Sunday, 26 June 2016

[amdavadis4ever] અવનવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિંહની રક્ષા કરતી માનવ સિંહણ

સમય છે રાતના દસ. ચારેકોર કાળું ડિબાંગ અંધારું છે. વિસ્તાર છે ઘનઘોર જંગલ. સૌરાષ્ટ્રમાં આવેલા તલાળા પાસે આવેલા આ જંગલમાં ૨૭ વર્ષની મહિલા રોઝીના ચોટિયારા સાવ એકલી અટૂલી છે. અચાનક તેને ખ્યાલ આવે છે કે એ વિસ્તારમાં કેટલાંક લોકો ગેરકાયદેસર રીતે ફરી રહ્યા છે. કઇ દિશામાં એ લોકો આગળ વધ્યા છે એનો ખ્યાલ આવ્યા પછી આ યુવતી એ દિશામાં જરાય ગભરાયા વિના મક્કમ રીતે આગળ વધે છે. જોકે, અચાનક પેલા ખોટું કામ કરવાવાળાઓમાંથી એકનું ધ્યાન આ યુવતી પર પડે છે અને એટલે ભાગવા લાગે છે. અલબત્ત ભાગી રહેલાઓને રોઝીનાની તાકાતનો કોઇ અંદાજ નથી. ઘોર અંધારામાં પીછો પકડીને તેમને પકડી લે છે. 

 


--------------------------

ખોવાયા છે, પ્રભુ

ચોંકી ગયાને! વાત જ એવી છે. અલબત્ત ઇશ્ર્વર તો નિરાકાર છે, એમને કોઇ આકાર નથી હોતો જેવી દલીલો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. હવે એ પરિસ્થિતિમાં એમના ગુમ થવાનો પ્રશ્ર્ન જ કેમ ઉદ્ભવે એવો સવાલ થવો સ્વાભાવિક છે. જોકે, અહીં વાત છે ઇશ્ર્વરના મૂર્તિ સ્વરૂપની જે સ્વરૂપ કાળા માથાના માનવીએ એને આપ્યું છે. વાત છે તમિળનાડુ રાજ્યની, ત્યાંના ચેન્નઇ શહેરની. રાજ્યના સાલેમ વિસ્તારની એક ધાર્મિક સંસ્થાના કેટલાક અધિકારીઓએ તાજેતરમાં ચેન્નઇ શહેરની મુલાકાત લીધી હતી. સીઆઇડી પોલીસે એક સ્થાનિક ઘરમાંથી જપ્ત કરેલી કેટલીક મૂર્તિઓની ચકાસણી કરવાનો તેમનો ઉદ્દેશ હતો. ઉપરી અધિકારીઓના આદેશને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓના ચારેક હજાર મંદિરોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વાત એમ છે કે કેટલાંક દેવાલયોમાંથી પ્રભુની મૂર્તિઓ ગાયબ થઇ ગઇ છે. ટૂંકમાં કહીએ તો વિશ્ર્વ સમસ્તની રક્ષા કરનારા ખુદ પ્રભુ જ ખોવાઇ ગયા છે. એક ગણતરી મુજબ ૨૧ મંદિરોની ૨૬ મૂર્તિઓ લાપતા છે. પરિણામે ભક્તો બેબાકળા બની ગયા છે અને તેમના વિસ્તારો પર સંકટ ઊતરી આવશે એવો ભય તેમને કોરી ખાઇ રહ્યો છે. જાણવાની વાત તો એ છે કે ખોવાઇ ગયેલી મૂર્તિઓમાં તો કેટલીક પથ્થરની તો કેટલીક કાંસાની છે. મતલબ કે સોનારૂપાની નથી. વળી આ મૂર્તિઓ સ્થાનિક સ્તરે દાણચોરી કરતી એક વ્યક્તિના ઘરમાંથી ઝડપાઇ છે. આ બધું થવા પાછળ કયું ગણિત કામ કરે છે એ તો પ્રભુ જ જાણે.

--------------------------

લગ્ન કેટલાં ટકશે? શરત મારવી છે?

તરંગી સ્વભાવના માણસોના દિમાગમાં તરંગો ઊઠે એટલા ઓછા. શરત મારવી, પછી કોઇ પણ બાબત કેમ ન હોય, એ માનવીય સ્વભાવનું આગવું લક્ષણ રહ્યું છે. ક્રિકેટની મૅચથી માંડીને ચૂંટણીના પરિણામ સુધી જીવનની કોઇ પણ બાબત પર બેટ લગાવવામાં આવતી હોય છે. જોકે, આ ગાંડપણ હવે કઇ હદે પહોંચ્યું છે એનો કોઇ અંદાજ બાંધી શકો છો? પશ્ર્ચિમના દેશોમાં તો હવે ફલાણા ફલાણાનાં લગ્ન ટકશે કે કેમ અને ટકશે તો કેટલા ટકશે એના પર બેટિંગ થઇ રહ્યું છે. લગ્ન પછી પત્નીને દાવ પર મૂકવાની કથા આપણે મહાભારતમાં વાંચ્યું છે. આધુનિક યુગના વંશજો પત્ની તો શું આખે આખો સંસાર જ હોડમાં મૂકવા નીકળશે કે કેમ એવો સવાલ ઘણા દીમાગોમાં ઝબકી રહ્યો છે. જોકે, આની પાછળ કોઇ નાટકબાજી કે સ્ટંટ નથી એવો ખુલાસો કરીને કહેવામાં આવ્યું છે કે આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ૪૨ ટકા સુધી પહોંચી ગયું છે. ઘણા લગ્ન તો એક આખું વર્ષ સુધ્ધાં ટકતા નથી એવી પરિસ્થિતિ છે. આ દુ:ખદ સ્થિતિ ટાળવા માટે અમે લગ્ન પર બેટિંગ કરીએ છીએ.' આ અમે એટલે અમેરિકાની સિએટલ શહેરની એક સંસ્થા. શરતની રકમ પેટે નવપરિણીત યુગલને મૅરેજના ખર્ચ માટે આશરે દસ લાખ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવે છે. જોકે, આ યુગલ જો છૂટાછેડા લે તો એ પૈસા વ્યાજ સાથે પાછા આપવા પડે છે. આમ પૈસા આ યુગલના જીવનમાં ગુંદરનું કામ કરીને તેમને જોડી રાખે છે. આ સંસ્થાના આવા પ્રયાસને કારણે છૂટાછેડાનું પ્રમાણ ઘટ્યું છે એવી માહિતી ઉપલબ્ધ થઇ છે.

-------------------------

અંધારા પાછળનું અજવાળું

જેલના સળિયા પાછળની પ્રત્યેક વ્યક્તિ કાયદાની નજરે ભલે ગુનેગાર હોય, પણ એ દરેક કેદીના દિલમાં પણ ભાવનાઓ હોય છે. એવું કહેવાય છે કે કોઇ પણ વ્યક્તિ જન્મે ગુનેગાર નથી હોતી, સંજોગો એને ગુનેગાર બનાવે છે. આ વિચારધારાને અનુસરતી એક ઘટના કેરળના કકનાડ જિલ્લામાં જોવા મળે છે. અહીંની એક જેલના કેદીઓનો નાતો સમાજ સાથે જોડાય અને સાથે સાથે ગરીબાઇમાં જીવતા લોકોને સસ્તાભાવે અન્ન મળી શકે એ હેતુથી એક વિલક્ષણ પ્રયાસ કરવામાં આવ્યો છે. શેર અ મીલ નામથી ઓળખાતો આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી એના સારા પરિણામ મળી રહ્યા છે. 

મળેલી વિગતો પ્રમાણે જેલના કેદીઓ ગરીબો માટે ભોજન તૈયાર કરે છે. એ ભોજન તૈયાર થઇ ગયા પછી જે કોઇ લોકો ગરીબોને મદદરૂપ થવાની ખેવના રાખતા હોય એ માત્ર ૨૫ રૂપિયા ભરીને જેલમાંથી કૂપન ખરીદે છે અને જેલની બહાર મૂકવામાં આવેલા એક બોર્ડ પર મૂકે છે. જે પણ વ્યક્તિ ગરીબ અને ગરજવાન હોય એ પેલી કૂપન કાઢીને નજીકમાં રહેલા કાઉંટર પર જઇને ભોજન લઇ લે છે. આ રીતે આ પ્રયાસ ચાલી રહ્યો છે. આ અનોખા પ્રોજેક્ટને પ્રસિદ્ધિ મળે એ હેતુથી ગયા અઠવાડિયે બે મેરેથૉન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસને સારી સફળતા મળી, એ દિવસે સારી આર્થિક મદદ મળી અને કૂપનોનું વેચાણ પણ સારી માત્રામાં થયું. ટૂંકમાં ઘણા પેટ ભરાયા અને ઘણી આંતરડી ઠરી.

----------------------------

મન મેં હો વિશ્ર્વાસ

 

આવો મળીએ આવી જ એક હોનહાર વ્યક્તિને. એનું નામ છે દીક્ષા ધીંડે. પુણેના કાતરજ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની આ પ્રતિભાશાળી યુવતી શારીરિક રીતે અક્ષમ છે અને એ પણ ૮૪ ટકા. અપંગત્વને કારણે શારીરિક મર્યાદાઓ આવી, પણ એણે આંસુ ન સાર્યા. પોતાની મર્યાદાને તાકાત બનાવી અડીખમ ઊભી રહી અને પોતાની આ તાકાતને જોરે જ તેણે યુવાન વયે યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ઍટ સ્કૂલ નામના પ્રોજેક્ટની ભારતીય શૈક્ષણિક રાજદૂત બની છે. આ નિમણૂકને પગલે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય શિક્ષણનું પ્રતિનિધિત્વ કરશે. ભણતર દરમિયાન દીક્ષાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અપંગ હોવાને કારણે તેને પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો. નિરાશ થવાને બદલે તે સુધરાઇની શાળામાં ભણી અને આવા અનુભવને પગલે જ ભવિષ્યમાં શિક્ષણ માટે જ કંઇક કામ કરવું એવો નિર્ધાર કર્યો. હવે એ સપનું સાકાર થઇ રહ્યું છે. ધારે તો માણસ કોઇ પણ પ્રકારના વિઘ્નો પાર કરીને ઊંચાઇ હાંસલ કરી શકે છે એ દીક્ષાએ સાબિત કર્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment