Friday, 1 January 2016

[amdavadis4ever] બેટી બચાઓ આંદો લન સફળ નહીં થાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેટી બચાઓ આંદોલન સફળ નહીં થાય

 

ડિસેમ્બર મહિનો આવતાં જ નિર્ભયા બળાત્કારની વાત તાજી થાય છે. તેમાં ય આ વરસે ડિસેમ્બરમાં જ તેના પર ક્રૂરતા આચરનાર સગીર જે હવે પુખ્ત બની ગયો છે તેને છોડી મૂકવામાં આવ્યો છે. તે સમયે એટલે કે ૨૦૧૨ની સાલમાં પુરુષોની માનસિકતા અને બળાત્કાર વિરોધી અનેક દેખાવો થયા, લખાણો લખાયા. ધિક્કાર વરસાવાયો. તે છતાં છેલ્લા ત્રણ વરસમાં અનેક બાળાઓ અને યુવતીઓ પર સામૂહિક બળાત્કાર થયા. ૨૦૧૫ની સાલ પૂરી થવામાં હજી બે જ દિવસ બાકી હતા કે ૧૪ વરસની બે બાળાઓ પર ટ્રેનમાં અને રીક્ષામાં બળાત્કાર થયા.

તેમાં પણ લશ્કરના જવાન દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. બળાત્કારની ઘટનાઓ સતત થતી બનતી રહી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે જ ઈન્ફોસિસની પૂના ઓફિસની કેન્ટિનમાં એક યુવતી પર બળાત્કાર થયાની ઘટના બન્યાની જાણ થઈ. 

ડિસેમ્બરમાં જ ડોંબિવલીમાં કચરામાંથી એક નવજાત બાળકીનું શબ મળી આવ્યું. પોલીસે તપાસ કરી તેના માતાપિતાને શોધીને જેલમાં પહોંચાડ્યા. તેમને પહેલાં દોઢ વરસની બાળકી હતી જ. બીજી બાળકી નહોતી જોઈતી. ભૃણ હત્યાના આવા કિસ્સાઓ બનતા રહે છે. કેટલાક કિસ્સાઓ બહાર આવે ને કેટલાક ન પણ આવે. મહારાષ્ટ્રમાં છોકરીનું નામ નકુશા રાખવામાં આવે છે. નકુશાનો અર્થ થાય ન જોઈતી. દીકરી માતાપિતાને નથી જોઈતી હોતી કારણ કે વંશનો પ્રશ્ર્ન તો હતો જ પરંતુ આજે દીકરીના માતાપિતાને સતત દીકરીની ચિંતા રહેતી હોય છે. તેમાં ય જો નિર્ભયાની જેમ બળાત્કાર થાય તો માતાપિતા પર શું ગુજરે તે કલ્પના કરવી પણ અઘરી છે. પોતાની વ્હાલસોયી દીકરીને જે પ્રતારણામાંથી પસાર થવું પડ્યું હોય તે કેટલું દુખદાયક હોય છે તે નિર્ભયાની માતાએ જ્યારે કહ્યું કે મારી દીકરીને ન્યાય મળે અને સમાજની દીકરીઓ પર ફરી આવો અત્યાચાર ન થાય તે માટે મૃત્યુ પર્યત એકલા પણ લડતી રહીશ.

સમાજની માનસિકતા બદલાય નહીં, દીકરીઓ સુરક્ષિત છે એવી માતાપિતાને ખાતરી ન થાય ત્યાં સુધી બેટીના જન્મની ખુશાલી કઈ રીતે હોય? બેટી બચાવો આંદોલન કરતાં સમાજમાં સ્ત્રીઓ નિર્ભયતાથી હરીફરી શકે. સમાનતાથી જીવી શકે. સમાજની સ્ત્રીઓ તરફની માનસિકતા બદલાશે તો આપોઆપ માતાપિતાને બેટીના જન્મની ખુશી થશે. તેને બચાવવા માટે આંદોલનો નહીં કરવા પડે કે ન તો ભૃણ હત્યા રોકવા માટેના કાયદાની જરૂર પડશે. જ્યાં સ્ત્રીઓ સલામતી ન અનુભવે ત્યાં કઈ માતા પુત્રીના જન્મથી ચિંતા ન કરે? બળાત્કારના કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યા છે અને વળી તેમાં ક્રૂરતા પણ ભળી રહી છે. એ દર્શાવે છે કે સ્ત્રી માટે આદર, સન્માનની લાગણી સમાજમાં નથી. હજી પણ અનેક ઘરોમાં સ્વજનો દ્વારા થતાં બળાત્કાર કે જાતિય સતામણીના કિસ્સાઓ બહાર ન આવે તેનું ધ્યાન રાખવામાં આવે છે. બળાત્કાર માટે સ્ત્રીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. સમાજની સ્ત્રી માટેની માનસિકતામાં બદલાવ આવશે ત્યારે નવા યુગની શરૂઆત થશે. બાકી કેલેન્ડર પર મહિનાઓ, સાલ બદલાશે પણ સમાજ બદલાશે નહી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment