Friday, 24 June 2016

[amdavadis4ever] છેતરામણી સ્વચ્છતા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘરના દરેક ખૂણાને સાફ રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ચોંકી ગયાને: લોબલ હાઈજીન કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા સંશોધન પ્રમાણે ૧૦ માંથી ૯ રસોઈ ઘરમાં બૈક્ટેરિયા જોવા મળે છે.

રસોઈ બનાવ્યા બાદ રસોડાને હૂંફાળા પાણીમાં વૉશિંગ પાઉડર નાખીને સાફ કરવુંજોઈએ. તળેલી વાનગી બનાવ્યા બાદ પ્લેટફૉર્મને વિનેગરથી સાફ કરવું. વિનેગરના ઉપયોગથી બૅક્ટેરિયાનો નાશ થાય છે. ફ્રિજને પણ વિનેગરથી સાફ કરવું. 

શાકભાજી કાપવા માટે ઉપયોગમાં લેવાતા ચોપિંગ બોર્ડને પણ હૂંફાળા પાણીથી સાફ કરી લેવું. ૧ લિટર પાણીમાં ૧ ચમચી બ્લીચ મેળવીને ૧ સ્પ્રે બોટલમાં ભરી લેવું. તેનાથી બૉર્ડ સાફ કરી ગરમ પાણીથી ધોઈ લેવું. શાકભાજી ફળો કે કાંદા કાપ્યા બાદ ચપ્પુને પણ બરાબર સાફ કરો. કાચનું કે પ્લાસ્ટિકનું ચોપિંગ બૉર્ડ વાપરો જેમાં છિદ્રો ન હોવાથી બૅક્ટેરિયા ભરાવાની શક્યતા રહેતી નથી. 

ફળ, શાકભાજી અને કાંદા લસણને કાપવા માટે અલગ ચપ્પુનો ઉપયોગ કરો. 

જેથી એકની વાસ બીજામાં આવશે નહીં.

ખાટલા ઉપર ભીનો ટૉવેલને રહેવા ન દેવો. તેને તડકામાં સૂકવી દેવો. સૂર્યપ્રકાશમાં બૅક્ટેરિયા નાશ પામે છે.

સૉપ બોક્સની કિનારી ઉપર સાબુ ચોંટી જાય છે. તેથી તેમાં જીવાણું બનવા લાગે છે. પ્લાસ્ટિક સ્ક્રબની મદદથી તેને નિયમિત સાફ કરી લેવા. 

રસોઈ ઘરમાં વંદાનો ઉપદ્રવ ન થાય તે માટે હૂંફાળા પાણીમાં કેરોસીન ભેળવીને સપ્તાહમાં એક વખત ગટરમાં નાંખવું. રસોડામાં કચરો નીચે ઢોળાય તો તરત જ ફિનાઈલ કે મીઠાવાળા પાણીથી સાફ કરી લેવું. 

ચોંકી ગયાને: રસોડામાં ઉપયોગમાં લેવાતા નેપકીનમાં સૌથી વધુ જીવાણું જોવા મળ્યા. તો રસોઈઘરના નળ પણ ૯૫ ટકા અસ્વચ્છ જોવા મળ્યા. 

ફ્રિજમાં ભોજનને ૫ ડિગ્રી સેન્ટિગે્રડ ઉપર રાખવું. ફ્રિઝમાં વધુ પડતો સામન ન ભરવો. ફ્રિજમાં એટલી જગ્યા રાખવી જેથી હવાની અવરજવર થતી રહે.

બનાવેલી વાનગીને પણ ૨ કલાકથી વધુ સમય બહાર ન રાખવી. 

તૈયાર ભોજનને ૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધુ તાપમાન ઉપર ગરમ કરવું. વધેલી વાનગીનો ઉપયોગ એક જ વખત કરવો. 

સંભવ હોય તો છ મહિના બાદ ટૉયલેટ બ્રશ બદલી નાખવું. 

ભારતીય પરંપરા પ્રમાણે રસોઈ બની ગયા પછી દરેક વપરાયેલી વસ્તુની સફાઈ કરી લેવામાં આવે છે. ગ્લૉબલ હાઈજીન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે વાસણો, કટિંગ બૉર્ડ, પ્લેટફોર્મ તથા સિંકને સ્વચ્છ રાખો.

ટુવાલ, ચાદરો ચોરસાને ૬૦ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર ધોવા જરૂરી છે. જો કોઈ કારણવશાત આ પ્રમાણે ધોવાય નહીં તો ધોયા બાદ તેને તડકામાં સૂકવો. જેથી જીવાણું નાશ પામે.

ફ્રિજમાં વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી રાખવામાં આવે છે. સૂકી અને ભીની વાનગીઓને અલગ અલગ ઢાંકીને રાખો. ભીની વાનગી કે રસાવાળી વાનગીમાં જીવાણુ ઝડપી બને છે. જે બીજી વાનગીમાં પણ ફેલાય છે.

જે વાસણોમાં તીરાડ પડી ગઈ હોય તેમાં પીવાનું પાણી ન ભરવું. તિરાડમાં ભરાયેલ જીવાણુ પાણીને દૂષિત કરી શકે છે. 

ઘરને સ્વચ્છ રાખવા માટે ઉપયોગમાં લેવાતાં કપડાંની અલગ સફાઈ કરવી. સ્વિચ બૉર્ડ, દરવાજા, ફ્રિજ હેન્ડલ, નળ પાણી ભરેલા વાસણમાં જીવાણું ઝડપથી ફેલાય છે.

બાળકોને ભોજન કરાવતી વખતે કે ભોજન કરતી વખતે, કોન્ટેક લેન્સ લગાવતી વખતે તથા દવા ખાતી વખતે હાથ સ્વચ્છ રાખવા જોઈએ. હાથ ધોવાથી કામ નહીં ચાલે, સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા પણ જરૂરી છે. 

માખી-મચ્છરને દૂર કરવા માટે કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરવો. લાઈટ ફિટિંગ્સ, સ્વિચ, નળની સફાઈ નિયમિત કરતા રહેવું જરૂરી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment