Wednesday 6 January 2016

[amdavadis4ever] હાથીની અંગરચ ના શીખવશે કેન ્સરના રોગને લ ગામ લગાવવાનું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચિકિત્સા વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય તેમ છતાં કેન્સરનું નામ પડે એટલે એક લખલખું શરીરમાંથી પસાર થઈ જાય તે સ્વાભાવિક છે. કેન્સરના રોગ માટે એવું કહેવાય છે કે આધુનિક યુગમાં અનેક શોધખોળ થવા લાગી છે. અનેક અસાધ્ય રોગના કારણોને જડમૂળથી દૂર કરવામાં વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે. તેમ છતાં કેન્સર જેવા રોગ થવાનું મૂળ કારણ હજી જાણવા મળ્યું નથી. આ રોગનો ભરોસાપાત્ર નક્કી ઈલાજ પણ હજી સુધી મળ્યો નથી. એવું માનવામાં આવે છે કે દુનિયાના એક ચતુર્થાંશ લોકો આજે પણ કેન્સર જેવા અસાધ્ય રોગથી પિડાય છે. આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે હાથીની ઉંમર માનવી જેટલી જ છે. તેમને કેન્સરની બીમારી મોટે ભાગે થતી નથી. એવું માનવામાં આવે છે કે શરીરની દરેક કોશિકાઓમાં કેન્સરના જીવાણુઓ જોવા મળે છે. જેટલી વધુ કોશિકાઓ તેટલી વધુ કેન્સરની આશંકા. હાથીના શરીરમાં માનવીથી ૧૦૦ ગણી વધુ કોશિકા જોવા મળે છે. તેથી હાથીમાં કેન્સરની શક્યતાઓ પણ ૧૦૦ ટકા વધવી જોઈએ, પણ ત્યાં કેન્સરની શક્યતા માનવીની સરખામણીમાં ૨૦ ટકા ઓછી જોવા મળે છે. 

વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે હાથીના શરીરમાં જરૂર કોઈ એવી વાત હશે જે તેમને કેન્સરથી બચાવતી હશે. કેન્સર થવાનું મૂળભૂત કારણ શરીરની કોઈ કોશિકામાં કંઈક ગરબડ થઈ હોય. વળી તે કોશિકાઓ અમર્યાદા બનીને અંધાધૂંધ વધવા લાગે છે, જે શરીરમાં ગાંઠ રૂપે દેખાય છે. તેમાં એક એવું તત્ત્વ હોય છે જેને 'ટી.પી ૫૩' તરીકે ઓળખવામાં આવે છે. આ તત્ત્વ કોશિકાઓને ક્યારેક સુધારી લે છે. તો ક્યારેક તેને નષ્ટ કરી દે છે. નુકસાન પામેલી કોશિકામાં જો સુધારો ન થાય તો તે વિભાજિત થઈને વધતી જાય છે. વ્યક્તિ કેન્સરનો ભોગ બને છે. 'ટી.પી ૫૩'ની જવાબદારી શરીરને કેન્સરથી બચાવવાની છે. શરીરમાં ટી.પી ૫૩ જેવા બીજા તત્ત્વો શરીરમાં હોઈ શકે છે, જે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. માનવ શરીરમાં ટી.પી ૫૩ જોવા મળે છે. હાથીના શરીરની કોશિકાઓમાં તેના જેવાં જ બીજા ૨૦ જીન્સ જોવા મળે છે. હાથીના શરીરમાં કેન્સરનો ખતરો પેદા થતો હોય છે પણ તેના જીન્સ એટલા મજબૂત હોય છે કે તે આપમેળે જ નષ્ટ થઈ જાય છે. હાથીના શરીરમાં થાય છે તેટલી ઝડપી ગતિએ માનવીના શરીરમાં કેન્સરના જીવાણું નષ્ટ થતાં નથી. વૈજ્ઞાનિકો હાથીની આ ખાસિયતમાં કેન્સરનો અચૂક ઈલાજ શોધી રહ્યા છે. કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્સરનો સંબંધ ફક્ત શરીરની કોશિકાઓ સાથે જ નથી હોતો. જો એવું હોત તો માનવીની અને ચિમ્પાન્ઝીને પણ કેન્સર થવાની શક્યતાઓ એક સરખી જોવા મળતી હોય છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment