Sunday 30 October 2016

[amdavadis4ever] હુ ઈઝ અફ્ર ેઈડ ઓફ વિટ ામિન્સ એન્ ડ મિનરલ્સ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દાક્તરોની દુનિયામાં આજકાલ વિટામિનોનું, મિનરલોનું અને કેલરીઝનું મહત્ત્વ વિશેષ છે. લોકો બી ગયા છે. બેલેન્સ્ડ ડાયેટની જે યાદીઓ દાક્તરો અને સ્પેશિયલિસ્ટો આપે છે એ પ્રમાણે જીવવું હોય તો દરેક જણે દસ માણસોનો પર્સનલ સ્ટાફ રાખવો પડે. અમારા ચટભાઈ લંચ વખતે પોતાની પ્લેટમાં એક ચમચી ઘી, એક ગાંગડો કાળો ગોળ, કોબીનાં બે પત્તા, ગાજરનો એક કકડો, એક લીલું મરચું, બ્રોફકોલી, એક કેળું, છાલ સાથેનો એક શેકેલો બટાટો, દહીં, મધ, સ્ટ્રોબેરી, ફણગાવેલા મઠ, બાફેલા ઇંડાનો યલો ભાગ, ફોતરાંવાળા લાલ ઘઉંની લાંબી પેન્સિલ જેવી બ્રેડ, બાફેલા ચણા વગેરે લઈને બેસતા. તેઓ ધારદાર ચપ્પુથી કેરી અને લીંબુ કાપતાં. બેલેન્સ્ડ ભોજનનો એમનો ઠાઠમાઠ તથા ગંજાર જોઈને એમના અનેક કલીગ્ઝ નોકરી છોડી ગયા હતા. સમતોલ આહારમાં ગુજરાતીઓનાં દાળભાત શાક રોટલી ઉત્તમ છે પણ સંપૂર્ણ નથી. હમણાં દૂધ વિશે બહુ વિવાદ ચાલે છે. દાયકાઓ સુધી જે લોકો ગ્લાસ ભરીને સમચ્યુઅસ દૂધ પીતા હતા તેમને દાક્તરો હવે ભડકાવે છે. આહાર સંપૂર્ણ ન હોય તો આંધળા થઈ જવાય? દાક્તરો કહે છે કે સપ્લિમેન્ટરી કે કોમ્પિલમેન્ટરી (પૂરક) આહાર તરીકે વિટામિનોની અને મિનરલ્સની (ખનિજોની) ગોળીઓ સમજીને લઈ શકાય. ઓવરડોઝ નુકસાન કરે પણ અલ્પ ડોઝનો કશો અર્થ નથી. નવી થિયરી એવી છે કે ચિક્કાર પ્રમાણમાં પણ વિટામિનો લેવાથી કૅન્સરને અને હાર્ટ એટેકને વેગળાં રાખી શકાય છે. રિયલી? વેગળાં એટલે કેટલાં વેગળાં? આંગળીથી નખ હોય એટલાં વેગળાં? માણસને કૅલરીઝ ઉપરાંત ૪૫ જેટલાં જુદાં જુદાં ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે. વિટામિન એ (ગાજર, દા. ત.) લેવાથી આંખો પાણીદાર રહે છે. હમણાં હમણાં દાક્તરો બેટા કેરોટીન ઉપર બહુ જોર મૂકે છે. બ્રોક્રકોલીમાં અને પીચીઝમાં બેટા કેરોટીન ખાસ્સી માત્રામાં હોય. બેટા કેરોટીન લેવાથી કેન્સરને વેગળું રાખી શકાય છે. બેટા કેરોટીનનું જ્યારે વિટામિન એમાં ક્ધવર્ઝન થાય છે ત્યારે આંખો પાણીદાર બને છે અને માણસની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. વિટામિન બી-૬ આપણને બટાટામાંથી અને કેળામાંથી પ્રાપ્ત થાય છે. બી-૬ પણ આપણને રોગપ્રતિકારકની શક્તિ આપે છે. વિટામિન બી-૧૨ આપણને આથામાંથી મળે છે. ઘસારો પામનાર કોષોનું આ વિટામિન દ્વારા રિપ્લેસમેન્ટ થાય છે. વિટામિન સીને વન્ડર વિટામિન કહે છે. સ્ટ્રોબેરીઝમાંથી અને ખાટાં ફળોમાંથી એ મળે છે. તે ઘડપણને દૂર રાખે છે અને શરદી થતી અટકાવે છે. તે આપણા ટિશ્યુઝને થતું નુકસાન અટકાવે છે. વિટામિન ડી આપણને ફોર્ટિફાઈડ મિલ્કમાંથી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે અને તે એન્ટી-કેન્સર ગણાય છે. વિટામિન ઈ આપણને ઘઉંના જ્વારામાંથી, વેજિટેબલ ઓઈલ્સમાંથી અને સનફ્લાવર ઓઈલમાંથી મળે છે. વિટામિન ઈ આપણને હાર્ટ ડિઝીઝથી, કેન્સરથી, ચામડીના રોગોથી અને સંધિવામાંથી બચાવે છે. ફોલિક એસિડ આપણને લીલા પાંદડાવાળી, શાકભાજીમાંથી અને યિસ્ટમાંથી પ્રાપ્ત થાય છે. ફોલિડ એસિડ આપણા કોષોનું વિભાજન થતું અટકાવે છે. નિયાસિન આપણને લીલા વટાણામાંથી અને દૂધમાંથી મળે છે. મોટા પ્રમાણમાં નિયાસિન લેવાથી કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટે છે. વિટામિન કે આપણને કોબી, પીચ, ચીઝ, અને બટાટામાંથી પ્રાપ્ત થાય છે. વિટામિન કે ને લીધે લોહીમાં ગઠ્ઠા થતાં અટકે છે. કેલ્શિયમ આપણને ચીઝ, દૂધ અને દહીંમાંથી મળે છે. કુશકા કાઢ્યા વિનાના ઘઉંમાંથી પણ આપણને કેલ્શિયમ મળે છે. કેલ્શિયમથી હાડકા મજબૂત બને છે. આયર્ન આપણને અખરોટમાંથી અને ગામઠી કાળા ગોળમાંથી મળે છે. લોહ આપણા મગજને તંદુરસ્ત રાખે છે. સેલેનિયમ આપણને માછલામાંથી મળે છે. સેલેનિયમથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઝિન્ક આપણને અનાજમાંથી મળે છે.

ઝિન્ક આપણા કોષોના અસાધારણ વિકાસ ઉપર બ્રેક મારે છે. ઘણાં નિષ્ણાતો હવે માને છે કે વિટામિનની ગોળીઓમાં પૂરતો ડોઝ નથી હોતો માટે દરદીએ ખૂબ મોટો ડોઝ લેવો જોઈએ. જોકે કેટલીક મોજણીઓ જણાવે છે કે ઝાઝા વિટામિન અને મિનરલ્સ લેવાથી માણસ ઝાઝું જીવે છે એમ માની શકાય નહિ. આજે દાક્તરો એન્ટી-ઓક્સિડેન્ટ્સની (વિટામિન સીની, વિટામિન ઈની અને વિટામિન એના એક સ્વરૂપ નામે બેટા કેરોટીનની) બહુ પ્રશંસા કરે છે. તંદુરસ્તી વિશેની આજની માન્યતાઓ તો વિજ્ઞાન અને કલ્પનાના મિશ્રણ જેવી છે. 

વિટામિન ઈથી જાતીય શક્તિ વધે છે. ઝિન્કથી માથાના વાળનો ગ્રોથ થાય છે, મગ અને મૂળા ખાવાથી આંખોને લાભ થાય છે, ગાજર ખાવાથી આંખો પાણીદાર બને છે. શિંગ અને કેળાં ખાવાથી તથા દૂધ પીવાથી વજન વધે છે. કોબી તથા ફ્લાવર ખાવાથી અને છાશ પીવાથી વજન ઘટે છે વગેરે થિયરીઓમાં સત્ય કેટલું છે? અને મિથ કેટલું છે? વિટામિનો તો આપણાં શરીરોને ઉપયોગી એવાં કેમિકલ્સ છે. તેમની શોધ આ સદીને આરંભે થઈ હતી. અમેરિકન લોકો દર વર્ષે અબજો ડોલરનાં વિટામિનો ખાય છે. આજથી ૪૦ વર્ષ પૂર્વે દાક્તરો બી વિટામિનના ગ્રુપની પાછળ આદું ખાઈને પડ્યા હતા એ પછી સીનો અને હવે ઈનો વારો છે. નવું સંશોધન કહે છે કે વિટામિનો કદાચ કેન્સરને અને હાર્ટ એટેકને અટકાવી શકે છે. પરંતુ આપણે વિટામિનની જે ગોળીઓ ગળીએ છીએ તેમાં શું ભરેલું છે તેની કશી બાંયધરી છે ખરી? ભળતી જ ચીજો અથવા તો અપૂરતા તત્ત્વો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment