Tuesday 5 January 2016

[amdavadis4ever] ક્ષત્રિય મ ાટે સૂરજનાર ાયણના સોગંદ ખાવા એટલે માથું વધેર ી દીધાથી પણ વિશેષ Raghavji Madhad

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્ષત્રિય માટે સૂરજનારાયણના સોગંદ ખાવા એટલે માથું વધેરી દીધાથી પણ વિશેષ

આપા લખમણવાળાએ ખોટી બાતમીને ફગાવતાં કહ્યું: 'મારો દી' ફર્યો છે તે મારા ગામને ભાંગવા માટેના સંદેશા મોકલાવું...' પછી પોતાના ખરાપણાની સાબિતી આપવી હોય એમ કહે: 'મને ખબર હોય તો 
સૂરજનારણ પોગે!'
આમ સોગંદ ખાતાં જોઈ રામવાળા કકળી ઊઠ્યા. તેમનાથી બોલાઈ ગયું, 'હા... હા... ભા' ભણ્યું હવે આગળ નો બોલતા!' આવી આકરી કસોટીના કારણે જાણે તપવાના આરે ઊભેલા સૂરજની આંખે તેજના અંગારા ચંપાયા. એક તેજ લિસોટો વાળા કુળના નરબંકાઓના મોં પર ઓજસ પાથરી ગયો. ક્ષત્રિય માટે સૂરજનારાયણના સોગંદ ખાવા એટલે માથું વધેરી દીધાથી પણ વિશેષ વાત. લોઢે લીટો પડી જાય. પછી એમાં કાંઈ કહેવાપણું કે પાછું વાળીને જોવાપણું રહે નહીં. 
રામવાળા બે ઘડી અવઢવમાં મુકાઈ ગયા. હજુ તો ગઈ રાતે જ એક જણ આવીને કહી ગયો હતો: 'બાપુ! ગામ ભાંગવા આવો...' પોતે વળતો જવાબ દીધો હતો: 'નો અવાય, બાપુ લખમણવાળાના ધણીપણા હોય ન્યા અમારાથી અડપલાં થાતાં હશે!' પણ આવતલ જણ તો એમ કહીને ઊભો રહ્યો હતો કે, 'આમાં તો ગામધણી બાપુનોય રાજીપો છે!' પણ બાપુએ સામે ઊભા રહીને સોગંદ ખાધા ત્યારે ખબર પડી કે બાતમી ખોટી હતી. કોઈક ખાટસવાદિયો અડધી રાતે આવીને કાન ભંભેરીને આવી નમાલી વાત કહીને નીકળી ગયો હતો. ખોટી બાતમીની ખરાઈ કર્યા વગર આવી જવાયું હતું. એક રીતે ભોં ભારે થઈ પડી હતી. હવે શું કરવું? ગામનું નરાળવું પાદર પણ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયું હતું, કારણ કે રામવાળાનો એક નિયમ હતો, ટેક હતી-ગામ ભાંગતાં પહેલાં શ્રીફળ વધેરવું અને શ્રીફળ વધેરાઈ ગયા પછી કોઈ પણ સંજોગામાં ગામ ભાંગવું જ પડે! અહીં શ્રીફળ વધેરાઈ ગયું હતું.

રામવાળાએ કહ્યું: 'બાપુ, શ્રીફળ વધેરાઈ ગયું છે, મારી ટેક હવે નો તૂટે.'
લખમણવાળાએ પણ કહ્યું: 'મારે પણ ટેક છે કે, મારા જીવતાંજીવ ગામ નો ભંગાય!'
ગામધણીનું આ મક્કમતાથી બોલવું સાંભળી, લાલચોળ થઈ ઊઠેલા દાદા સૂરજનારાયણને પણ એક જાતની સોખમણ થાવા લાગી. આમાં કોના પક્ષે થવું? સામસામે વજ્ર જેવા મનેખ હતા. પણ રામવાળાએ જોયું કે આપાના હાથમાં હથિયાર નથી. તેથી કહ્યું: 'હાથમાં હથિયાર નથી એટલે ઘા નહીં કરું, ક્ષત્રિયતા લાજે!' સામે આપા લખમણવાળાએ કહ્યું: 'મારા ગામમાં આવ્યા ઇ મે'માન કે'વાય. ઇ બાપનો વેરવી હોય તોય મરાય નહીં આ વાળાકુળની રીત છે.'
લખમણવાળાનું આમ કહેવું સંભાળીને રામવાળા ખડખડાટ હસવા લાગ્યા. મોં મરકાવીને રામવાળાએ કહ્યું: 'બાપુ! મારા નિયમ આગળ આપનો નિયમ સવાયો સાબિત થયો...' પછી જાણે વાતને વાળી લેવી હોય એમ ઉમેરીને આગળ કહ્યું: 'બાપુ! ખાતરી તો કરવી પડેને, વાળાકુળના ગામધણીનું રૈયતપણું કેટલું  છે!?'
'આપે તો ધણીપણું જાળવી જાણ્યું. જ્યાં સુધી કાઠિયાવાડની ધીંગી ધરા પર આપ જેવા ધણી હશે ત્યાં સુધી રૈયતનો વાળ પણ વાંકો નહીં થાય.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment