Sunday, 2 October 2016

[amdavadis4ever] ધિક્કારનો આનંદ એ ફક ્ત માણસજાતિના રક્તનો જ વિકાર છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિચ્યુએશન કદાચ આવી હતી...
શીળસના ભીંગડા-લાલ ચકામામાં ખૂબ ખંજવાળ આવતી હતી. ખંજવાળવાની તીવ્રતમ ઇચ્છા થતી હતી, પણ સાલા હાથ બંધાયેલા હતા.
પછી નરેન્દ્ર મોદીએ હાથ ખોલી આપ્યા અને સેનાની સર્જિકલ સ્ટ્રાઈકે આપણને ખંજવાળવાની ખુશી આપી.
થાય, થાય, ખુશી જ થાય... ખંજવાળવાથી સારું લાગે. બહુ સારું લાગે.

અલબત્ત, સમસ્યાનું મૂળ શીળસના ભીંગડામાં નથી, લોહીના વિકારમાં છે. ભીંગડું તો ખંજવાળી લીધું. હવે ભવિષ્યમાં રક્તવિકારનો પણ ઇલાજ થાય એવી આશા...

આમાં રક્તવિકાર શું છે એ વિશે સૌને પોતપોતાનું નિદાન કરવાની છૂટ છે. કોઈ પાકિસ્તાનને રક્તવિકાર ગણી શકે, કોઈ કાશ્મીરને, કોઈ ઇસ્લામને...

મને લાગે છે કે રક્તવિકાર છે 'અન્યનો અસ્વીકાર'.

ઇસ્લામી ઉગ્રવાદીઓ અન્યધર્મીઓને સ્વીકારી નથી શકતા,
હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તીઓ આપસમાં એકમેકને ખાનગી કે જાહેરમાં કોસતા રહે છે,
સવર્ણ-દલિતથી માંડીને ઇવન નર-નારી વચ્ચે પણ ખુલ્લો-ખાનગી દ્વેષ સળવળતો રહે છે.

આવામાં, સેલ્ફ-પ્રોટેક્શન એટલે કે આત્મસુરક્ષાનો હક્ક તો જીવમાત્રને છે, પ્રાણીઓ પણ જાતની સુરક્ષા માટે મૃત્યુપર્યંત લડી શકે, પરંતુ ધિક્કારનો આનંદ એ ફક્ત માણસજાતિના રક્તનો જ વિકાર છે. બધું સીધું ચાલે તો આપણને મજા નથી આવતી. સામે કોઈ જોઈએ, જેને ગાળો આપી શકાય, જેની સામે લડી શકાય.

પીનેવાલોં કો પીને કા, એમ લડનેવાલોં કો લડને કા બહાના મિલ હી જાતા હૈ. બહાના હજાર મળી રહેશે. એ બહાનું ધરમ જ હોય એ જરૂરી નથી. વિશ્વના સૌથી મોટાં બે યુદ્ધોમાં ધરમ ક્યાંય નહોતો. બેય વિશ્વયુદ્ધમાં મુખ્યત્વે ખ્રિસ્તી દેશો જ આપસમાં બાખડેલા.

બ્રિટિશ વિચારક-ગણિતશાસ્ત્રી-લેખક બર્ટ્રાન્ડ રસેલે એમની આત્મકથામાં નોંધ્યું છે કે પહેલું વિશ્વયુદ્ધ જાહેર થયું એ દિવસે લંડનની સડકો પર લોકો નાચતાં-કૂદતાં-ગાતાં-ઝૂમતાં જોવા મળેલા (કે વાહ, અબ મજા આયેગા ખેલ કા... અબ અપૂન સબક સિખાયેંગે, ઉન લોગોં કો).

૧૯૧૪થી ૧૯૧૮ સુધી ચાલેલા એ યુદ્ધમાં સબક તો કોઈ ન શીખ્યું, દેશની સરહદોમાં નોંધપાત્ર વધારો તો કોઈ ન કરી શક્યું... ઉલટાનું, ફ્લૂની બીમારીથી સામાન્ય પ્રજાથી માંડીને સામસામે લડી રહેલા સૈનિકોનો મરણાંક કરોડથી પણ વધ્યો ત્યારે યુદ્ધ આપોઆપ ઠરી ગયું.

ખેર, જેમના પર દાઝ હોય એમને સબક શીખવવામાં મજા તો એવી જ આવવાની જેવી શીળસના ભીંગડાને ખંજવાળવામાં આવે. પણ આ ખંજવાળ દૂર કરવી હોય તો પાયારૂપ ઇલાજ જરૂરી છે. અને પાયાનો મુદ્દો છેઃ

પ્રેમ વિરુદ્ધ ધિક્કાર.

વિશ્વમાં આજે ધિક્કારપ્રેમીઓ બહુમતીમાં છે. અગાઉ પણ આવું જ હતું અને નજીકના ભવિષ્યમાં પણ બોલબાલા ધિક્કારની જ રહેવાની.
પરંતુ બહુમતી જે કંઈ માને, બહુમતીને જે કંઈ પસંદ હોય એનો આદરપૂર્વક સ્વીકાર કરીને પણ,

પ્રેમથી એટલું તો કહેવું જ પડે કે બોસ,

રોષ-ધિક્કાર-યુદ્ધ-અસહિષ્ણુતા કરતાં વધુ મૂલ્યવાન તો શાંતિ-પ્રેમ-કરુણા-સંપ જ છે.

વિકાસ સાધવા માટે અને બેહાલી-ગરીબી-અંધાધૂંધીથી બચવા માટે શાંતિ અનિવાર્ય છે.

આવામાં, ધિક્કારના ચિત્કાર વચ્ચે પણ પ્રેમતરફી લઘુમતિની જવાબદારી છે કે એ પ્રેમની મશાલ જલતી રાખે... પ્રેમળજ્યોતિથી પ્રેમળજ્યોતિ પેટાવવાનો સિલસિલો ચાલુ રાખે.

રઘુપતિ સહાય ઉર્ફ ફિરાક ગોરખપુરીનો એક શેર છેઃ

એક ના એક શમા
અંધેરે મેં જલાયે રખિયે
સુબહ હોને કો હૈ,
માહૌલ બનાયે રખિયે.

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment