Monday 29 August 2016

[amdavadis4ever] વિજ્ઞાને જ્યારે આ ટલી મોટી છલાંગ માર ી છે ત્યા રે શું પ્ રાસંગિક છ ે આ કથાઓ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'રામચરિતમાનસ'માં ત્રણ શબ્દોનો પ્રયોગ થયો છે: 'કથા, લીલા, ચરિત્ર'. જે કથા છે એનું કથન કરવામાં આવે છે. જેમ કે હું બોલું કે તમે બોલો. કથામાં કથા મુખ્ય છે. લીલામાં મંચન મુખ્ય છે. લીલા જોઈ શકાય છે; અને ચરિત્ર એને કહેવાય છે, જે જીવવામાં આવે છે; જેને જીવવું પડે છે. કથાનું કથન કરતાં-સાંભળતાં, ભગવાનની મંગલમય લીલાનું દર્શન કરતાં વ્યક્તિના ચરિત્રનું નિર્માણ થાય છે. આજે રાષ્ટ્ર અને વિશ્ર્વની બહુ મોટી સમસ્યા છે; અનેક સમસ્યાઓ છે, એમાં બુદ્ધિમાન લોકો માને છે કે એક મોટો પ્રશ્ર્ન છે ચરિત્રનિર્માણનો. હું નવ દિવસ તમારી સામે બોલીને ચાલ્યો જઈશ, કથન થઈ જશે. તમે સાંભળ્યું, બહુ આનંદ આવ્યો, અવશ્ય; પરંતુ ચરિત્રનિર્માણ થવું જોઈએ. રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ થવું જોઈએ. એટલા માટે આ પુરાની કથાઓ, સનાતન કથાઓ, 'રામાયણ'ને એ બધા સદ્ગ્રંથ જરૂરી છે. આજના આ વૈજ્ઞાનિક યુગમાં, આજે વિજ્ઞાને જ્યારે આટલી મોટી છલાંગ મારી છે ત્યારે શું પ્રાસંગિક છે આ કથાઓ? આજે ઘણા બુદ્ધિમાન લોકો આવા પ્રશ્ર્નો પૂછે છે. હું તમને એક પ્રશ્ર્ન પૂછું: તમે કોઈપણ કાળમાં રહેતા હો, પણ ભોજન પ્રાસંગિક છે? ભોજન પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક પરિવારને, પ્રત્યેક ગામમાં કોઈપણ કાળમાં પ્રાસંગિક છે. એવી જ રીતે જે ભગવદ્ભજન છે, ભગવાનના ચરિત્રનું જે ભજન છે એ દરેક યુગમાં પ્રાસંગિક છે. તમે રામકથા કે કોઈપણ પવિત્ર ગ્રંથ લઈ લો, દરેક કાળમાં એ પ્રાસંગિક હશે. એ મિરર છે, એ મુગટ છે, એ અરીસો છે. કોઈપણ યુગનો માણસ એ અરીસામાં દર્શન કરશે તો એને પોતાનું પ્રતિબિંબ દેખાશે.

પુષ્પવાટિકાનો આખો પ્રસંગ રામદર્શનની એક વિધિ છે કે વ્યક્તિને રામ સુધી પહોચવું હોય તો પહોંચી શકાય અને રામને હું કોઈ એક અર્થમાં રજૂ નથી કરી રહ્યો. રામ એટલે સત્ય. યાદ રાખજો, પ્લીઝ, મારા રામ નાના નથી. રામ તત્ત્વ એટલે બહુ જ વ્યાપક તત્ત્વ, જેનો કોઈ છેડો નથી. રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા. સત્ય નહીં તો રામ નહીં; પ્રેમ નહીં તો રામ નહીં; કરુણા નહીં તો રામ નહીં. તો, રામ સુધી પહોચવું હોય તો પુષ્પવાટિકાની જે ઘટના ઘટી એ રૂપમાં આપણા જીવનમાં ચરિત્ર નિર્માણ કરવું પડશે. જેટલું આપણે કરી શકીએ એટલું કરીએ.

હું ઉપદેશક નથી. અલ્લાહ કરે, હું ઉપદેશક ન બનુ. મારી ખ્વાહિશ છે, પરમાત્મા પૂરી કરે. હું ઉપદેશક છું જ નહીં. હા, હું તમારી સાથે વાત કરું છું, સંવાદ કરું છું. મને જે લાગ્યું; સંતો પાસેથી, બુદ્ધપુરુષો પાસેથી, મારા સદગુરુ ભગવાન પાસેથી મને જે મળ્યું, એ વાતો તમારી સાથે શેર કરી રહ્યો છું. એને ઉપદેશ ન સમજતા. તમે પણ એના પર વિચાર કરજો. યુવાન ભાઈ-બહેનોને ખાસ કહું છું. મારું લક્ષ્ય વિશ્ર્વની યુવાજનતા છે. બૂઢા-બુઝુર્ગોને હું પ્રણામ કરું છું. તમે તો ઘણી દિવાળીઓ જોઈ છે, મારું લક્ષ્ય યુવાનો છે. ઉપનિષદમાં લખ્યું છે, '્રૂૂમળશ્ર્ન્રૂટ લળઢુ ્રૂૂમળદ્વ્રૂળક્ષર્ઇંીં' આજે યુવાની આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ રહી છે, એ ભગવદ્કૃપા છે; ભારત માટે એ મંગલ શુકન છે. આ કથા તમે ઘરમાં સાંભળો તો મોરારિબાપુને બંધ કરી શકો; એ.સી. રૂમ હોય; વચ્ચે-વચ્ચે ચા પી શકો, પાણી પી શકો; સૂઈને સાંભળી શકો; પગ લાંબા કરી શકો. છતાં પણ તમે ભરૌલના ખેતરમાં આવીને કથા શું કામ સાંભળો છો? અને આ યુવાનોને કોઈ કામ નથી? હું કહું તો પણ તમે નહીં જાઓ! એનો મતલબ દેશની યુવાનીને ચરિત્રનિર્માણમાં રુચિ જાગી છે. બર્નર તપેલું છે. કોઈ એક દીવાસળી મૂકી દે તો આગ લાગવામાં વાર નહીં લાગે. એક શે'ર સંભળાવું?

ઈલણજ્ઞ ડજ્ઞઈંટજ્ઞ વિ પૂઙજ્ઞ ડળ્અળઅળૂ લજ્ઞ ધફ રુડ્રૂળ

પેંણજ્ઞ ટળજ્ઞ અધિ લઘડળ ધિ ણવિં રુઇં્રૂળ ઠળ

મારા સદ્ગુરુએ, મારા સાંઈએ મારી તરફ માત્ર જોયું; મારા તપેલા અંત:કરણમાં જ્ઞાનાગ્નિ પ્રગટ થયો; એક જિજ્ઞાસા પ્રગટ થઈ; ચરિત્રનિર્માણની એક વૃત્તિ પ્રગટ થઈ.

યુવાન ભાઈ-બહેનો, હું ઉપદેશ નથી આપી રહ્યો. હું તમારી સાથે જ છું. જેટલું આપણે લોકો કરી

શકીએ એટલું કરીએ. તમે પ્રસાદ લો. ભોજન કરો, એ પણ ભજન છે. ચિંતા કરશો નહીં. જગદંબાનો પ્રસાદ છે. મા જાનકીનો પ્રસાદ છે. કોઈને હલકાં ન સમજવાં. ભગવાન વશિષ્ઠજીનું બંધન પણ છૂટ્યું અને ગૂહને ગળે લગાવ્યો. રામે તો લગાવ્યો જ લગાવ્યો; ભરતે પણ લગાવ્યો; આખી દુનિયા જેમની પાસે માગે છે એ ભગવાન રામે નિષાદ પાસે ભીખ માગી એ ભૂલવું નહીં. ભગવાને કેવટ પાસે નાવ માગી અને કેવટે ઉતરાઈ પણ ન લીધી. એ કથાથી તમે પરિચિત છો. મેં એ માતાજી પાસેથી રોટી મેળવી. કોઈ તિરસ્કૃત ન સમજવા. અહીં કોઈ નિકૃષ્ટ નથી. મારી બે હાથ જોડીને આપને, આખા રાષ્ટ્રને પ્રાર્થના છે કે કોઈને હલકાં ન સમજવાં. મારું સ્પષ્ટ નિવેદન છે કે બીજાને જે હલકાં સમજે છે, એના જેવું હલકું બીજું કોઈ નથી.

તો યુવાન ભાઈ-બહેનો કથામાં આવી રહ્યાં છે; નહીંતર ઘરમાં ટી.વી. છે, આધુનિક વિજ્ઞાને જે સુવિધા કરી આપી છે એ મુજબ ઈન્ટરનેટ પરથી પણ તમે સાંભળી શકો છો. છતાં પણ ગરમીમાં શું કામ બેઠા છો? એનો મતલબ છે કે માણસની અંદર કોઈ આગ બળી રહી છે. એનું અજવાળું કરો. હિન્દી સાહિત્યજગતના એક બહુ પ્રસિદ્ધ શાયર થયા, ગઝલકાર થયા, એનું નામ હતું દુષ્યંતકુમાર; એ નાની ઉંમરમાં ચાલ્યા ગયા! એમની પંક્તિઓ છે-

વળજ્ઞ ઉંઇૃ વે ક્ષફિ ક્ષમૃટ-લિ રુક્ષઊંબરુણ ખળરુવઊ,

ઇલ રુવપળબ્રૂ લજ્ઞ ઇંળજ્ઞઇૃ ર્ઉંૈઉંળ રુણઇંબણિ ખળરુવઊ 

પજ્ઞફજ્ઞ લણિજ્ઞ પૂ ણવિં ટળજ્ઞ ટજ્ઞફજ્ઞ લણિજ્ઞ પૂ લવિ,

વળજ્ઞ ઇંવિં ધિ અળઉં, બજ્ઞરુઇંણ અળઉં ઘબણિ ખળરુવઊ 

એક પ્રકાશ હોવો જોઈએ. મારો ઈરાદો શું છે, એ નક્કી હોવું જોઈએ. પછી આ સૂરત બદલવી જોઈએ. ચરિત્ર નિર્માણની વાત છે.

સંકલન : જયદેવ માંકડ

(માનસ ધનુષજગ્ય,૨૦૧૫)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment