામભાઈ સોનીના પત્ની વિજયાબેનને ડાયાબિટીસ હતો. હાઈ બ્લડપ્રેશર હતું. તેથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. હવે એક દિવસ વિજયાબેન ઘરમાં પડી ગયાં અને સાથળનું હાડકું ભાંગી ગયું. તાત્કાલિક એમને દવાખાને લઈ ગયા. ઓપરેશન કરાવ્યું અને હોસ્પિટલમાંથી દસ દિવસ પછી રજા મળી એટલે ઘેર આવ્યા, પણ શરીરમાં ખૂબ અશક્તિ. આખો દિવસ આરામ જ કરવો પડે. એક દિવસ વિજયાબેનના ફઈબા ખબર પૂછવા આવ્યાં એમણે બેઉ દીકરાઓને મોટા થયેલાં જોઈને કહ્યું, 'અરે વિજયા તારા દીકરાઓ તો મોટા છે લગ્ન કરવા લાયક તો એમના કેમ લગ્ન નથી કરાવતા?

વિજયાબેનને લાગ્યું કે ફઈબાનું કહેવું સાચું છે. તેમણે પતિને કહ્યું અને તેઓની જ્ઞાતિમાં છોકરીઓની ખોટ નથી. રૂપાળી, સંસ્કારી, છોકરીઓ જોવા માંડ્યાં.

મોટા દીકરા પ્રફુલને રાધિકા સાથે પરણાવ્યો. રાધિકા દેખાવમાં ખૂબ રૂપાળી હતી. નાના દીકરા વિજયને વીણા સાથે પરણાવ્યો. વીણા પણ રાધિકા જેટલી જ સુંદર હતી. રાધિકા અને વીણા બેઉ સંસ્કારી કુટુંબની દીકરીઓ છે. બેઉ સેવાભાવી અને હેતાળ હતી. બેઉ દેરાણી જેઠાણી સંપીને ઘરના કામ કરે છે અને સાસુની સેવા કરે છે. મોટી પુત્રવધૂ રાધિકાને એક દીકરો અને એક દીકરી થયાં, પરંતુ નાની પુત્રવધૂ વીણાને હજી ખોળો ભરાયો નથી. વિજયાબેન પથારીમાં પડ્યાં પડ્યાં જીવ બાળ્યા કરે છે કે નાની વહુને હજી સીમંત આવ્યું નહીં તેઓ એમના પતિ જેરામભાઈને કહે છે 'તમે આ નાની વહુને ડોક્ટરને બતાવો. જેરામભાઈ એક નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટના દવાખાને વીણાને લઈ જઈ બતાવ્યું. ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે વીણામાં કોઈ ખામી નથી. રાહ જુઓ અને ધીરજ રાખો. પરંતુ વિજયાબેને કહ્યું કે જ્યોતિષ પાસે લઈ જાઓ. જેરામભાઈ નાના દીકરા વિજય અને એની પત્ની વીણાને જ્યોતિષના ઘેર લઈ જવા તૈયાર થતા હતા, ત્યાં મોટા દીકરાએ કહ્યું, બાપુજી તમે લઈ જાઓ છો એના કરતાં હું વિજય અને વીણાને લઈ જ્યોતિષના ઘરે લઈ જઈશ. 

પ્રફુલ્લ વિજયને કહે છે, વીણાના કે તારામાં કોઈ ખામી નથી અને બાળક તો થવાનું જ છે તો થોડીક ધીરજ રાખ. આપણે આવતા મહિને જ્યોતિષને બતાવવા જઈશું. હવે જેરામભાઈના પડોશી ધવલભાઈ એક ગેરેજ એમના કંપાઉન્ડમાં બાંધે છે. તેઓ વચ્ચેના કંપાઉન્ડનો ઉપયોગ કરે છે. પ્રફુલ્લે આ જોયું અને ઈર્ષાથી બળી ગયો. તેણે ધવલભાઈ સમક્ષ વાંધો રજૂ કર્યો કે અમારી દીવાલને ઘસારો પહોંચે એવું નહીં કરવાનું. 

જેરામભાઈ તથા વિજયને પ્રફુલ્લનું વર્તન ગમ્યું નહીં પણ ઘરમાં પ્રફુલ્લનું જ ચાલતું હતું. પ્રફુલ્લે પાડોશી ધવલભાઈએ ગેરેજ ખસેડ્યું ત્યારે જંપ્યો. 

વિજય મોંથી કશું બોલ્યો ન હતો પણ પ્રફુલ્લને એ ધિક્કારતો થઈ ગયો હતો. પ્રફુલ્લના કહેવાથી વિજય જ્યોતિષના ઘરે ન ગયો, પણ મનથી એ નારાજ થઈ ગયો. ઘરમાં પ્રફુલ્લનું જ રાજ ચાલતું હતું તેથી એ નારાજ તો હતો જ. હવે વિજયાબેને વિજયને પૂછ્યું, બેટા, તું ક્યારે જ્યોતિષના ઘેર જાય છે?'

'પ્રફુલ લઈ જાય ત્યારે.' વિજયે જવાબ આપ્યો.

વિજયાબેને પ્રફુલ્લને કહ્યું, તું વિજયને અને વીણાને લઈને જ્યોતિષને ત્યાં જા. લઈ જા.'

પ્રફુલ્લ લઈ ગયો, પણ વીણાના જન્માક્ષર ઘેર જ રહી ગયા હતા. જ્યોતિષે કહ્યું, 'હું હસ્તરેખા નથી જોતો જન્માક્ષર જોઈને બરાબર સમય સાથે કહી આપું.

પ્રફુલ અને વિજય તથા વીણા પાછા આવ્યાં. 

વિજય પૂછે છે, 'આપણે ક્યારે જઈશું.'

ત્યારે પ્રફુલ્લ કહે છે, જો ભાઈ જોષી કંઈ ભગવાન નથી, તું રાહ જો તારા નસીબમાં હશે ત્યારે તારે સંતાન થશે. હવે પ્રફુલ્લને વિજય કંઈ કહી શકે નહીં. તેણે માત્ર રાહ જોવાની છે. જોષી વિચારે છે પ્રફુલ એના સામુદ્રિક લક્ષણો પરથી ખેપાની લાગે છે, એના પર વિશ્ર્વાસ ન મુકાય. તે પોતાના સિવાય બીજા કોઈનું શુભ ઈચ્છતો નથી કે કોઈ એવી પ્રવૃત્તિ કરતો નથી કે એ બીજી પાર્ટીનું કલ્યાણ થાય. પ્રફુલ તો ઈચ્છે છે કે એના આ બાપુજી અવસાન થાય પછી નાના ભાઈ વિજય તથા વીણાને ઘરની બહાર હાંકી કાઢું. પ્રફુલ્લનું વર્તન પથારીમાં પડ્યા પડ્યા વિજયાબેન જુએ છે અને એમને ચિંતા થાય છે કે વિજય સરળ અને નિર્દોષ છે તે પ્રફુલ્લ સામે ટક્કર ઝીલી નહીં શકે. વિજયાબેન પતિ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે જેરામભાઈ કહે છે તું ચિંતા ન કર મારા હાથમાં હશે ત્યાં સુધી હું નાનાનું હિત જોઈશ પણ પછી ભગવાનને સોંપી દેવાનું. વિજયા, સૌને એમના કર્મ પ્રમાણે ભગવાન આપે છે. આપણે ચિંતા કરીએ તેનાથી કંઈ વળવાનું નથી. 

વિજયાબેન પતિની વાત સાંભળીને નિસાસો નાખે છે, તેમને થાય છે પતિનું કહેવું કશું ખોટું નથી અમે માબાપ અમરપટો લઈને નથી આવ્યા. અને વિજય એના નસિબમાં જે લખાવી લાવ્યો હશે તે ભોગવશે અને વીણાને ભૌતિક સંપત્તિનો ખાસ મોહ નથી. એણે એવું જીવન એના પોતાની તાકાત પર બનાવવું જોઈએ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment