Wednesday 31 August 2016

[amdavadis4ever] રમ્યાએ દા ઉદનું નામ સાંભળ્યું જ હશે !

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રમ્યાએ દાઉદનું નામ સાંભળ્યું જ હશે!

લાઈવ વાયર : વિનોદ પંડયા

દેશનાં ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાન વસવા ગયેલાં ઉર્દૂ બોલતા મુસ્લિમો કરાંચી, હૈદરાબાદ અને સિન્ધના બીજા શહેરોમાં વસ્યા છે, જે મોહાજીર અર્થાત નિરાશ્રિતો તરીકે ઓળખાય છે. જીવનમાં ખુશહાલી પ્રાપ્ત કરવાના ઇરાદે પાકિસ્તાન પહોંચેલા એ લોકોની સુખાકારી તો બાજુએ રહી, તેઓને નફ્રતથી જોવામાં આવ્યાં. મોહાજીર કહીને તેઓને ઊતારી પડાય છે. મોટા શહેરોની ગંદી વસાહતોમાં તેઓ વસે છે. કરાંચીમાં કુરંગી ટાઉન આવી એક વસાહત છે. મોહાજીરોની એટલી અવગણના થઈ કે તેઓએ પોતાના અધિકારો માટે એક ચળવળ શરૂ કરવી પડી. જે મુતાહિદા કોમી મુવમેન્ટ (એમક્યુએમ) તરીકે ઓળખાય છે. તેની સ્થાપના અલ્તાફ્ હુસૈન નામક મોહાજીરોના નેતાએ કરી હતી, જે પાકિસ્તાનનાં સત્તાવાળાઓથી તંગ આવીને લંડનમાં દેશનિકાલની સ્થિતિમાં જીવે છે.
ભારતનાં સંરક્ષણ મંત્રી મનોહર પરીકરે હમણા એવું વિધાન કર્યું હતું કે પાકિસ્તાનમાં જવું એ નર્કમાં જવા બરાબર છે. કર્ણાટકની અભિનેત્રી રમ્યાને આ મનોહર વાણી માફ્ક ન આવી અને બોલી કે હું પાકિસ્તાન હમણાં જ જઈ આવી. ત્યાં લોકો એવી રીતે જીવે છે જે રીતે ભારતનાં લોકો ભારતમાં જીવે છે. રમ્યા માને છે કે પાકિસ્તાનનાં લોકોને ભારતનાં લોકોએ પ્રેમ કરવાની જરૂર છે, નફ્રત કરવાની જરૂર નથી. રમ્યાનાં વિધાનોથી નારાજ થઈને મનોહર સરકાર રમ્યા પર દેશદ્રોહનો કેસ માંડવાનું વિચારી રહી છે. કોંગ્રેસ રમ્યાની પડખે ઊભી રહી ગઈ અને બોલી કે પાકિસ્તાનની પ્રસંશા કરવી અને ત્યાં જવું એ ભારતદ્રોહ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ દેશદ્રોહનો કેસ માંડવો જોઈએ. રમ્યાની વાતોમાં ભાવુક્તા છે. સચ્ચાઈ અને ઇતિહાસનું એને ભાન નથી. કવિઓની પ્રગલ્લભતા વાસ્તવિક્તાનો સ્વીકાર કરતી નથી અને દિવાસ્વપ્નો જોતી હોય છે. રમ્યાને પૂછી શકાય કે ભારતે આજ સુધી પાકિસ્તાન સાથે શું કર્યું ? પ્રેમ કરવાથી શું મળવાનું છે ? શું પાકિસ્તાનના શાસકોની નફ્રત ઓછી થવાની છે ?
જે પાકિસ્તાની સત્તાધીશો પોતાની પ્રજાને પ્રેમ નથી કરી શકતા, સુન્નીઓ શિયાઓને પ્રેમ નથી કરતા, અહમદિયાઓ, ખ્રિસ્તીઓ કે હિન્દુ પાકિસ્તાની નાગરિકોને પ્રેમ નથી કરી શકતા, જ્યાં ત્રાસવાદીઓ શાળાનાં સંખ્યાબંધ બાળકોને રહેંસી નાખે છે. અને તેનો જશ્ન મનાવે તેવા લોકોની સાથે સરકાર હોય તો પાકિસ્તાન કોઈ જન્નત નથી. છતાં રમ્યાબેનને પાકિસ્તાનમાં રહેવા જવું હોય તો કોઈ ભારતીય એમને રોકવાના નથી. રમ્યા સામે દેશદ્રોહનો કેસ માંડવાની જરૂર નથી. એ ભાજપની અપરિપક્વતા અને બાલીશતા છે કે તેના નેતાઓ આવી ધમકીઓ આપે છે. રમ્યાને લંડન મોકલવાની જરૂર છે. એમક્યુએમના નેતા અલ્તાફ્ હુસૈનને મળવા માટે રમ્યાએ અજાણતા એમની સાથે પૂર્વાપર સંબંધ બાંધ્યો છે.
અલ્તાફ્ હુસૈને તાજેતરમાં પાકિસ્તાનને દુનિયાનું કેન્સર ગણાવ્યું. અલ્તાફ્ની એમક્યુએમના પાકિસ્તાનમાંના કાર્યકરો પર છેલ્લાં ૨૫ વરસથી મજબૂત પકડ અને પ્રભાવ રહ્યા છે. ગયા સોમવારે એમણે લંડનથી ફેન કરીને એમના કાર્યકરોને જણાવ્યું કે, 'સમગ્ર દુનિયામાં ત્રાસવાદનું કેન્દ્રબિન્દુ પાકિસ્તાન છે. ત્રાસવાદની જનેતા પાકિસ્તાન છે. કોણ કહે છે કે પાકિસ્તાન ઝિંદાબાદ હોવું જોઈએ. પાકિસ્તાન જાય ભાડમાં !' આ શબ્દો પૂર્વજો સાથે ભારતમાંથી પાકિસ્તાન વસવા ગયેલા અલ્તાફ્ હુસૈનના છે. પાકિસ્તાનમાં અલ્તાફ્ના મોહાજીર કાર્યકરો હંમેશા એક સુત્ર બોલતા હોય છે. 'ભાઈ કા હો ઈક ઇશારા, હાઝીર લહુ હમારા .' મતલબ કે ભાઈ અલ્તાફ્ ઇશારો કરશે તો અમે અમારો જીવ આપવા તૈયાર છીએ. અલ્તાફે પક્ષનાં કાર્યકરોને પાકિસ્તાનના સમાચાર માધ્યમોના કાર્યાલયો પર હુમલો કરવા જણાવ્યું. તે મુજબ દેખાવો અને હુમલાઓ થયા જેમાં એક માણસ માર્યો ગયો. પાકિસ્તાને અલ્તાફ્ હુસૈન સામે દેશદ્રોહનો કેસ માંડયો છે.
દાઉદ ઇબ્રાહીમના કુુટંુબીઓ પાકિસ્તાની સત્તાવાળાઓની મદદથી દુબઇ અને કરાંચી વચ્ચે પ્રવાસ કરતાં હોય છે. ભારતીય એજન્સીઓએ એ પ્રવાસ પર નજર રાખીને ઘણી બાતમીઓ મેળવી છે. આમ તો દાઉદ ઘણી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચલાવે છે તેથી ભારતીય એજન્સીઓએ બહુ મોટી ઉપલબ્ધી મેળવી છે તેમ કહી ન શકાય. દાઉદની બહેન હસીના પારકર કરાંચી અને મુંબઈ વચ્ચે આવજા કરતી રહેતી હતી. કરાચીમાં દાઉદના કુટંુબમાં કોઈ બાળક જન્મ્યું તો તેને મસાજ કરવા માટે હસીનાએ મુંબઈથી મસાજવાળીને પાકિસ્તાન મોકલી હતી. ૧૯૯૯માં એ પરત ફ્રી ત્યારે એરપોર્ટ પર એને રોકવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. એ દુબઇ થઈને કરાંચી ગઈ હતી. એણે કરાચીનાં ક્લીફ્ટન વિસ્તારમાં આવેલા દાઉદના નિવાસસ્થાન મોઇન પેલેસ વિશે ભારતીય એજન્સીઓને માહિતી આપી હતી. 
આ મોઇન પેલેસની સુરક્ષા ૨૫ જેટલા બંદુકધારી નિવૃત્ત લશ્કરી જવાનો સંભાળે છે. કરીમુલ્લા ખાન નામનો બીજો એક શખ્સ પાકિસ્તાનમાં દાઉદના કુટુંબનો ડ્રાઇવર હતો. ૨૦૧૦માં એ નેપાળ માર્ગે ભારતમાં ઘૂસ્યો હતો અને તેણે દાઉદના બીજાં ત્રણ સરનામાં એજન્સીઓને પૂરાં પાડયાં હતાં. ૨૦૦૮માં મુંબઈ પોલીસે મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી અબ્દુલ રશીદ હમઝા નામના શખ્સને પકડયો હતો. એ ૧૯૯૩નાં મુંબઈ બોમ્બ ધડાકાઓનો આરોપી છે. એણે પોલીસને માહિતી આપી કે દાઉદના પાસપોર્ટમાં દાઉદનું નામ દાઉદને બદલે હસન શેખ લખવામાં આવ્યું છે. એણે દાઉદની મિલકતો વિશે પણ માહિતી આપી હતી. સીબીઆઈને માહિતી મળી હતી કે ઈંગ્લેન્ડમાં હેમ્પસ્ટીડ ખાતે દાઉદનું એક મોટું મકાન છે. પણ એ વિગતો વરસો સુધી સીબીઆઈની ફઈલોમાં દટાઈ રહી હતી. પણ છેલ્લે છેલ્લે એનફેર્સમેેન્ટ ડિરેકટોરેટે દાઉદની દુનિયાભરની મિલકતો વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું ત્યારે દાઉદની મોરક્કો, સ્પેન, યુએઈ, તુર્કી, સાયપ્રસ, બ્રિટનમાંની બીજી મિલકતો વિશે પણ ભાળ મળી. હવે દાઉદને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એની એ તમામ મિલકતો દુનિયાની સત્તાઓ જપ્ત કરી શકે છે જેથી દાઉદનું આર્થિક માળખું તૂટી જાય. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment