Sunday, 3 January 2016

[amdavadis4ever] ચાલવું એ ટલે પહોંચ વું (કેલિડોસ્કોપ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસની સફળતાનો આધાર માત્ર તેની શક્તિઓ ઉપર નથી, ઘણાં માણસોમાં બીજા કેટલાંક માણસો કરતાં શક્તિઓ ઘણી વધારે હોય છે પણ ઉપરની બંને વાતોમાં તેમનું વલણ ગૂંચવાડાભરેલું હોય છે. પોતે શું કરવા ઇચ્છે છે, ક્યાં જવા માગે છે, તેની ખબર ક્યારેય હોતી જ નથી. દિવસ ઊગે છે કે તરત જ આથડવાનું તેઓ શરૂ કરી દે છે, રાત પડે ત્યારે સૂઈ જાય છે. જીવનભર તેમનો આ ક્રમ ચાલ્યા કરે છે. ઓફિસે જાય છે, બિઝનેસ કરે છે, કારખાનાં ચલાવે છે, પૈસા બનાવે છે, રાજકારણ ખેલે છે પણ પોતે ક્યાં શા માટે જઈ રહ્યા છે તેનું તેમને ભાન નથી હોતું. ઘેટાનાં ટોળામાં જીવનના માર્ગ ઉપર ભટક્યા કરે છે. તેમાંથી કોઈકને જીવનની સંધ્યા ટાણે પોતાની નિરર્થક રઝળપાટનું ભાન થાય છે, તો કોઈકને ક્યારેય તેવું ભાન થતું જ નથી.
કોઈ પણ માણસને પોતાનો માર્ગ ક્યારે મળશે અને તેના ઉપર અવિરતપણે અને નિશ્ચયાત્મક રીતે ચાલવાની પ્રેરણા એકાએક તેને ક્યારે થશે, તેની કોઈ ચોક્કસ ગણતરી થઈ શકતી નથી. સિકંદર કે શંકરાચાર્ય જેવી વ્યક્તિઓને બચપણથી જ પોતાનો માર્ગ જડી આવ્યો હોય તેમ લાગે છે જ્યારે બીજા માણસો ગદ્ધાપચ્ચીસીમાં આળોટતાં હોય ત્યારે સિકંદરે અડધી દુનિયા જીતી લીધી હતી અને શંકરાચાર્યે સો વરસ જેટલું કામ ઝપાટામાં પૂરું કરી નાખ્યું હતું. પહેલી ત્રીસીમાં તો તેમણે જગતમાંથી વિદાય લઈ લીધી પણ એટલાં ઓછાં વર્ષોમાં તેમણે જે અંતર કાપ્યું તે આશ્ચર્યકારક લાગે છે. વિવેકાનંદ પણ લાંબી જિંદગી જીવ્યા નહીં. કિટ્સ તો પચ્ચીસે પહોંચતાં જ ચાલ્યો ગયો. શેલી સત્તાવીસ વર્ષે અને બાયરન ચાલીસ પહેલાં ગુજરી ગયા. એમિલી બ્રોન્ટે તેની અમર કૃત્તિ'વુધરિંગ હાઇટ્સ' અને થોડાં ઉચ્ચ કોટિનાં કાવ્યો લખીને સત્યાવીસ વર્ષની નાની ઉંમરે મરણ પામી. આવાં તો અનેક નામો માનવ-ઇતિહાસમાં નોંધાયેલાં છે.
 માની પણ ન શકાય એટલા નાનામોટા સરદારો, રાજાઓ, મહારાજાઓ સાથે તે એટલાં યુદ્ધો ખેલે છે કે, જિંદગીમાં લડવા સિવાય તેને જાણે બીજું કશું કામ જ કરવાનું ન હોય તેમ લાગે છે. પચાસ વર્ષની ઉંમરે પહોંચતાં તો એશિયાઈ તુર્કસ્તાન, મોંગોલિયા, રશિયાનો કેટલોક ભાગ, કોરિયા, સમગ્ર ચીન મહારાજ્ય, કેટલી વિશાળ ધરતી જીતી લે છે ! પણ છતાં ઘોડા ઉપરથી નીચે ઊતરવાનું જાણે તેને મંજૂર નથી. પચાસ વર્ષની ઉંમર મોટાભાગના માણસો જિંદગીથી થાકીને લોથ થઈ ગયા હોય છે(કેટલાંક તો કશું કામ કર્યા વિના જ) ત્યારે ચંગેઝખાન બાકીની દુનિયા જીતવા માટેની તૈયારીઓ આરંભે છે. સમય, સાધનો અને તેની ઉંમરની દૃષ્ટિએ સાવ અશક્ય લાગતી યોજના તે અમલમાં મૂકે છે. હિંદુકુશની ઊંચી ગિરિમાળાઓ ઓળંગીને મોંગોલોનાં ધાડાંઓ સાથે તે અફઘાનિસ્તાનમાં થઈને ઈરાન ઉપર ત્રાટકે છે. માણસો, પશુઓ, ખેતીવાડી, શહેરો અને ગામડાંઓનો નાશ કરતું તેનું લશ્કર એક તરફ પંજાબનાં લાહોર સુધી તો બીજી તરફ ઈરાક, સીરિયા વગેરે પ્રદેશોને ધમરોળીને છેક કોન્સ્ટન્ટિનોપાલ સુધી પહોંચી જાય છે અને તેના લશ્કરનો બીજો ફાટો રશિયાને સાફ કરીને પોલેન્ડમાં થઈને જર્મની સુધી પહોંચી જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment