Wednesday, 5 October 2016

[amdavadis4ever] જાતિંગા: હજારો પં ખીઓને ભરખ ી જતું ગામ .....પંખીઓની વર્તણૂ કનું રહસ્ ય ઉકેલાયું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેટલીક ઘટનાઓ ખરેખર આપણી સમજથી પરે હોય છે. કદાચ આ જ કારણથી આપણાં પૂર્વજોએ કહ્યું હશે કે, "જ્યારે, જ્યાં વિજ્ઞાન અને તર્કનો અંત આવે છે ત્યારે, ત્યાં શ્રદ્ધાનો જન્મ થાય છે. ભારત જેવા વિશ્ર્વના સૌથી પ્રાચીન દેશ માટે તો ખરેખર એમ કહેવું પડે કે, 'આ દેશમાં અનેક એવી ઘટનાઓ ઘટી હોવાના તથા હજી આજે પણ ઘટતી હોવાના કિસ્સા, કહાની અને પુરાવાઓ મળે છે કે જે આપણાં તર્ક, વિજ્ઞાન અને સમજથી ક્યાંય વિશેષ છે.' આપણે આગળ પણ કહ્યું છે તેમ આ કોલમ દ્વારા ભૂત-બાધા કે એવી કોઈ બાબતો વિશે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે તો માત્ર દેશ અને દુનિયામાં જોવા, જાણવા કે સાંભળવા મળતા એવા સ્થળોની વાતો જ કહેતા હોઈયે છીએ જ્યાં કંઈક પારલૌકિક, કંઈક એવું કે જે સામાન્ય સંજોગોમાં ખાસ બનતું હોય તેવું જાણવા મળતું નથી. અથવા કંઈક એવી ઘટના કે કહાની કે જે રોમાંચક લાગતી હોય અને તેની સાતત્યતા ચકાસવાની આપણને ઈચ્છા થઈ આવે.

આવી જ એક ઘટના આપણા જ દેશના એક જાણીતા વિસ્તારમાં, ક્યારેક નહીં પણ દર વખતે ઘટતી રહેતી હોવાનું જાણવા મળે છે. અને આ વાત પણ પાછી આજ-કાલની નથી તે સ્થળે આ ઘટના વર્ષોથી ઘટતી આવી છે. આ કહાની છે આપણાં જ દેશના ઉત્તર-પૂર્વમાં આવેલા પ્રકૃતિની સાવ નજીક કહી શકાય એવા આસામ રાજ્યની. આસામના કાચાર હિલ્સ ડિસ્ટ્રિક્ટની ઉત્તરમાં જાતિંગા નામનું એક ગામ છે. ખૂબ જ પ્રખ્યાત એવા પર્યટન સ્થળ ગુવાહાટીથી દક્ષિણે આવેલું આ જાતિંગા ગામ કુલ ૩૩૦ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. આપણાં વાચકમિત્રોમાંના ઘણાંએ ક્યાંકને ક્યાંક થોડી-ઘણી વાતો આ જાતિંગા વિશે વાંચી હશે. પરંતુ જેમણે કંઈ જ નથી વાંચ્યું કે જેમને આ ગામ વિશે કંઈ જ ખબર નથી એવા મિત્રોને જણાવવાનું કે ભારત દેશના આસામ રાજ્યમાં આવેલા આ ગામને "બર્ડ સ્યુસાઈડ વિલેજ" તરીકે પણ ઓળખવામાં આવે છે. અચ્છા, આ ગામ વિશેની વાતો હમણાં જ, આ સમયે જ આ કોલમ દ્વારા કરવાનું એક કારણ એ પણ ખરું કે, આપણે અહીં ઘટતી જે ઘટના વિશે વાતો કરવાના છીએ એ ઘટના કંઈક હાલના સમયની આસ-પાસ જ ત્યાં ઘટે છે. એટલે કે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાના આરે હોય તે સમય દરમિયાન જ. અહીં કંઈક એવું ઘટે છે કે જે વિજ્ઞાન અને બીજા તાર્કિક ગણાવી શકાય તેવાં કારણોથી ક્યાંય પરે છે.

આ અજીબોગરીબ ગામની, અજીબોગરીબ ઘટના વિશે થોડી વિગતે વાત કરીએ. ચોમાસાની ઋતુ તેના અંતિમ ચરણમાં હોય એવા મહિનાઓમાં, અને તેમાંય ખાસ કરીને અમાસની રાત એટલે કે ચંદ્રમાવિહોણી રાત થવાની હોય તે દિવસની સાંજથી જ જાણે આ આખાય ગામના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ગંભીરતા અને ડરનો માહોલ છવાઈ જાય છે. આસામના જાતિંગા ગામમાં રહેતા લોકોને ખબર હોય છે કે આજની આ કાતિલ રાતે તેમનું ગામ હજારો જીવના મૃત્યુનું સાક્ષી બનવાનું છે. આવનારી સવારે કોઈ એક-બે નહીં પણ જ્યાં નજર પડે ત્યાં હજારો નિર્દોષ જીવ ખોઈ બેઠેલાં ખોળિયાં પડ્યા હશે, તે વાત આ ગામના નાના-મોટાં સૌ જાણતા હોય છે. અને આ વાત આખુંય ગામ જાણતું હોવા છતાં તેઓ કંઈ જ કરી નથી શકવાના તે વાતની લાચારી તેમને અકળાવી મૂકવાની છે. જી હાં, જાતિંગા ગામમાં ચોમાસાના અંતિમ દિવસોમાં આવતી અમાસની રાત વર્ષોથી અનેક નિર્દોષ જીવો માટે વિનાશક રાત સાબિત થતી આવી છે. હજારો પંખી અહીં અકારણ આ રાત અને તેની આસ-પાસની બીજી અનેક રાતોએ પોતાના જીવ ખોઈ બેસે છે. નવાઈની વાત એ છે કે, આ પ્રકારની ઘટના અહીં વર્ષોથી બનતી હોવા છતાં, શા માટે દર વર્ષે આટલી મોટી સંખ્યામાં અનેક જાતિ-પ્રજાતિના પક્ષીઓ અહીં આવવાનું ચાલુ રાખતા હશે! આ સમય દરમિયાન આટલી મોટી સંખ્યામાં કેમ પંખીઓ અહીં આવવાનું બંધ નહીં કરતા હોય જ્યારે કે તેમને ખબર છે કે આજની રાત્રે તેમનો જીવ નહીં બચે. શા માટે આ નિર્દોષ પક્ષીઓ તેમનો જીવ આ રીતે અચાનક મૃત્યુમાં હોમી દેતા હોય છે?

આ અસામાન્ય ફિનોમીના આખાય દેશ અને વિશ્ર્વની નજરમાં આવ્યો વર્ષ ૧૯૬૦ બાદ, જ્યારે નેચરાલિસ્ટ ઈ.પી. ગીએ વિશ્વ કક્ષાએ આ અજીબ ઘટનાની જાહેરાત કરી. વાત કંઈક એવી છે કે ઈ.પી.ગીને આપણા દેશના જાણીતા ઓર્નીથોલોજિસ્ટ સલીમ અલી તે સમય દરમિયાન આ જ રીતની એક અમાસની સાંજે જાતિંગા લઈ ગયા હતા. તેમને રૂબરૂમાં તેમણે આ સામૂહિક મોતનો નજારો દેખાડ્યો. ઈ.પી.ગી આ પ્રકારનો માનવામાં નહીં આવે તેવો નજારો જોઈ દંગ રહી ગયા. તે અમાસની રાત પછીની સવારે તેમણે જોયું તો ટાઈગર બીટન પક્ષીથી લઈને બ્લેક બીટન, કિંગફીશર, ગ્રીન પીજન, એમરલ્ડ ડોવ જેવા અનેક જાતિના પક્ષીઓ જાતિંગાની ભૂમિ પર મૃત હાલતમાં પડ્યા હતા. સલીમ અલી અને ઈ.પી.ગીએ આ આખીય ઘટનાનું ઝીણવટપૂર્વક વિશ્ર્લેષણ કરવાનું નક્કી કર્યું. તેમણે આખાય જાતિંગા ગામનો, ત્યાંના વાતાવરણનો, પવનની સ્પીડ અને દિશાથી માંડીને ધુમ્મસ અને ભેજ સુધ્ધાં તમામ પરિબળોનો ખૂબ જ વિગતે અભ્યાસ કર્યો. અને આ લાંબાલચક અભ્યાસ બાદ આ બંને તજજ્ઞો એ નિર્ણય પર પહોંચ્યા કે, ચોમાસાની ઋતુની અમાસની અંધારી રાત દરમિયાન અહીં, આટલી ઊંચાઈએ પવનની ઝડપ ખૂબ જ વધી જાય છે અને અને તે પવનના ઝપાટાનો વ્યાસ એટલી મોટી જગ્યામાં ફેલાઈ ગયેલો હોય છે કે, પવનની દિશા અને ઝડપના સહારે જ ઊડતા આ પંખીઓ વાતાવરણમાં આવેલા આ અચાનક મોટા ફેરફારને અનુરૂપ થઈ શકતા નથી અને તેથી તેઓ દિશાભાન ભૂલી બેસે છે અને વાંસના કે એવા પ્રકારના બીજા થાંભલા વગેરે સાથે અથડાઈ પડે છે. પરંતુ વિજ્ઞાન અને બીજા તાર્કિક ગુણધર્મોનો અભ્યાસ કરતા અનેક લોકો અને સંસ્થા સલીમ અલી અને ઈ.પી.ગીના આ અભ્યાસ અને તારણથી સંતુષ્ટ નહોતા. તેમને લાગતું હતું કે, તેઓના અભ્યાસમાં હજીય કેટલીક મહત્ત્વની કડીઓ ખૂટે છે તથા તેમણે આ વિશ્ર્લેષણમાં બીજી અનેક મહત્ત્વની ચીજ-વસ્તુઓ કે કારણોને ધ્યાનમાં નથી લીધાં. જેમકે, આ પક્ષીઓના મૃત્યુમાં એવું જોવાયુ હતું કે, મરી ગયેલા તમામ પંખીઓ તે અંધારી રાતમાં તેમને જ્યાં, જે તરફ પ્રકાશ કે લાઈટનો થાંભલો દેખાય તે તરફ જ ઊડીને આવતા હતા. અને કદાચ આટલી મોટી સંખ્યામાં પંખીઓ એક જ તરફ એક જ દિશામાં ઊડીને આવતા હોવાને કારણે જ તેમનું મૃત્યુ થયું હોઈ શકે. પરંતુ આ મુદ્દા કે તર્કમાં પણ મહત્ત્વની વાત એ હતી કે ગભરાયેલા પંખીઓ શા માટે તેમને દેખાતા પ્રકાશ તરફ ઉતાવળે ઊડીને આવી રહ્યા હતાં?

આથી વધુ અભ્યાસાર્થે આપણા દેશના ઝૂઓલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સુધીર સેનગુપ્તા નામના એક ઝૂઓલોજિકલ એક્સપર્ટને જાતિંગા મોકલવામાં આવ્યા. તેમણે નવેસરથી ફરી એકવાર આખાય જાતિંગાનો અને આ હજારો પંખીઓના મૃત્યુની ઘટનાનો અભ્યાસ આરંભ્યો. તેમના આ નવેસરથી હાથ ધરાયેલા અભ્યાસમાં શું મળ્યું અને તે સિવાય એવા બીજા કયાં કારણો હતા જેને લીધે આ રીતે અનેક નિર્દોષ પંખીઓ મૃત્યુને ભેટતા હતાં. શું ખરેખર આ માટે કોઈ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હતું, ઝૂઓલોજિકલ કારણો હતા કે પછી બધાંથી વિશેષ કોઈ બીજું જ કારણ આમ આ પંખીઓને ભરખી જતું હતું? તે વિશેની આ રસપ્રદ ચર્ચા હજી અધૂરી છે.


જાતિંગા ગામમાં ચોમાસાની ઋતુના અંતિમ દિવસોમાં આવતી અમાસની રાત અને તેની આજુ-બાજુના દિવસોમાં કયા કારણથી આટલી મોટી સંખ્યામાં અનેક નિર્દોષ પંખીઓના મૃત્યુ થઈ જાય છે તે વિશેના કારણો શોધવામાં સુધીર સેનગુપ્તા કામે લાગી ગયા હતા. આ રિસર્ચમાં નવી એક વાત એ પણ જાણવા મળી કે આ જે પંખીઓના અહીં મોત થાય છે તેમાંના મોટા ભાગના પક્ષીઓ નાની વયના એટલે કે નવું નવું ઊડતા શીખ્યા હોય એવા પંખીઓના બચ્ચાં હોય છે તથા આ પંખીઓ ત્યાં જ વસવાટ કરતા હોય તેવા નહીં, પરંતુ ભારતના બીજા વિસ્તારોમાંથી અથવા ભારત બહારથી અહીં આવ્યા હોય છે. તો વળી એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થતો હતો કે શું અહીં આ બધા પંખીઓ શું માત્ર મોતને ભેટવા માટે જ આવતા હશે? અને જો ખરેખર એવું હોય તો તેની પાછળનું કારણ શું હોય શકે? 

હવે આ આખાય રિસર્ચમાં ફરી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો તારણ એ જ બાંધવામાં આવ્યું કે આ સમય દરમિયાન અહીં પવનની ઝડપ અને જોર એટલું વધુ હોય છે કે આ બધા પક્ષીઓ તેમની ઊડવાની દિશા ખોઈ બેસે છે અને પોતાની ઉડાન પર કાબૂ રાખી શકતા નથી વળી આ બધામાં એક અજીબ ઘટના એ હતી કે જો પંખી ખરેખર જ પોતાની ઉડાન પર કાબૂ નહીં રાખી શકતા હોય તો પછી તેઓ બધા જે તરફ કે જ્યાં પ્રકાશ દેખાતો હોય તે તરફ જ શા માટે ઊડી આવે છે? પરંતુ આ રિસર્ચમાં એક નવો શબ્દ ઉમેરાયો હતો અને તે હતો 'મેગ્નેટીક પાવર' સેનગુપ્તાના રિસર્ચમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારમાં આ સમય દરમિયાન કોઈક એવો જબરદસ્ત મેગ્નેટીક પાવર ઊભો થાય છે જેને કારણે આ પંખીઓ આ રીતની વર્તણૂક કરતા હોય છે. હવે આ બધા રિસર્ચ વર્કની સાથે એક માન્યતા કહો કે કોઈક અલગ પ્રકારનો અભ્યાસ કહો, પરંતુ એ વાત બહાર આવવી શરૂ થઈ કે, સામાન્ય રીતે કોઈ માણસ કોઈપણ પેરાનોર્મલ શક્તિ કે શેતાન કે આત્માની શક્તિને ઓળખી શકે તેના હજારોગણી વધુ સંવેદનશીલતાથી પ્રાણીઓ કે પક્ષીઓ આ શક્તિઓનો અનુભવ કરી શકતા હોય છે અથવા તેમને આ શક્તિ માણસો કરતા વધુ સ્પષ્ટ રીતે અને ઘણી વહેલી દેખાતી હોય છે. અને અહીં આ પંખીઓના અકાળ મૃત્યુ માટે આ જ એક સૌથી મોટું કારણ જવાબદાર છે. લોકો એમ કહેવા અને માનવા માંડ્યા કે અમાસની રાતની સાંજ કે તેની આસ-પાસની રાતની સાંજે તેમાંય ખાસ કરીને સાંજના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયમાં આ શેતાની શક્તિ વધુ શક્તિશાળી થઈને બહાર આવતી હોય છે અને તેને કારણે જ અહીં આ રીતે આટલી મોટી સંખ્યામાં પંખીઓ તેની શક્તિ હેઠળ આવી જતા હોય છે, તે મજબૂર થઈ જતા હોય છે અને તેમના મોત થતા હોય છે. મતલબ કે, પંખીઓ મૃત્યુને નથી ભેટતાં, પરંતુ આ શૈતાની શક્તિ તેમને આ રીતે સ્યૂસાઈટ કરવા માટે મજબૂર કરતી હોય છે.

હવે આ ઉપરના વાક્યો વાંચવા સ્વાભાવિક છે વાચકમિત્રોને વિચાર આવશે કે આ કઈ રીતે શક્ય છે? માણસો આત્મહત્યા કરતા હોય એ વાત માની શકાય, કારણ કે માનવી જન્મ, જીવન કે મરણ જેવા વિષયો વિશે વિચારી શકે છે અને એથી જ આ બાબતો વિશે તે સંવેદનશીલ પણ છે. ક્યારેક કોઈ વિકટ સંજોગોમાં માનવી આત્મહત્યા જેવા કૃત્ય અંગે નિર્ણય લઈ લેતો હોય અને પોતાનો જીવ લઈ લેવા જેવી ન કરવા જેવી પ્રવૃત્તિ કરી બેસતો હોય છે, પરંતુ પંખી? પંખી વળી કઈ રીતે આત્મહત્યા વિશે વિચારી પણ શકતા હશે? પરંતુ આ સાવ સાચી વાત છે. જાતિંગા વેલીમાં કોઈ અકળ પરિસ્થિતિ કે લોકો કહે છે અથવા માને છે તે પ્રમાણે કોઈ શેતાની શક્તિ આ પંખીઓને આમ કરવા માટે મજબૂર કરતી હોય છે.

અહીં જાતિંગામાં જ રહેતાં લોકોના મોઢે કહેવાયેલા કેટલાંક કિસ્સા જાણીશું તો કદાચ થોડી વધુ માહિતી મળશે. જાતિંગા વેલીમાં જ રહેતા એક પરિવારે કહેલી આ ઘટના છે. ચોમાસાની ઋતુનો મધ્યભાગ હતો જ્યારે આ પ્રિવારમાં એક બાળકનો જન્મ થયો. બાળક તંદુરસ્ત હતું, શારીરિક રીતે તેને કોઈ જ તકલીફ નહોતી, પરંતુ એક અનહોની સર્જનારી મેઘલી રાત આવી, જે સાંજે આખીય વેલી ઘનઘોર ધુમ્મસના ઓછાયા હેઠળ આવી ગઈ હતી. તે રાત્રે આખી રાત જબરદસ્ત વરસાદ પડ્યો. આ પરિવારના સભ્યોનું કહેવું હતું કે, સમજાતું નહોતું શું થયું હતું, પરંતુ તે દિવસની સવારથી જ અમારા ઘરમાં તે નવું જ જન્મેલું બાળક ખૂબ રોડારોળ કરવા માંડ્યુ. ભૂખ લાગી હશે તેમ વિચારી તેની માએ તેને ધાવણ કરાવવા વિચાર્યું તો તે સ્તનપાન પણ નહોતું કરી રહ્યું, તેમણે બાળકને તાવ તો નહીં આવતો હોય ને એમ વિચારી શરીર ચકાસ્યું તો તાવ જેવું પણ કઈ નહોતું. ઘરની કોઈ વ્યક્તિને સમજાતું નહોતું કે તેને શું થયું હશે. બસ આ નાનકડું બાળક સતત રડ્યે જતું હતું. જાતિંગા વેલી ગામમાં ધીમે ધીમે અંધારાનું સામ્રાજ્ય સ્થપાતું જઈ રહ્યું અને ઘરમાં રડી રહેલું આ બાળક કેમેય કરી શાંત નહોતું થઈ રહ્યું. અને અચાનક તે ઘરની દીવાલ અને બારણાની સામે એક સાથે ત્રણ ચાર પક્ષીઓ ઊડીને આવી ચઢ્યા, તે પક્ષીઓએ જાણે તેમનું શરીર દીવાલ સાથે અથડાવવા માટે જ આટલા જોશમાં ઊડીને આવ્યા હોય તેમ તે પક્ષીઓ તેમના ઘર જોડે અથડાયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. ઘરવાળા આ જોઈને અચંબિત થઈ ગયા, પરંતુ પેલું બાળક, અચાનક તેનું રડવાનું બંધ થઈ ગયું અને જાણે બહાર શું બન્યું છે તે જાણવા માગતું હોય તેમ તેની આંખો ચકળ-વકળ થવા માંડી. તે રડતું બંધ થઈ ગયું અને શાંત થઈ આખો દિવસ રડવાથી થાકી ગયું હોય તેમ ઊંઘી ગયું. તેના પિતા બહાર પડેલાં પક્ષીઓને જોવા ગયા અને આ સમયે તેમણે જોયેલા એક અજીબ બનાવ વિશે તેમણે કહ્યું કે, 'વીજળીના કડાકા થતાં હતા તે પ્રકાશમાં મેં કોઈ આકૃત્તિ મારા ઘરમાંથી નીકળી અને દૂર હવામાં ક્યાંક ઓગળી ગઈ હોય તેમ મને લાગ્યું.' હવે આ આખોય કિસ્સો માત્ર એક મનઘડંત કહાની છે કે, સાચે જ આવું કંઈક બન્યું હતું એ તો ખેર ચર્ચા, તર્ક કે દલીલનો વિષય છે, પણ એક વાત ચોક્કસ છે કે, સરકારી કાગળો ભલે ગમે તે વૈજ્ઞાનિક કારણો સામે ધરતા હોય, પરંતુ જાતિંગા ગામના લોકો માને છે કે, આ હજ્જારો નિર્દોષ પંખીઓના મોતની ઘટના પાછળ કોઈ શેતાની શક્તિ છે જે અમાસની રાત અને તેની આસપાસના સમયમાં અહીં દેખા દે છે.

વાત સાચે જ માનવામાં નહીં આવે તેવી છે. હું જ્યારે આ લખી રહ્યો છું મને પણ હજી આ વાત માનવામાં નથી આવતી અને મારા દિમાગમાં અનેક તર્કો આ બાબતે મારી સાથે દલીલ કરી રહ્યા છે, પણ સાથે જ એક વાત તો આપણે બધાએ જ માનવી પડે તેમ છે કે, પંખીઓના સામૂહિક મૃત્યુની ઘટના અહીં વર્ષોથી બને જ છે અને તે સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી કારણ કે ભૂત પ્રેતની વાતો ભલે માત્ર એક ખોટી માન્યતા હોય, પરંતુ પંખીઓના આ મોતની ઘટના તો સરકારે ચોપડે નોંધાયેલી ઘટના છે તેથી તેને તો નકારી શકાય તેમ નથી જ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment