Friday, 15 January 2016

[amdavadis4ever] માણસાઈ મરી પરવારી નથી - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસાઈ મરી પરવારી નથી

કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

ઘણીવાર આપણને આશ્ચર્ય થાય છે કે, માણસ પોતે જે બાંધે છે એને તોડવાની પ્રવૃત્તિ પણ પોતે જ કરે છે. ચોમાસામાં રમતાં બાળકો માટીમાંથી કૂબા બનાવે છે, પરંતુ એ બનાવવાની ભારે જહેમત લીધા પછી કોણ જાણે કેમ એ તોડીફોડી નાખે છે. માણસજાતમાં પડેલી આ કોઈક અદમ્ય વૃત્તિ સાથે ફરી ફરીને બાંધવાની, સર્જન કરવાની વૃત્તિ પણ પડેલી છે. એ માણસજાતનું જમા પાસું છે. પોતાના સ્વાર્થ માટે માણસ અનેક ખરાબ કામો કરે છે. બહારથી નિઃસ્વાર્થ દેખાતી પ્રવૃત્તિઓમાં પણ અનેક ખરાબ કામો કરે છે. બહારથી નિઃસ્વાર્થ દેખાતી પ્રવૃત્તિઓમાં પણ અનેક માણસોના સ્વાર્થ પડેલા હોય છે. મોટી મોટી લડાઈઓ પાછળ ઘણી વાર નાનકડાં હિતો પડેલાં હોય છે. પોતાનાં હિત ખાતર માણસ બીજાનું નિકંદન કાઢી નાખતાં પણ અચકાતો નથી.
પરંતુ માણસમાં કાંઈક સારું પણ છે. પોતાના સ્વાર્થ માટે માણસ લડે છે, ઝઘડે છે, તોફાનો કરે છે, કાપાકાપી કરે છે, પરંતુ જેમાં કશો જ સ્વાર્થ ન હોય એવાં કામો પણ હજી માણસજાત કરે છે. હજી મા પોતાનાં બાળકને ધવડાવે છે. હજી કોઈકનાં રડતાં બાળકને નજીક જઈને માણસ પંપાળે છે, જેનાં ફળો પોતાને ક્યારેય ખાવા મળવાનાં ન હોય એવાં વૃક્ષો પણ હજી માણસ વાવે છે. ઈરાનના બાદશાહ નૌશેરવાન આદિલ વિષેની એક વાત છે. એક વાર નૌશેરવાન એના દરબારીઓ સાથે જઈ રહ્યો હતો ત્યારે એણે જોયું કે, એંશી-પંચાશી વરસનો એક બૂઢો ખેડૂત સોપારીનાં કે ખજૂરીનાં વૃક્ષો વાવી રહ્યો હતો. નૌશેરવાનને એથી આશ્ચર્ય થયું. એણે પેલાને પૂછયું,'વૃદ્ધ માણસ, આ વૃક્ષો ક્યારે ફળ આપશે?'

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment