Friday 30 September 2016

[amdavadis4ever] ચાણક્યનીતિ અને મોદીનીતિ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેઓ માત્ર બોલવામાં શૂરા નથી. એમની પાસે અભૂતપૂર્વ વક્તૃત્વ કળા છે જેની કોઈ હિસાબે ટીકા થઈ શકે એમ નથી એટલે મોદીદ્વેષી રાષ્ટ્રદ્રોહીઓ કહેતા ફરે છે કે મોદી ખાલી બોલે જ છે. ગઈ કાલે (પરમદહાડે) મોદીએ પાકિસ્તાન ઑક્યુપાઈડ કશ્મીરમાં ભારતીય સૈનિકોને મોકલીને આતંકવાદીઓની છાવણીઓ સાફ કરી નાખી અને મોદીને 'બોલબચન' કહેનારાઓની બોલતી બંધ થઈ ગઈ. હાલાંકિ, મોદીવિરોધી રાષ્ટ્રદ્રોહીઓ તો હજુય મોદીની ટીકા કરવાના અને આતંકવાદીઓના મોત બદલ હ્યુમન રાઈટ્સ કમિશન પાસે તપાસ કરાવવાની માગણી કરવાના. વિશ્ર્વમાં શાંતિ ફેલાવવાના બહાને ભારતમાં વિખવાદો ઊભી કરેલી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નામની અતિચાલાક, લેભાગુ અને ભારતવિરોધી સંસ્થા પણ હવે આ મામલામાં કૂદી પડવાની અને પાકિસ્તાનને ફાયદો થાય એવી પ્રવૃત્તિઓ વધુ જોરશોરથી કરવાની.

ઉડીના હુમલાનો વળતો જવાબ અપાયાને હજુ માંડ ૪૮ કલાક થયા છે. ભારતની સરહદનાં રાજ્યો પર પાકિસ્તાનનાં કોઈપણ બેજવાબદારીભર્યા પગલાંનો સામનો કરવા માટેનો બંદોબસ્ત આપણાં સંરક્ષણ દળોએ કર્યો છે. હવે સમય કટોકટીનો શરૂ થઈ રહ્યો છે. આવતી કાલે, આવતા મહિને દિવાળી પછી ગમે ત્યારે કશું પણ થઈ શકે એમ છે. પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવાનું આ પહેલું કઠોર પગલું ભરી લીધા બાદ મોદીના વડપણ હેઠળની એમની સલાહકારોની ટીમો પોતાની રીતે પગલાં લેશે. પાકિસ્તાન એની અક્કલ પ્રમાણે અને ચીન એના દિમાગમાં કેટલી હવા ભરે છે એના પ્રમાણમાં ભારતને છંછેડતું રહેશે. હવે પછી આવનારો સમય ભારત માટે મોસ્ટ ક્રુશ્યલ ગાળો છે. ડગલે ને પગલે મોદીને ઝૂડ્યા કરતા આપણા ચશ્મિસ્ટ વિશ્ર્લેષકો અને ટીવી મીડિયાની સેક્યુલર ટોળકી તેમ જ સોશ્યલ મીડિયાની નવરી બજારોએ કમસે કમ આ બાબતમાં, પાકિસ્તાન સાથે તમારે કેવી રીતે બીહેવ કરવું ને કેવી રીતે નહીં - એ વિશે સલાહો આપવાનું બંધ કરવું જોઈએ. મિત્રો, મારાતમારા કરતાં મોદીમાં અને એમની સલાહકારોની જે કેટલીક ટીમો છે તેના સભ્યોમાં આ બાબતે વધારે અક્કલ છે, ઘણી વધારે અક્કલ છે. તેઓ સૌ તમારા ફૉરવર્ડિયા મૅસેજીસ વાંચી વાંચીને રણનીતિઓ, કૂટનીતિઓ ઘડતા નથી તેમ જ તમારી શાબાશીઓના ચાંપલા-વાયડા-વેવલા સંદેશાઓથી પોરસાતા નથી. એટલે તમારે પણ હવે તમારા પોતાના મનોરંજન માટે થતી ટીકાટિપ્પણ, સલાહસૂચન કે ઈવન દેશદાઝ પ્રગટ કરતી આવી પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળીને માઈન્ડ યૉર બિઝનેસ ટાઈપનું કંઈક કરવું જોઈએ, અને એ લોકોને એમનું કામ કરવા દેવું જોઈએ.

આ તો વૉરસાઈક સિચ્યુએશન છે. લડાઈમાં સતત અને એકધારી જીત થાય તેવું નથી હોતું. ક્યારેક તમારે પણ ખુવારી વેઠવી પડે. ભવિષ્યમાં આતંકવાદીઓએ બદલો લેવાના મૂડમાં આવીને અમેરિકા સાથે જેમ નાઈનઈલેવન કર્યું એવું કોઈક ચોંકાવનારું પગલું ભર્યું તો ત્યારે સોશ્યલ મીડિયા વગેરેની નવરી બજાર 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' એવી શેખી વહેતી કરીને મોદીના ગાલે તમાચા મારવા માંડશે.

પ્રજા તરીકે આપણે સમજવાનું છે કે ત્યાગ અને બલિદાન કંઈ માત્ર સૈનિકોએ જ આપવાનાં નથી હોતાં, કટોકટીની ક્ષણોમાં સરકારની સાથે રહીને આપણે પણ જો આપણા વિચારોનો, આપણા સ્વાર્થોનો કે ઈવન સગાંવહાલાંઓનો ત્યાગ કરવો પડે કે એનું બલિદાન આપવું પડે તો એની તૈયારી રાખવાની.

સમજીએ, કેવી રીતે.

કંદહારની વિમાની અપહરણવાળી ઘટના તમને યાદ છે. આતંકવાદીઓએ ઍર ઈન્ડિયાનું પ્લેન હાઈજૅક કરીને ભારતીય જેલોમાં સબડતા આતંકવાદી નેતાઓને છોડાવ્યા. એ વખતે તમને યાદ હશે કે વિમાનમાંના કમનસીબ ભારતીય પૅસેન્જરોનાં ભારતીય સગાંવહાલાંએ ટીવી કૅમેરા સમક્ષ એવો કકળાટ કરી મૂકેલો જેને કારણે સમગ્ર દેશમાં એવું વાતાવરણ સર્જાયું કે કોઈપણ ભોગે વાજપેયી સરકારે આ પૅસેન્જર્સને જીવતા બચાવી લેવાના, સામે જે શરતો માન્ય રાખવી પડે તે માન્ય રાખવાની, મસૂદ જેવા ભવિષ્યમાં ભારતને ભારે પડનારા આતંકવાદીઓને પણ છુટ્ટા મૂકી દેવા પડે તો મૂકી દેવાના પણ ભારતીય નાગરિકોને બચાવી લેવાના.

ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના બને ત્યારે સરકાર જે સાચા માર્ગે ચાલી રહી છે તેને ન તો ઈમોશનલી બ્લૅકમેલ કરીએ કે ન વિદેશી ફંડથી ચાલતી ઍમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ટાઈપની સંસ્થાઓ જે ટુકડા ફેંકતી હોય તેની લાલચમાં આવીને પ્રજાને ગેરમાર્ગે દોરતા થઈએ.

ભારતીય સંરક્ષણ દળોને માત્ર બિરદાવવાથી કે એમને ઉપયોગી થનારા ફંડફાળામાં યથાશક્તિ રકમ નોંધાવી દેવાથી આપણી દેશભક્તિ પર મહોર લાગી જવાની નથી. નવરાત્રિમાં માતાજીની આરતી ઉતારતાં પહેલાં રાષ્ટ્રગીત ગાવાથી પણ આપણી દેશભક્તિ પુરવાર થઈ જવાની નથી. તમામ કરવેરા નિયમિતરૂપે અને પૂરેપૂરા પ્રમાણમાં ભરી દેવા એ સારી વાત છે અને જરૂરી પણ છે. આમ છતાં દેશભક્ત હોવા માટે માત્ર આટલી વાત પૂરતી નથી.

મોદીની ચાણક્યનીતિની તમે ટીકા કરો કે પ્રશંસા કરો એને કારણે પણ તમે દેશભક્ત તથા દેશદ્રોહી બની જતા નથી. એક ભારતીય તરીકે દેશભક્ત હોવાનાં લક્ષણો કયાં અને દેશદ્રોહી હોવાનાં લક્ષણો કયાં તે વિશે મારા મનમાં કેટલીક સ્પષ્ટતાઓ છે જે આવતી કાલે તમારી સાથે શેર કરવાનો ઈરાદો છે. મીનવ્હાઈલ, શેરબજારમાં સેન્સેક્સમાં કડાકો થાય કે આખેઆખું શેરબજાર તૂટી પડે, પૅનિક થવાની કોઈ જરૂર નથી. આવું થવામાં (કે કરવામાં) સટોડિયાઓને જ ફાયદો - નુકસાન થતાં હોય છે, મારાતમારા જેવા સીધા માણસને નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment