Wednesday 6 January 2016

[amdavadis4ever] સાત-આઠ કલાક બેસીને કામ ક રતા લોકોએ કે વો આહાર લેવો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાત-આઠ કલાક બેસીને કામ કરતા લોકોએ કેવો આહાર લેવો? આવા લોકોએ પોતાના ખોરાક પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઇએ. સતત સાત-આઠ કલાક બેસીને કામ કરવાને કારણે તમારી હાલચાલ ઓછી હોય છે. તમારા ખોરાકમાંથી મળતી કેલેરી વપરાતી નથી. તમારા શરીરમાં જ જમા થાય છે, અને પછી તમારા વજનને વધારવામાં મદદ કરે છે. ઑફિસમાં કામ કરતા લોકોએ પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જોઇએ. ખોરાકમાં સોયાબીન, દૂધ, દૂધના પદાર્થો, ઇંડા, માંસ વગેરે પદાર્થોનો સમાવેશ થવો જોઇએ. આવા લોકોને રોજ ૧૮૭૫ કિલો કૅલેરીની જરૂર પડે છે. 

ઉપાય: ઘઉંના બનાવેલા બ્રેડ, ફળ, શાક અને દહીંનો સમાવેશ ખોરાકમાં કરવો. કામ કરવાની જગ્યાએથી દૂર જઇને જમવું. આ કારણે આપણે શું ખાઇએ છીએ અને કેટલું ખાઇએ છીએ એ પર ધ્યાન રહેશે. 

ઓછા ફેટ્સવાળા ખોરાક ખાઓ. તમારે માટે સવારનો નાસ્તો આવશ્યક છે. એમાં તમે દૂધ અથવા સોયા મિલ્ક સાથે ઓટમીલ અને ફળોનો સમાવેશ કરી શકો. 

ખાલી પેટે ચહા કે કોફી પીને ઘરની બહાર ન નીકળવું. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી. આ કારણે તમે સમયસર તૈયાર થઇને નાસ્તો કરી શકશો. બપોરનું ભોજન નાસ્તા કરતા હલકું હોવું જોઇએ. એક બાઉલ સેલડ અને સૂપ લઇ શકો. 

સાંજે સ્નેક્સમાં એકાદ ફળ, પૌવા, ઢોકળા, ઉપમા અથવા બિસ્કિટ લઇ શકો. 

રાતનું ભોજન સમયસર એટલે નવ વાગ્યા પહેલા લેવું. 

મેંદામાંથી બનાવેલા પદાર્થો શક્યત: ટાળવા. ફૂલ ક્રિમ મિલ્ક, બટાટા અને ઇંડા પ્રમાણસર ખાવા. દિવસે ભાત ખાવાનું ટાળવું. 

રાતપાળીમાં કામ કરનારા માટે: રાતપાળીમા અથવા તો નાઇટ શિફ્ટ કરનારા લોકોનો સમય અચોક્કસ હોવાથી એમને સમજાતું જ નથી કે એમણે ક્યારે અને શું ખાવું જોઇએ. જો તમે રાતપાળીમાં કામ કરતા હો તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો:

ઉપાય: ઘરે આવીને તુરંત ઊંઘી ન જવું. તમારે ૨૦૦૦ કિલો કેલેરીનો નાસ્તો લેવો જોઇએ. નાસ્તામાં બે પરાઠા લેવા. બપોરના ખોરાકમાં બે રોટલી, શાક અને ૭૫-૧૦૦ ગ્રામ પનીરનો સમાવેશ કરવો. 

જો તમે રાતથી સવાર સુધી કામ કરતા હો તો તમારે સાંજે સાત વાગ્યે સમતોલ આહાર કરવો જોઇએ. સાંજે વધારે મસાલાવાળા અને તળેલા પદાર્થોથી દૂર રહેવું. નોનવેજ ટાળવું. જમ્યા બાદ બેથી ત્રણ કલાક બાદ ફળ, સલાડ, ચાર-પાંચ ભીંજવેલ બદામ ખાઇ શકો. રાતના સમયે વધારે પડતી ચહા-કોફી પીવાનું ટાળવું. એને બદલે લસ્સી, છાસ કે ફળનો રસ પી શકો. રાતપાળી કરનારને બંધકોશની સમસ્યા થતી હોય છે. એમણે વધારે ફાઇબરવાળો ખોરાક લેવો જોઇએ. 

રાતે નોનવેજ, રાજમા, અડદની દાળ અને ભાત ખાવા નહીં. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment