Tuesday, 4 October 2016

[amdavadis4ever] તાળી દઇ રહેલા મ ૃત્યુને હાથતાળી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સોળ વર્ષ અગાઉ કેપ્ટન સિંહ, વરુણ સિંહને મૃત્યુ પામેલો સમજીને પડતો મૂકવામાં આવ્યો હતો. એ ટકી રહ્યો, કોઈની કલ્પનામાં પણ ન આવે એમ મક્કમતાથી, ભારે જહેમતે ઈજાઓ સામે લડતો રહ્યો. આજે વરુણ સિંહ નૌકાદળના નવા માર્કોસ (મરીન કમાન્ડો ફોર્સ-એમસીએફનો નવો અવતાર) મથક, 'આઈએનએસ કર્ણ'ના કમાન્ડર છે. ભારતીય નૌકાદળના નવા વડા ઍડમિરલ સુનીલ લામ્બાએ તાજેતરમાં આઈએનએસ કર્ણને સેવામાં સ્થાન આપ્યું હતું. આઈએનએસ કર્ણ એ દેશના માર્કોસ (મરીન ક્માન્ડો)ને સમર્પિત મથક છે. માર્કોસનું નિર્માણ ફેબ્રુઆરી ૧૯૮૭માં ઈન્ડિયન મરીન સ્પેશિયલ ફોર્સ (આઈએમએસએફ) તરીકે થયું હતું. ૧૨ જુલાઈ, ૨૦૧૬ના ઍડમિરલ લામ્બાએ કેપ્ટન વરુણ સિંહને આઈએનએસ કર્ણના સૂત્રો સોંપ્યા હતાં, પણ બહુ ઓછાને જાણ હશે કે ૧૬ વર્ષ અગાઉ કેપ્ટન સિંહને લગભગ મૃત સમજીને પડતા મૂકવામાં આવ્યા હતા. દેશની સેવા કરવાની તીવ્ર ઈચ્છાએ આ માણસને ગંભીર ઈજાઓ સામે લડવાની હિંમત અને મક્કમતા આપી હતી, તમામ પ્રતિકૂળતાનો સામનો કરીને આ અધિકારી નૌકાદાળના નવા મથકના કમાન્ડર બન્યા.

વરુણના ભાગ્યમાં સૈનિક જ બનવાનું લખ્યું હશે. એમના પિતા નૌકાદળમાં અધિકારી હતા. વરુણ કહે છે, "મારી જન્મકુંડળીમાં મારું મૃત્યુ પાણીમાં થશે એમ કહ્યું છે એટલે મારા પિતાએ કહ્યું હતું કે 'એવું જ હોય તો ચાલો, પ્રારબ્ધનો આપણે સામી છાતીએ મુકાબલો કરીએ.' એમણે મારું નામ જળના દેવતા વરુણના નામે પાડ્યું હતું. બાળપણમાં વરુણને શાહરુખ ખાનની ટીવી સિરિયલ 'ફૌજી' જોવાની બહુ ગમતી. નાનપણમાં જ કમાન્ડર બનવાનું અને દુશ્મનને છેતરવા માટે છદ્મવેશ ધારણ કરવાનું સ્વપ્ન હતું, એની સાથે જ વય વધતી હતી. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ નૌકાદળમાં જોડાઈને મોટાભાગનું સ્વપ્ન તો સાકાર કર્યું હતું. વર્ષ ૨૦૦૦માં વરુણ સિંહને કાશ્મીરમાં વુલર સરોવરના વિસ્તારમાં માર્કોસ કમાન્ડોની ખાસ સૈનિક ટુકડી સાથે ફરજ આપવામાં આવી હતી. દાઢી રાખતા સૈનિકોની ટુકડીને ત્રાસવાદીઓ 'દાઢીવાલી ફૌજ'ના નામે ઓળખતા હતા. જેમાં વરુણને ફરજ અપાઈ હતી એ મરીન કમાન્ડોની ટુકડીને કોઈ પણ ભોગે વુલર લેક-સરોવરને રસ્તે ત્રાસવાદીઓની ઘૂસણખોરી અટકાવવાની જવાબદારી આપવામાં આવી હતી.

મે મહિનામાં પાકિસ્તાનના ઘૂસણખોરો દ્વારા ભારતમાં આવવાના ભારે પ્રયાસો કરાતા, એવામાં બાંદીપોરા નજીક પુત્તુશાહી નામના ગામના એક મકાનમાં કટ્ટર આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી. એ દિવસે વરુણને કોઈ અન્ય સ્થળે વહેલી સવારની ફરજ આપવામાં આવી હતી, પણ વરુણ ત્રાસવાદીઓ સાથે ટકરાવાની એક પણ તક છોડવા માગતો નહોતો. એણે કમાન્ડિંગ ઑફિસર પાસે પુત્તુશાહી જઈ રહેલી ટુકડીમાં ફરજ પર જવાની પરવાનગી આપવાની વિનંતી કરી. પરવાનગી મળી. ગામમાં પહોંચ્યા બાદ ટીમને ખબર પડી કે બહુ મોટા મકાનમાં ત્રાસવાદીઓ સંતાયા છે અને એમને હાંકી કાઢવા પડશે. વરુણ અને એના એક સાથી મરીન કમાન્ડોએ પાસેના એક મકાનમાં પ્રવેશી ત્રાસવાદીઓને શોધી શકાય અને મારી શકાય એવું સ્થાન શોધવાનો નિર્ણય કર્યો. ટીમમાં વરુણ મકાન-માળખા તોડી પાડનારો નિષ્ણાત હતો. સામેના મકાનમાં કોઈ હિલચાલ ન જણાતા એણે મકાનના બેઉ માળ પર ગ્રેનેડ ફેંકવાનો નિર્ણય કર્યો હતો, પણ એનું કશું પરિણામ ન આવતા વરુણના કમાન્ડિંગ ઑફિસરે આરડીએક્સનો બૉમ્બ ફેંકી આખું મકાન પાડી નાખવાનો આદેશ આપ્યો. આરડીએક્સના ધડાકાથી આખું મકાન બેસી જતા ઘૂસવાનો માર્ગ મોકળો થયો હતો. તેમાં એક ત્રાસવાદીનો મૃતદેહ મકાનની પાછળ લટકતો જોવાયો હતો. બીજા બેના કોઈ સગડ નહોતા. છેવટે મરીન કમાન્ડો, અન્ય લશ્કરી જવાનો વગેરે પાંચ ફૂટની દીવાલ કૂદી મકાનમાં પ્રવેશ્યા હતા. એક જવાનને મકાનમાંની ગૌશાળામાં ત્રાસવાદીના સગડ જોવા પાઠવવામાં આવ્યો, એ જતો હતો ત્યાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો, ખબર પડતી નહોતી ક્યાંથી ગોળીઓ છૂટતી હતી. પેલો જવાન રક્ષણ શોધવા એ લોકો કૂદીને આવેલા એ જ દીવાલ પાછળ સંતાઈ જવા દોડ્યો. વરુણ પણ એમ જ કરવા માગતો હતો ત્યાં એણે જોયું કે લશ્કરના બે જવાન અચાનક ગોળીબારને કારણે કોઈ હિલચાલ વિના થીજી ગયા છે. વરુણ સમજી ગયો કે એ બે જવાન દોડી જઈ શકતા નથી એમ છટકી પણ શકતા નથી એવી હાલતમાં છે. વરુણ કહે છે, "હું બેઉ જવાનોની સામે બેસી ગયો, એ જ વખતે ગૌશાળામાંથી બે ત્રાસવાદી ફૂટી નીકળ્યા, તેમનોે ઈરાદો નાસી રહેલા જવાનોને ઠાર કરવાનો હતો.

થોડા દૂર બેસી ગયેલા વરુણને ત્રાસવાદીઓ જોઈ ન શક્યા ને વરુણ એમને સ્પષ્ટ જોઈ શકતો હતો. આ સ્થિતિનો લાભ લઈ વરુણે ગોળીબાર કર્યો, બેઉ ત્રાસવાદી પડ્યા. તેમાંના એકે પડતાં પડતાં બુલેટોનું આખું મેગેઝીન વરુણ પર ઠાલવવા માંડ્યું. આ ગોળીઓમાંથી એક બુલેટ વરુણના ઉપરના જમણા ખીસામાં રહેલા ગ્રેનેડને વાગી... "પળવારમાં બધું બદલાઈ ગયું, ગ્રેનેડ ફાટ્યો નહીં, પણ એના છરીએ મારી છાતી ફાડી નાખી, હું મારી જમણી બાજુ ઉપાડી શકતો નહોતો. મેં ડાબે હાથે ગન ઉપાડીને આડેધડ ગોળીબાર કરવા માંડ્યો હતો, એમ વરુણે ઘટના વિશે કહ્યું હતું. વરુણના સાથી કમાન્ડોએ ઘટના જોઈ હતી. એમણે ગંભીર રીતે ઘાયલ થયેલા અને લોહીલુહાણ વરુણને ઉપાડ્યો અને બહાર લઈ આવ્યા. વરુણને શ્રીનગરની લશ્કરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ વરુણની જમણી તરફ ૭૫થી વધુ છર્રા ઘૂસી ગયાનું જોયું અને એનો જમણો હાથ સંપૂર્ણ ભાંગીને જાણે ભૂકો થઈ ગયો હતો. ખભાથી કોણી સુધીનું હાડકું ટુકડા ટુકડા થઈ ગયું હતું. તબીબોએ હૃદયમાં ઘૂસી ગયેલી ધાતુની કરચો દૂર કરવા શસ્ત્રક્રિયા કરી. એના થાપામાંથી હાડકું લઈ જમણા હાથમાં નાખ્યું, ફેફસાંમાં સમારકામ કર્યું, પણ વરુણની હાલત મૃત્યુને કાંઠે ઊભેલા માણસ જેવી હતી. તબીબોને ભરોસો નહોતો કે એ જીવશે. તબીબો એના શરીરમાંથી છર્રા કાઢી શક્યા નહોતા. આજે પણ વરુણના જમણા પડખામાં અને હાથમાં એ છર્રા વસે છે. પ્રચંડ વેદના છતાં વરુણ તમામ પ્રતિકૂળતાને પરાજિત કરતો જીવતો રહ્યો. એનો જમણો હાથ એક વર્ષ સુધી તો લકવાગ્રસ્ત રહ્યો હતો અને એ પોતે બે વર્ષ હૉસ્પિટલમાં રહ્યો હતો. વરુણ હાર્યો નહીં. એક વાર એની ત્રણ વર્ષની પુત્રી હૉસ્પિટલમાં આવી ને એણે એક જાહેર ખબરમાંનું ગીત 'માય ડેડી સ્ટ્રોન્ગેસ્ટ' ગાયું ત્યારે એ પહેલી વાર રડ્યો હતો.

૨૦૧૧માં લેફ્ટનન્ટ વરુણ સિંહને શૌર્યચક્ર એનાયત કરાયો હતો. એ સતત નૌકાદળમાં નિષ્ઠાપૂર્વક કામ કરતો રહ્યો હતો. આખરે આઈએનએસ કર્ણનો કમાન્ડર પણ બન્યો. કમાન્ડર વરુણ સિંહને સો સો સલામ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment