Tuesday 5 January 2016

[amdavadis4ever] બીમાર પત્ન ીની કાળજી લ ેવી તમને ગ મે કે નહીં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણા દેશમાં કુટુંબ પ્રથા જીવંત જોવા મળે છે. પતિ બીમાર પડે એટલે પત્ની તેની શુશ્રૂષામાં લાગી જાય છે. પત્ની જો નોકરી કરતી હોય તો પતિની સેવા માટે રજા પણ લેતી હોય છે. પણ...જો પત્ની બીમાર પડે તો ચિત્ર બદલાઈ જાય છે. પત્નીની બીમારીમાં તેની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. પતિ તેની નોકરીમાંથી રજા લે તે તો આધુનિક યુગમાં પણ ઓછું જોવા મળે છે. બીમાર પત્ની શારિરીક વ્યાધિથી પરેશાન હોય છે, વળી પતિ દ્વારા થતી અવગણનાને કારણે તે માનસિક રીતે પણ પડી ભાંગે છે, પરિણામે દવા લેવા છતાં તેની બીમારી વધતી જાય છે. પતિની બીમારીમાં જે રીતે પત્નીએ સહકાર આપીને પથારીમાંથી ઉઠાડ્યો. તે જ રીતે પતિએ પણ પત્ની પ્રત્યે સહાનુભૂતિ બતાવીને તેની કાળજી લેવી જરૂરી ગણાય છે. 

ક પત્નીને કોઈ ગંભીર બીમારી હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડૉક્ટરે લખી આપેલ દવા લાવી આપી તે નિયમિત લે તેની કાળજી રાખવી જોઈએ.

ક ઘરમાં બીમાર પત્નીની શુશ્રૂષા માટે ઘરમાં કોઈ ન હોય તો નોકરી-ધંધામાં એક બે દિવસની રજા લઈને તેના માટે ઘરમાં રહેવું જોઈએ. 

ક કોઈપણ વ્યક્તિ બીમાર હોય તો તેની સારવાર કરનાર વ્યક્તિ તેની ઉપેક્ષા કરે છે તેવી જાણ થાય, જેને કારણે તેનું હૈયું દુભાય તે સ્વાભાવિક છે. 

ક પતિ-પત્નીના સંબંધો ઘણા નાજુક સંબંધ ગણાય છે. પત્ની બીમાર હોય ત્યારે તેને જો ખબર પડે કે પતિને તેની માંદગીની સાથે કોઈ લેવાદેવા નથી. તેને તો તેનો સમય સચવાય તેમાં વધુ રસ જોવા મળે છે. ત્યારે તે દુ:ખી બની જાય છે. પત્ની માંદગીમાં પટકાયેલ હોય ત્યારે તેની સારવાર કરવામાં મન ન લાગે તો પણ તેને તમારા વિચારો જણાવા દેશો નહીં. 

ક પત્નીની માંદગીનો ખર્ચો તેને તરત જણાવશો નહીં.

ક ઘરકામ માટે કોઈ કામવાળી બાઈ રાખવાનું પરવડતું ન હોય, ઘરમાં પત્ની બીમાર હોય તો ઘરનું કામકાજ કરવામાં નાનપ અનુભવવી જોઈએ નહીં. પત્નીના કપડાં ધોવાના સંજોગો ઊભા થાય તો આળસ ખંખેરીને ધોવા જોઈએ. 

ક બીમારીમાં કોઈપણ વ્યક્તિ હતાશા અનુભવવા લાગે છે. પ્રિય વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે તેને આનંદિત રાખવાનો પ્રયત્ન કરો. 

ક તબિયત થોડી સુધરવા લાગે અને તે ઘરમાં હરવા-ફરવા લાગે એટલે તેને નજીકમાં આવેલ બાગમાં ફરવા લઈ જાવ.

ક અમુક સંજોગોમાં નોકરીમાં જવું જરૂરી હોય તો કામની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને તેની સાથે ફોન પર વાત કરી તેની તબિયતની પૂછપરછ કરો. 

ક બીમારીને કારણે તે બેચેન હોય તો તેને તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. 

ક પત્નીની બીમારીમાં તેની પાસે અજૂગતી માગણી ન કરો. 

ક પત્નીની બીમારીની બીજી વ્યક્તિઓ સાથે ચર્ચા ન કરો. 

ક તબિયત સુધર્યા બાદ કે તબિયત સુધારવા તે પિયર જવાની ઈચ્છા દર્શાવે તો તેને મોકલો. નિયમિત ફોન કરીને તેની કાળજી તે પિયરમાં હોય ત્યારે પણ લો. અંગત વ્યક્તિ દ્વારા લેવાતી કાળજીને કારણે તેના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થશે.

ક પ્રિય વ્યક્તિ દ્વારા લેવાયેલ સંભાળને પત્ની જિંદગીભર યાદ રાખશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment