Sunday 30 October 2016

[amdavadis4ever] ખરેખર કોની સાથે છેતરપિંડી કરે છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસ ખરેખર કોની સાથે છેતરપિંડી કરે છે?

પોતાના ખોટા ભપકાથી બીજાને આંજી દેવાનો પ્રયત્ન કરનાર કોઈક વ્યક્તિના પરિચયમાં તમે પણ ક્યારેક તો આવ્યા જ હશો. પોતે ખૂબ જ ધનવાન છે અને પોતાને પૈસાની કાંઈ પડી નથી એવો દેખાવ કરનાર કોઈક મહાનુભાવનો ભેટો ક્યારેક તો તમને થયો જ હશે. અને પછી તમને ખબર પડી હશે કે એ વ્યક્તિ એ બધી છળબાજી માત્ર વધારે પૈસા મેળવવા માટે જ કરતી હતી. પોતાની શક્તિ નહીં હોવા છતાં એકને બદલે બે કાર રાખવી, ભપકાદાર મોંઘા કપડાં પહેરવાં, મોટી હોટેલમાં ઊતરવું, મોટી મોટી વાતો કરવી.- એ બધું આવી વ્યક્તિઓ માટે સામાન્ય બની ગયું હોય છે, કારણ કે એ લોકો માનતા હોય છે કે લોભિયા હોય ત્યાં એમને કયારેય કોઈ વાંધો આવતો નથી અને હકીકતે એક યા બીજા પ્રકારના લોભિયાઓ આવા લોકોના ફંદામાં ફસાતા જ હોય છે. એમના ઉપર વિશ્વાસ મૂકનાર મૂર્ખ માણસોનો ક્યારેય તૂટો પડતો નથી; પરંતુ આવું બધું કરતી વખતે આ લોકો કોને છેતરતા હોય છે? અને આવી હરકતો દ્વારા તેઓ ખરેખર શું પ્રાપ્ત કરતા હોય છે?

છેતરપિંડીની આ રમતમાં કોઈપણ માણસ પોતાની જાતને છેતર્યા વિના બીજી કોઈ વ્યક્તિને છેતરી શક્તી નથી, એટલે કે છલનાની શરૂઆત માણસે પોતાની જાતથી જ કરવી પડે છે. માનવજીવન જ એવું છે કે છલનાના આ ચક્રમાં દરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે ફસાયેલી જ હોય છે. મોટાભાગની વ્યક્તિઓ પોતે જેવી નથી હોતી એવી દેખાવાનો પ્રયત્ન ઓછા કે વધુ પ્રમાણમાં કરતી જ હોય છે; પરંતુ એ બધું એક હદ પર આવીને અટકી જતું હોય છે. એની એક મર્યાદા આપણે સ્વીકારી લીધેલી હોય છે. (ક્રમશઃ)

The truth cruel but it can be loved and it makes free those who have loved it. -George Santayana પોતાના ખોટા ભપકાથી બીજાને આંજી દેવાનો પ્રયત્ન કરનાર કોઈક વ્યક્તિના પરિચયમાં ક્યારેક તો તમે આવ્યા જ હશો. પોતે ખૂબ જ ધનવાન છે અને પોતાને પૈસાની કાંઈ પડી નથી એવો દેખાવ કરનાર કોઈક મહાનુભાવનો ભેટો ક્યારેક તો તમને થયો જ હશે અને પછી તમને ખબર પડી હશે કે એ વ્યક્તિ એ બધી છળબાજી માત્ર વધારે પૈસા મેળવવા માટે જ કરતી હતી, પોતાની શક્તિ નહિ હોવા છતાં એકને બદલે બે કાર રાખવી, ચકમદાર કપડાં પહેરવાં, મોટી હોટેલમાં ઊતરવું, મોટી મોટી વાતો કરવી, એ બધું આવી વ્યક્તિઓ માટે સામાન્ય હોય છે, કારણ કે, એ લોકો માનતાં હોય છે કે લોભિયા હોય ત્યાં ધુતારાઓને ક્યારેય કોઈ વાંધો આવતો નથી અને હકીકત એક યા બીજા પ્રકારના લોભિયાઓ આવા લોકોના ફંદામાં ફસાતા જ હોય છે. એમના ઉપર વિશ્વાસ મૂકનાર મૂર્ખ માણસોનો ક્યારેય તૂટો પડતો નથી. પરંતુ, આવું બધું કરતી વખતે આ લોકો કોને છેતરતાં હોય છે ? અને આવી હરકતો દ્વારા તેઓ ખરેખર શું પ્રાપ્ત કરતા હોય છે ? છેતરપિંડીની આ રમતમાં કોઈ પણ માણસ પોતાની જાતને છેતર્યા વિના બીજી કોઈ વ્યક્તિને છેતરી શકતો નથી, એટલે કે, છલનાની શરૂઆત એણે પોતાની જાતથી જ કરવી પડે છે. માનવજીવન એટલું ગુંફિત અને અટપટું છે કે છલનાનાં આ ચકરમાં દરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે ફસાયેલી હોય જ છે. આપણે જે નથી હોતા તે દેખાડવાનો પ્રયત્ન આપણે સૌ થોડાઘણા પ્રમાણમાં તો કરતા જ હોઈએ છીએ, પરંતુ એ બધું એક હદ પર આવીને અટકી જતું હોય છે. એની એક મર્યાદા આપણે સ્વીકારી લીધેલી હોય છે એટલે એ છલના કે વંચના આપણાં અસ્તિત્વના પાયાને હચમચાવી શકતી નથી, પરંતુ મોટા ઠગો આવી કોઈ મર્યાદા સ્વીકારતા હોતા નથી. કોઈ વ્યક્તિ પોતાની જાંઘ ઉપરના કોઢના ડાઘને છુપાવવા પ્રયત્ન કરે એ પણ એક પ્રકારની છલના છે અને કોઈ વ્યક્તિ પોતે બહુ ધનવાન કે વિદ્વાન છે એવો દેખાવ કરી બીજાને છટકામાં ફસાવી દે એ પણ છલના છે પણ બંનેમાં ફેર છે, ધુતારાઓ તો બીજી વાતને પણ પહેલી વાત જેવી સામાન્ય જ ગણે છે અને એવું કર્યા વિના જીવી જ ન શકાય એમ કહે છે. બિલાડી વાળ ખડા કરીને જાડી દેખાવા પ્રયત્ન કરે કે કબૂતર ડોક ફૂલાવે એ પણ એક જાતનો દેખાડો છે અને અમુક સમયે એ જરૂરી હોય છે, પરંતુ એવા દેખાડામાં અને બીજાને ધૂતવા માટે કરેલા દેખાવમાં ફેર છે. બીજાને ફસાવવા માટે કરેલા દેખાવ વખતે માણસ એની સામાન્ય મર્યાદા ઓળંગી જાય છે. 

 

ગુનાઇત માનસનો અભ્યાસ કરનાર અભ્યાસીઓ કહે છે કે, જો કોઇ માણસ એક વાર ખૂન કરે કે એવો કોઇ ગુનો કરે અને એની સજામાંથી છટકી જાય તો ફરી એ જ ગુનો કરવા લલચાય છે. ધુતારાઓને આ વાત બરાબર લાગુ પડે છે. બીજાની એક વાર, બે વાર કે પાંચ વાર બનાવટ કર્યા પછી એવો માણસ અટકી શકતો નથી. બનાવટનું એનું વર્તુળ મોટુંને મોટું થતું જાય છે અને પોતાની જાત સાથેની એની પ્રમાણિકતા ઓછીને ઓછી થતી જાય છે. સૌથી વધુ સમય માણસને પોતાની જાત સાથે જીવવાનું હોય છે, પરિણામે અનેક પ્રકારની બાહ્ય સગવડો હોવા છતાં એનાં અંતરની શાંતિ જોખમાયેલી જ રહે છે. આડંબર અને છલનાની સંતાકૂકડી જીવન જીવનાર આવી વ્યક્તિઓનાં જીવનની કરુણતા એ હોય છે કે, એક તબક્કે જિંદગીની બાહ્ય સુખસગવડોને એ પોતાની આંતરિક શાંતિ માટેનાં સાધનો તરીકે જોવાનું શરૂ કરી દે છે અને વધુને વધુ દૂર જતી શાંતિને પ્રાપ્ત કરવા માટે વધુને વધુ સગવડો મેળવવા એ મથ્યા કરે છે. આ તબક્કે, જિંદગીનો સામાન્ય રાહ તજીને રણમાં દોડવાનું એણે શરૂ કરી દીધું હોય છે પણ એનો એને ખ્યાલ આવતો નથી. નાનકડું બાળક ક્યારેય કોઈને છેતરતુ નથી. એનું જીવન ખુલ્લાં સ્વચ્છ આકાશ જેવું હોય છે, પરંતુ પછીનાં વર્ષોમાં એ વડીલોએ સર્જેલી છળકપટવાળી જીવનની ભુલભુલામણીમાં ફસાય છે. ખોટું કરવાથી કે ખોટું બોલવાથી પોતે ઘણી મુસીબતો કે સજામાંથી ઊગરી શકે એમ છે એમ એને લાગે છે, એટલું જ નહિ પણ એવી રીતે વર્તવાથી પોતે વગર મહેનતે કેટલુંક પ્રાપ્ત કરી શકે એમ છે એમ પણ એને લાગે છે અને ધીમે ધીમે જીવનની એક જૂઠી બાજી થઈ જાય છે. 
ધનવાન દેખાવા માટે, વિદ્વાન દેખાવા માટે, કુળવાન અને ખાનદાન દેખાવા માટે વ્યક્તિ અનેક પ્રકારનાં જૂઠાં સાધનો અને ધોરણોનો ઉપયોગ શરૂ કરે છે. આ બધું કરતી વખતે પહેલાં એનો અંતરાત્મા ડંખે છે-અંદરથી કોઈક એને રોકે છે, પરંતુ એ અવાજ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. સામાન્ય રીતે, આત્મછલના કે દંભ કરનાર વ્યક્તિ પોતે બહુ હોશિયાર છે અને પોતે પ્રાપ્ત ન કરી શકે એવું જીવનમાં કશું જ નથી એવો દેખાવ કરે છે, જે કાંઈ એણે પ્રાપ્ત નથી કર્યું તે પ્રાપ્ત કરવા યોગ્ય નહોતું એવી વાતો કરે છે. બાહ્ય સમૃદ્ધિ અને સગવડોનાં ચકરમાં ફસાયેલ આવી વ્યક્તિઓ પોતે કેટલી બધી સુખી છે એની ડંફાસો હાંકે છે. પરંતુ આ બધો સમય સુખ એની સાથે સંતાકૂકડી રમ્યા કરે છે, કારણ કે સુખ એ તો અંતરમાંથી ઊગેલી, અંતરમાં વિસ્તરેલી લાગણી હોય છે. બાહ્ય સગવડો કે સાધનો સાથે એને બહુ સંબંધ હોતો નથી. મોરનાં પીછાં ખોસીને મોર દેખાવા પ્રયત્ન કરનાર કાગડો મોર દેખાઈ શકે છે પણ મોર બની શકતો નથી. બીજા બધાં એને મોર તરીકે સ્વીકારે તોપણ એ પોતે પોતાનું કાગડાપણું ભૂલી શકતો નથી. એનાં જીવનની આ કરુણતા હોય છે. અને સૌથી વધારે દયાજનક સ્થિતિ તો આવી વ્યક્તિઓ દંભની આવી બાહ્ય રેખાઓ પણ ઓળંગી જાય છે ત્યારે શરૂ થાય છે. સામાન્ય દંભી વ્યક્તિઓ બીજા કરતાં ધનવાન કે હોશિયાર દેખાવા પ્રયત્ન કરે છે, પરંતુ છલનાની મર્યાદા પણ ઓળંગી જનાર વ્યક્તિઓ તો અતિશય નમ્ર, વિવેકી અને ખુલ્લા હૃદયના દેખાવા પ્રયત્ન કરે છે. દંભની આ પરાકાષ્ઠા હોય છે. આવી વ્યક્તિઓ ખુલ્લા હૃદયના અને નમ્ર એટલા માટે દેખાય છે કે, એવા દેખાવામાં એમને લાભ હોય છે જ્યારે એવો લાભ નથી હોતો ત્યારે તરત જ તે ઉગ્ર અને અભિમાની તરીકેનું પોતાનું રૂપ છતું કરી દે છે. 
કોઈએ સાચું કહ્યું છે કે, જેની બોલચાલમાં અને રહેણીકરણીમાં કૃત્રિમતા હોય એની નમ્રતા ઉપર કયારેય વિશ્વાસ મૂકશો નહીં. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે, ઘણી વાર ગાંડો અને જ્ઞાાની બંને બહારથી સરખા દેખાય છે, પરંતુ સમજવાની વાત એ છે કે, બહારથી સરખા દેખાતા હોવા છતાં ગાંડો અને જ્ઞાાની હકીકતે સરખા હોતા નથી, બંનેનું આંતરિક પોત જુદું હોય છે. એ જ રીતે ધુતારાઓ બહારથી જેવા દેખાતા હોય છે એવા અંદર હોતા નથી. દુનિયા આખીનો પ્રવાસ કરીને ઘેર આવનાર મુસાફર પોતાનાં ઘરને ખંડેર અને વેરવિખેર થઈ ગયેલું જુએ એવી એમની સ્થિતિ હોય છે અને એ ઘરને વ્યવસ્થિત કરવાની બધી જ શક્તિ એમણે ગુમાવી દીધી હોય છે. દરેક બાહ્ય છેતરપિંડી વખતે પોતાની જાત સાથે પણ એમણે છેતરપિંડી કરી હોય છે, એટલે બહાર ખોટા સિક્કાઓ એકઠા થતા રહે છે, પરંતુ એથી એમનાં આંતરિક મૂલ્યમાં સતત ઘટાડો થતો રહ્યો હોય છે. જિંદગીમાં કોઈએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું એ તો ચોપડો પૂરો થાય ત્યારે જ ખબર પડે છે પણ જાગ્રત વ્યક્તિ જો અવારનવાર પોતાની જિંદગીનું ખાતું તપાસતી રહે તો મોટી ખોટના આઘાતથી તે બચી શકે. કોઈ પણ વ્યક્તિ જે ગઈ કાલે હોય તે આજે હોઈ શકે નહીં અને આજે હોય તેવી આવતી કાલે રહી શકે નહીં, તેમાં કાં તો ઘટાડો થાય અથવા તો વધારો થાય અને અંદરના વિકાસ માટે શ્રદ્ધાની, અભ્યાસની, મહેનતની જરૂર પડે દેખાવ અને દંભથી તો અંદરનો વિકાસ અટકી જ પડે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment