Saturday 29 October 2016

[amdavadis4ever] મનખો સુધરી ગયો!: પવિત ્ર ખોળિયું જાણે પસ્તાવ ાનાં આંસુથ ી ધોવાઈ રહ્ યું છે Raghavji Madhad

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મનખો સુધરી ગયો!: પવિત્ર ખોળિયું જાણે પસ્તાવાનાં આંસુથી ધોવાઈ રહ્યું છે


ત્યાં ડેલીનો ભોગળ ભડભડ્યો. તંદ્રામાં વાંભ એકની તિરાડ પડી. મોં કટાણું કરીને જોયું, કોઈ ગરીબડો જણ ડરતો હોય એમ પગલાં ભરતો હતો. તેને ગામધણી આગળ બારોટની રાવ કરવી છે, હૈયાનો ધખારો ઓછો કરવો છે પણ જીભ ઉપડેતો ને!? કોનો દી' ફર્યો હોય તે રાવ-ફરિયાદ કરે! કારણ એટલું જ કે બારોટ રાણીંગદેવ માનીતું મનેખ. નાનપણમાં માવતરની છત્રછાયા ગુમાવેલી તે વડ ગામે મોટા થયેલા. બારોટની જીભે મા સરસ્વતીનાં બેસણાં. બારોટ બોલેને કવિત્વ ઝરણા જેમ ખળખળ વહેવા લાગે. વળી આંગળીનાં ટેરવે એટલું જ કામણ. સિતાર વગાડવા બેસે ત્યારે સૂરનું રસપાન કરવા મનેખ તો ઠીક, વંઠેલ વાયુ પલાંઠી વાળીને બેસી જાય, ઝાડ પણ સરવા કાને સાંભળવા લાગે!
એમાં વખતને વાત રાખવી હોય એમ પ્રભાત પહોર છે. ભગવાન આદિત્ય નારાયણ ઉજાસનો સોફાળ પાથરીને બેઠા છે. આવા કૂણા ને ઊજળા ટાણે બારોટ સિતાર સાથે શબ્દની ગોઠડી કરવા લાગ્યા છે. સિતારના સૂર અને બારોટના કંઠને જાણે ભવપુરાણી પ્રીત હોય, જુગોજુગની જોડી હોય એમ એકમેકમાં ઓગળી કોઈના કાળજાને વીંધી રહ્યા છે. ઓઘડ વાળા સઘળું વિસારે પાડી, ભીતરની ભ્રાંતિ ભાંગે એવી વાણીને એક કાને ને ધ્યાને સાંભળે છે. ભજનના શબ્દો હતા: 'તું વારજે, વારજે.. તારા મનના વેગને વારજે...' ભજન પૂરું થયું એટલે મનમાં મમળાવીને દરબારે કહ્યું: 'બારોટ, તમારી વાણી પથ્થરને પણ પલાળી દે એવી છે પણ..' સહેજ અટકી, બરાબરનો લાગ જોઈને શબ્દનો ઘા કરતા કહ્યું: 'આ વાણી ને વર્તન એક થાય તો મનખો સુધરી જાય, ભવ તરી જવાય..' બારોટનો લય તૂટી ગયો. તે ઓઘડ વાળા સામે જોઈ રહ્યા.

ઇશ્વરિયાને છેલ્લી વેળાના રામ.. રામ.. કરી બારોટ પિયાવા ગામે દેવીદાસના આશ્રમે આવ્યા. દેવીદાસે બારોટને આશ્રમમાં આવતા દીઠા અને જાણે મોંમાંથી નીકળી ગયું: 'આવ્ય, આવ્ય...રાભડા..' આગળનો શબ્દ સાંભળવા જેવો નહોતો. જે શબ્દના મરમી, જાણતલને બરાબરનો હૈયે વાગી ગયો. કહેવું જરાય ખોટું નહોતું. પોતે મનેખ મટીને ન કરવા કાળાં કામ કરવા લાગ્યા હતા. ભોળુંડા મનેખને રંજાડી, દેહને અભડાવવા લાગ્યા હતા. 
બારોટ જેમ લાકડી પડે એમ દેવીદાસબાપુનાં ચરણોમાં પડી ગયા અને ગદ્્ગદિત સ્વરે બોલ્યા: 'બાપુ, હું મારગ ભૂલ્યો, મને મારગ દેખાડો...' બાપુએ જોયું તો બારોટનો મુખવટો બદલાઇ ગયો છે. આંખોમાંથી નહીં પણ અંતરમાંથી ચોધાર આંસુ વરસે છે. પરભવનું પવિત્ર ખોળિયું જાણે પસ્તાવાનાં આંસુથી ધોવાઇ રહ્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment