Monday, 3 October 2016

[amdavadis4ever] નમ્રતા એ જ્ઞાનનો પ ્રારંભ ચિ ંતન કણિકા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભગવાન બુદ્ધ લોકોને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ આપતા હતા એ વખતની વાત છે.

એ વખતે એક સાધુ હતો. તે સહુમાં પોતાને સર્વશ્રેષ્ઠ માનતો હતો અને હતું પણ એમ જ. તેને એકેએક શાસ્ત્ર કંઠસ્થ હતાં. ન્યાય, વૈદક, નીતિ, વેદાંત સર્વ શાસ્ત્રમાં એ પ્રવીણ હતો. જેમ જેમ એને પ્રશંસા પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેને વધારે ને વધારે પ્રશંસા પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી અને પોતાના કાર્યની પ્રશંસા મેળવવા અને વાહવાહ કરાવવા એ યુવાન સાધુ વધારેમાં વધારે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. જ્ઞાન પ્રાપ્ત કરવા તેણે તીર્થયાત્રા કરી, દેશદેશનો પ્રવાસ ખેડ્યો અને જુદી જુદી વિદ્યાપીઠોમાં શિક્ષણ મેળવ્યું.

દેશવિદેશ જઈ એણે વાદવિવાદ શરૂ કરી.

મોટા મોટા વિદ્વાનોને એણે વાદવિવાદમાં હરાવ્યા. અજેય બની એ પોતાના ગામમાં આવ્યો.

ગામ લોકોએ એને પ્રેમ અને પ્રશંસાથી વધાવ્યો.

યુવાન સાધુ દરેકને ગર્વથી કહેવા લાગ્યો, 'હવે હું એકલો જ સર્વજ્ઞાની છું, સર્વગુણ સંપન્ન છું. જગતનું તમામ જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે.'

ભગવાન બુદ્ધના કાન ઉપર આ વાત આવી.

તેમને થયું કે આવા યુવાનને જો સાચો માર્ગ મળે તો એ જરૂર લોકોને વધુ ઉપયોગી થઈ પડે.

આ અજ્ઞાન યુવાનને જ્ઞાનના માર્ગ પર લાવી સન્માર્ગ બતાવવાનો વિચાર ભગવાન બુદ્ધને આવ્યો.

એક દિવસ સવારના પહોરમાં તેઓ યતિનો વેશ ધારણ કરી એ યુવાનને ઘેર ગયા.

'ભિક્ષાન્ત દેહી' કહી એ યુવાનના દરવાજે જઈ ઊભા રહ્યા.

સવારના પહોરમાં યતિને આવેલો જોઈ યુવાન જરા ગુસ્સે થયો.

'શું છે અત્યારના પહોરમાં?' સાધુએ કહ્યું.

યતિએ શાંત મુદ્રા ધારણ કરી કહ્યું, 'ભાઈ, થોડા જ્ઞાનની ભિક્ષા લેવા આવ્યો છું.'

સાધુ જોરથી હસી પડ્યો.

બોલ્યો, 'અરે યતિ! શું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ આ વેશધારણ કર્યો છે? માત્ર ઉદરપૂર્તિ અર્થે જ વેશ લીધો લાગે છે.'

શાંતિથી યતિએ કહ્યું, 'ભાઈ, હું એક યતિ છું. જ્ઞાનનો ઉપાસક છું. આપ સર્વજ્ઞાની છો, વિદ્વાન છો, તેથી માત્ર જ્ઞાનની લાલસાથી જ આપની પાસે આવ્યો છું.'

'એટલે શું?' યુવાને બરાબર ન સમજતાં પૂછ્યું.

બુદ્ધદેવે શાંતિથી કહ્યું, 'ભાઈ, જે કંઈ મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે મારે માટે પૂરતું નથી. મહાસાગરમાં ફરતી નાની નાની માછલીને એમ જ લાગે છે કે મને જે કંપ સ્પર્શે છે એટલું જ પાણી મહાસાગરમાં છે, પરંતુ જાણકાર જાણે છે કે એટલું જ પાણી મહાસાગરમાં નથી. જ્ઞાનનું પણ એવું જ છે. આપણે જે કંઈ શીખીએ છીએ એટલું જ જ્ઞાન સર્વજ્ઞાન નથી જ્ઞાનનો મહાસાગર તો ઘણો મોટો છે. આપ સર્વ અને જ્ઞાની સર્વગુણ સંપન્ન છો એમ સાંભળી હું આપની પાસે જ્ઞાન મેળવવા આવ્યો છું.'

યુવાન સાધુને ભૂલ સમજાઈ. તેણે યતિને આદરમાનથી અંદર બોલાવ્યા. અને જ્યારે તેણે જાણ્યું કે યતિ એ તો ભગવાન બુદ્ધ છે ત્યારે તેમના પગમાં પડ્યો અને પોતાના અભિમાન માટે વારંવાર ક્ષમા માગવા લાગ્યો.

ભગવાન બુદ્ધે કહ્યું, 'ભાઈ નમ્રતા એ જ્ઞાનનો પ્રારંભ છે એ વાત કદી ભૂલીશ નહી.'

વારંવાર પ્રભુનો ઉપકાર માનતા એ યુવાન સાધુએ ફરી અભિવાદન કર્યું. 

('સંસ્કારી સંતકથાઓ'માંથી સાભાર)

---------------------------

નમસ્કાર

લોકો જ્યારે આપણને નમસ્કાર કરતા હોય છે ત્યારે ફૂલાઈ ન જવું. આ નમસ્કાર નામધારી વ્યક્તિને નહીં પણ કાયાની અંદર બેઠેલા આતમરામને બધા વંદન કરતા હોય છે તેથી નમસ્કાર ઝીલનારે ફૂલાઈ ન જવું જોઈએ.

ભારતદેશમાં ગધેડાનો ઉપયોગ મોટે ભાગે કુંભારલોક બોજો ઉપાડવા માટે કરતા હોય છે - મધ્ય પૂર્વના દેશોમાં ગધેડાને અપવિત્ર પ્રાણી ગણવામાં આવતું નથી.

આવા મધ્ય પૂર્વના દેશમાં નવા બંધાતાં એક મંદિરમાં, શિલ્પકારને ત્યાંથી દેવની મૂર્તિ લાવવાની હતી. ગધેડાની પીઠ ઉપર નાની અંબાડી જેવું આસન મૂકી તેમાં મૂર્તિ મૂકવામાં આવી અને રસ્તામાં ચોરે-ચૌટે મૂર્તિના આ સરઘસનું સન્માન થવા લાગ્યું. જય જયકાર બોલાય અને ફૂલહાર થવા લાગ્યાં.

ગધેડાને થયું કે આજ સુધી લોકો મને સાચા સ્વરૂપમાં ઓળખતા ન હતા. આજે હવે જ્યારે બધા લોકો મને નમસ્કાર કરે છે, ત્યારે મારા માલિકને પણ મારી કિંમત સમજાઈ ગઈ છે. મોડે મોડે પણ લોકોએ મારી કદર કરી છે અને મારું સન્માન થઈ રહ્યું છે. હવે હું સન્માનનીય સજ્જનની પંક્તિમાં મૂકાઈ ગયો છું. આવો વિચાર આવતાં ગધેડો ફૂલાઈ ગયો.

મંદિર આવતાં ગધેડાની પીઠ ઉપરથી મૂર્તિ ઉતારી લેવાઈ અને 'જય જયકાર' કરતાં લોકો મૂર્તિની પાછળ મંદિરમાં જવા લાગ્યા.

ગધેડો પણ પોતાની ભાષામાં 'હોંચી' 'હોંચી' કરતો જય જયકાર બોલતો રહીને લોકોના ટોળામાં ભળી ગયો અને મંદિરમાં જવાની ઉમેદ રાખીને પગની ગતિ વધારી ત્યાં તો ગધેડાનો માલિક દોડતો આવ્યો અને એક ફટકો ગધેડાને માર્યો.

પોતાના મનથી આકાશમાં મહાલતો ગધેડો ફટકા ભેગો પૃથ્વી પર આવી પડ્યો અને તેનો માલિક ફટકારતો ફટકારતો તેને પાછો લઈ જવા લાગ્યો. પાછા ફરતાં ગધેડાને લાગ્યું કે તેની સામે કોઈ જોતું જ નહોતું. ગધેડાને બિચારાને ખબર ન પડી કે લોકો તેને નહીં પણ તેની તેની ઉપર બીરાજેલી ભગવાનની મૂર્તિને વંદન કરી તેની જય બોલાવતા હતા.

***

દરેક માનવીએ આત્મનિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. લોકો તેની પ્રશંસા કરે છે. તે તેની પ્રશંસા છે કે તેની પાસે જે હોદ્દો, સત્તા કે લક્ષ્મી છે તેની ખુશામત છે?

આજનો લક્ષ્મીદાસ લક્ષ્મી વિહોણો બનતાં 'લખુડો' બની જાય છે. કારણ કે તે લક્ષ્મીનો દાસ હતો-પતિ નહિ.

લક્ષ્મીપતિને જે ન વિસારે તે કદી દુ:ખી ન થાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment