Wednesday 31 August 2016

[amdavadis4ever] બધા લોકો સારા હો ય એવું પણ જરૂરી ન થી : ચિંતનની પળે – કૃષ્ણક ાંત ઉનડકટ [2 Attachments]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બધા લોકો સારા હોય

આપણને ક્યારેક એવું થતું હોય છે કે કોઈ ઉપર ભરોસો કરવા જેવું જ નથી. આવો વિચાર આવે ત્યારે તમે તમારી જાતને એવો સવાલ પૂછજો કે હું ભરોસો કરવા જેવો માણસ છું? જો એનો જવાબ હા હોય તો માનજો કે એકાદ-બે અનુભવો પરથી બધા માણસો ઉપર ચોકડી મૂકી દેવા જેવું હોતું નથી. બધા સારા હોય એવું જરૂરી નથી. બધાને ખરાબ માની લેવા જેવું પણ નથી. ફૂલ હોય ત્યાં કાંટા હોય જ છે. ગામ હોય ત્યાં જેલ હોય જ છે. જેલ એ વાતની સાબિતી છે કે દરેક વ્યક્તિ શહેરમાં રહેવા માટે લાયક નથી. બદમાશ લોકો હોવાના જ છે. અગાઉના જમાનામાં પણ હતા અને જ્યાં સુધી જગત છે ત્યાં સુધી રહેવાના છે. અગાઉ રાક્ષસો હતા. હજુ પણ છે. રાક્ષસના માથે શિંગડાં હોતાં નથી. એના ડોળા મોટા અને રાતા હોતા નથી. એનું હાસ્ય ક્રૂર હોતું નથી. રાક્ષસ તો એક કલ્પના છે, પણ આ કલ્પનાને સાચી પાડે એવા લોકો ચોક્કસપણે હોય છે. અમુક માણસની અંદર જ એક રાક્ષસ વસેલો હોય છે, જે મોકાની તલાશમાં જ હોય છે.
કોઈ છેતરે ત્યારે આર્થિક નુકસાન તો સહન થઈ શકતું હોય છે, પણ સંબંધો તૂટે ત્યારે એની વેદના વર્ષો સુધી અને ઘણી વખત આજીવન વર્તાતી હોય છે. પ્રેમ, દોસ્તી અને દિલના સંબંધો પર જ્યારે ઘા લાગે છે ત્યારે માણસ આખેઆખો તૂટી જતો હોય છે. આપણે જેને જીવવાનું કારણ માનતા હોઈએ એ જ માણસ તકલાદી નીવડે ત્યારે માણસજાત ઉપરથી ભરોસો ઊઠી જતો હોય છે. દરેક બેવફાઈનું કારણ મજબૂરી નથી હોતું અમુકનું કારણ દાનત હોય છે. મજબૂરીને હજુએ માફ કરી શકાય, પણ દાનતનો ડંખ ઘણી વખત દૂઝતો રહે છે અને આપણને વલોવતો રહે છે. અગ્નિની સાક્ષી પણ દરેક વખતે સાચી નથી પડતી. દરેક સંબંધનો અંત સુખદ હોતો નથી અને સુખદ હોય એવા સંબંધનો અંત જ હોતો નથી.
રસ્તા ફંટાતા હોય છે. માણસ બદલતા હોય છે. એની સાથે એક સત્ય એ પણ હોય છે કે કોઈ એક વ્યક્તિના જવાથી જિંદગીનો અંત નથી આવતો. સુખનો અંત નથી આવતો. જિંદગીની કથાનું એકાદ ચેપ્ટર, એકાદ કેરેક્ટર નબળું આવી જાય તેનાથી જિંદગીને જતી કરી દેવી ન જોઈએ. મારી કથાનો લેખક કે લેખિકા હું છું. એનો અંત પણ મારી ઇચ્છા મુજબનો જ હશે. જિંદગીમાં નરસા માણસો ક્યારેક ને ક્યારેક તો ભટકાઈ જ જવાના છે, એનાથી જિંદગી અટકવી ન જોઈએ, જિંદગી ભટકવી ન જોઈએ. કોઈ એકાદ વ્યક્તિના કારણે દુનિયા કે નસીબને દોષ ન દો. જિંદગીની મજા એમાં જ છે કે અમુક વ્યક્તિ અને અમુક ઘટનાને ભૂલીને આગળ નીકળી જવું. ભૂતકાળમાંથી નીકળીએ તો જ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ અને તો જ વર્તમાન સાથે તાલ મિલાવી શકીએ. કોઈ ઘટનાથી રોકાઈ ન જાવ, એનાથી આગળ નીકળી જાવ. સુખ માટે અઢળક કારણો હોય છે અને તેને ઓળખવા માટે દુ:ખનાં કારણોને વિદાય આપવી પડે છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ અને હતાશાને હટાવશો નહીં ત્યાં સુધી આનંદ, ખુશી, સુખ અને ઉત્સાહનો અણસાર નહીં આવે!

 


--


 


__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
31 AUGUST 2016 49.jpg 49.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment