Monday 29 August 2016

[amdavadis4ever] PM મોદીનો ‘બ ી’-ડોક્ટ્રિન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



PM મોદીનો 'બી'-ડોક્ટ્રિન

 

 


જાણવા જેવી વાત એ છે કે, બલૂચિસ્તાન તે પાકિસ્તાનનાં ચાર મોટા પ્રાંત પૈકીનો એક છે બલૂચિસ્તાનની ભૂમિમાં સહુથી વધુ પ્રાકૃતિક સંપદા છે. ભારતનાં ભાગલા પૂર્વે બલૂચિસ્તાન અનેક નાનાં-મોટાં રાજા-રજવાડાઓનો વિસ્તાર હતો. જેમાં લાસ- બેલા, ખારન અને મકરાણનો સમાવેશ થાય છે. ઓગસ્ટ,૧૯૪૭ થી માર્ચ ૧૯૪૮ સુધી તે સ્ટેટ સ્વતંત્ર રહ્યું હતું. તે પછી તે પાકિસ્તાન સાથે જોડાતા તેની શરત હતી કે બલૂચિસ્તાનને સ્વાતંત્રતા મળશે. બલૂચિસ્તાનમાં આવેલો ગ્વાદર વિસ્તાર મૂળ ઓમાનની માલિકીનો હતો, પરંતુ ૧૯૫૮માં ઓમાને તે ત્રણ મિલિયન-ડોલર લઈ પાકિસ્તાનને વેચ્યો હતો. પાકિસ્તાને આ ગ્વાદર બંદરનો વિકાસ કરવાનું કામ ચીનને સોંપીને ચીન માટે માલ લાવવાની વ્યૂહાત્મક સરળતા કરી આપી છે.
બલૂચ નેતાઓ વર્ષોથી ભારત તરફથી તેમને મદદ મળે તેવી માંગણી કરતાં આવ્યા છે, પરંતુ ભારત તરફથી તેમને ખુલ્લો સહયોગ કદી મળ્યો નહીં. કહેવાય છે કે, ભારતનાં પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર એમ.કે.નારાયણને પોતાના કાર્યકાળ દરમિયાન કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસ પર હુમલા બાદ એકશન લેવાની વાત કરી હતી, પરંતુ એ પછી કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતાં. તે પછી શિવશંકર મેનન પણ પાકિસ્તાનની ભીતર જઈ આક્રમક અભિયાન ચલાવવાથી બચતા રહ્યા. ૨૦૦૯માં જ્યારે મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે શમઅલ શેખમાં મળેલા શિખર સંમેલનમાં આ વાત સામે આવી ત્યારે તેમણે પાકિસ્તાનનાં આરોપો પર વાતચીત કરવાની વાત સ્વીકારી હતી. દેશમાં આ અભિગમનો સખ્ત વિરોધ થયો હતો.

બલૂચિસ્તાનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ દયનીય છે. પાકિસ્તાનમાં રહેતા માનવ અધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો અને શિક્ષણધિકાર પણ આ પ્રશ્ન ઉઠાવતા રહ્યાં છે. આ સંજોગોમાં ભારત માટે બલૂચિસ્તાન અંગેની રણનીતિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
પાકિસ્તાન પાસે ચીન જેવા મિત્ર છે પણ તેના દુશ્મનો પણ ઘણાં છે. અફઘાનિસ્તાનને પાકિસ્તાન માટે કોઈ જ લગાવ નથી. અફઘાનિસ્તાનને તાલિબાનીઓ સહુથી વધુ ત્રાસ આપે છે અને પાકિસ્તાનની સરહદી ભૂમિ તે તાલિબાનોનો ગઢ છે એ જ રીતે પાકિસ્તાનનાં ગ્વાદર બંદરનો જવાબ આપવા ભારતે ઈરાનના ચાબહાર બંદરના વિકાસ માટે સમજૂતી કરી છે. તે પછી ભારત અન ઈરાન વચ્ચે નજીકનાં સંબંધો વધી રહ્યા છે. એ જ રીતે બાંગ્લાદેશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બલૂચિસ્તાન પરના બયાનનું સમર્થન કર્યું છે. બલૂચિસ્તાનમાં થતા માનવ અધિકાર ભંગ અંગે છે. તે ટૂંકમાં જ નીતિ વિષેયક જાહેરાત કરવાનું છે.

પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા 'બી' ટર્ન જરૂરી છે ભૂતકાળમાં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદી અપાવી પાકિસ્તાનનાં એક ટુકડાને અદૃશ્ય કરી દીધો હતો. હવે બલૂચિસ્તાન શબ્દ પણ 'બી' થી જ શરૂ થાય છે. વડાપ્રાધન નરેન્દ્ર મોદી ધારે તો ગમે તેટલું જોખમ ઉઠાવીને ઇંદિરા ગાંધીની જેમ બલૂચિસ્તાનને આઝાદી અપાવી શકે તેમ છે તેમ બલૂચિસ્તાનની પ્રજા પણ માને છે.

અલબત્ત તેમાં જોખમ પણ એટલું જ છે બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે પાકિસ્તાન પાસે અણુબોમ્બ નહોતો. આજે તેની પાસે અણુબોમ્બ છે. આ માટે સીધી લશ્કરી કાર્યવાહી કર્યા વિના જ કૂટનીતિથી જ પાકિસ્તાનને બલૂચિસ્તાનનાં મુદે પછાડી શકાય. વડાપ્રધાનની આ નવી શરૂઆતને 'બી' ડોક્ટ્રિન કહી શકાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment