Saturday, 25 June 2016

[amdavadis4ever] વી વિલ મિ સ યુ રાજન!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




'આપણે કોઇ ખોટું કરનારને સજા નથી કરતા; સિવાય કે એ નાનો માણસ હોય કે પછી નબળો હોય... અમીર કે વગ ધરાવતા ખોટું કરનારા લોકો પાછળ કોઇ પડતા નથી, એટલે એવું થાય છે કે તેઓ વધારે ખોટું કરીનેય છટકી જાય છે.' 

'તમે ડુક્કરના હોઠ પર લાલી લગાવી દો એનાથી કંઇ તેે રાજકુમારી નથી બની જવાનું.... સમસ્યાને ઓળખવાને બદલે તેને ઠેલ્યા કરવાની વૃત્તિથી કોઇ પણ સંજોગોમાં દૂર જ રહેવું જોઇએ.'

આ શબ્દો વાંચતા એટલોે ખ્યાલ તો ચોક્કસ આવે કે એ બોલનાર વ્યક્તિ દેશની સ્થિતિનું સાચું વર્ણન કરે છે, અને તેની સલાહ સાચી છે એમાં કોઇ બેમત નથી. એ શબ્દો કોના છે તે હમણાં ન કહું તો પણ હવે જે વાત કરવાની છું એે વાંચતા તમને સમજાઈ જશે કે ઉપરના શબ્દો કોના હતા: છેલ્લા એકાદ-બે વરસમાં દેશની નામાંકિત બૅન્કોની કરોડો-અબજો રૂપિયાની લોન્સ પરત નથી થઈ. એવી ધરખમ લોન લેનાર નેચરલી મોટી મોટી કંપનીઓ છે. એ કંપનીઓ લોનના રિપેમેન્ટના હપ્તા ચૂકવવામાં વિલંબ કરે ત્યારે જ આમ તો બૅન્કને હિન્ટ મળી જતી હોય કે દાળમાં કંઇક કાળું છે. પણ ઉપર કહ્યું ને તેમ મોટાઓના ખોટા ધંધા અનપનિશ્ડ રહે છે. પછી તો આગળ જતાં એ લોન ચૂકવવાનું બંધ થઈ જાય છે. ત્યારે બૅન્ક પાસે બીજી લોન લઈને પેલી અગાઉની લોન ભરપાઈ કરવાની યોજના ઘડાય છે. તેને 'રિસ્ટ્રક્ચર્ડ લોન'નો વાઘો પહેરાવી દેવાય છે. એ પેલા ડુક્કરને લાલી લગાવીને રાજકુમારી બનાવવાની જ કવાયત જેવું જ છે. 

આ પ્રથાને બંધ કરવાની અને બૅન્કોની જે કોઇ લોન પરત આવતી બંધ થઈ હોય તેની વિગતો અંગે પારદર્શકતા લાવવાનો આગ્રહ એક વ્યક્તિએ રાખ્યો. તેણે કહ્યું કે ડિફોલ્ટ થયા છે તો તે વાતને છુપાવીને ખોટી શાખ બનાવી રાખવાના પ્રયાસો કરવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી તેના ઉપાયનો પ્રબન્ધ કરો. અને તેણે અનેક કંપનીઓની પેલી ખાતર પર દિવો કરવા જેવી બીજી લોનની દરખાસ્તોને સ્વીકારી નહીં. સમસ્યા આવે ત્યારે તેનો સામી છાતીએ સામનો કરવાને બદલે રેતીમાં મોઢું ખોસી દેવાની શાહમૃગવૃત્તિથી કોઇ સમસ્યા ઉકેલાય નહીં એ ટાઇમ-ટેસ્ટેડ સત્ય પણ તેણે રેશમિયા વિશેષણોનો આશરો લીધા વિના કહ્યું. દેશની સફાઈ અંગે જેમ વડા પ્રધાન લાગી પડ્યા છે તેમ એ સજ્જન બૅન્કિંગ સિસ્ટમની સાફસૂફીમાં મંડી પડ્યા હતા. હા, લેખની શરૂઆતમાં મૂકેલા બન્ને ક્વોટ્સે રિઝર્વ બૅન્કના વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનના છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ' રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજન બીજી મુદ્દત માટે રહેશે કે નહીં?' આ સવાલ સરકારી વર્તુળોમાં જ નહીં, સામાન્ય જનતામાં પણ ખાસ્સો ચર્ચાતો રહ્યો હતો. ખાસ કરીને ભાજપના સુબ્રહ્મણયમ સ્વામીએ જ્યારથી રાજન વિરુદ્ધ આક્ષેપ-અભિયાન શરૂ કર્યું હતું ત્યારથી. ગયા અઠવાડિયે રાજને સ્પષ્ટ કરી દીધું કે તેઓ ચોથી સપ્ટેમ્બરે પૂરી થતી પોતાની મુદ્દત પછી પદ ઉપર રહેવા ઇચ્છતા નથી ત્યારે આ ચર્ચા પર તો પૂર્ણવિરામ મુકાઇ ગયું, પરંતુ દેશ અને દુનિયામાં જેની વિદ્વત્તા, અને બાહોશીને બિરદાવવામાં આવે છે અને જેણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પોતાની કામગીરીમાં એ બન્ને વાતની સાહેદી આપી દીધી છે. તમામ અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ રાજનના પરફોર્મન્સ રેકર્ડની નોંધ લેતા એક વાત સ્વીકારી છે કે ૨૦૧૩માં તેમણે રિઝર્વ બૅન્કનું સુકાન સંભાળ્યું ત્યારે દેશનું કરન્સી બજાર કપરી સ્થિતિમાં હતું. રાજને તેમાં સ્થિરતા આણી અને દેશ તેમ જ દુનિયામાં ભારતીય રિઝર્વ બૅન્કની વિશ્ર્વસનીયતાને દૃઢ કરી. ફુગાવાને અંકુશમાં લાવવા અસરકારક કદમ ઊઠાવ્યા હતા. બૅન્કોએ પણ સ્વીકાર્યું છે કે શરૂઆતમાં અમને તેમની વાત ખૂંચતી હતી પણ પાછળથી સમજાયું કે એ જ સાચો રસ્તો છે.

બીજી બાજુ રાજને બૅન્કના વ્યાજદર ઓછા ન કર્યા અને તેને કારણે દેશના આર્થિક વિકાસ પર નકારાત્મક અસર થઈ અને એવી અન્ય વાતો રાજન અને સરકાર વચ્ચે મતભેદનું નિમિત્ત બની હતી. સામે પક્ષે રાજનની દલીલ એ હતી કે દેશ માટે ઉપલકિયા વિકાસ કરતા ફુગાવાને નિયંત્રણમાં રાખવો મહત્ત્વનો છે. અને તેમણે એ બાબતને અગ્રક્રમ આપ્યો. બૅન્કોને પોતે ક્યાં ઊભી છે તે સ્થિતિનો વાસ્તવિક કયાસ કાઢી ધીરેલાં નાણાંની સજાગતાથી રખવાળી કરવા સજજ થવા હાકલ કરી, પરંતુ આપણો ઉપક્રમ એ બધામાં પડવાનો નથી. કોઇ પણ વ્યક્તિના સારા કાર્યની નોંધ લેવાને બદલે, તેને કાળી ચિતરવાના પ્રયાસો આપણે ત્યાં વધુ થાય છે એ હકીકત ફરી એક વાર પરખાઈ આવી છે. 

રાજનના ચાહકો તેમની વિદાયના સમાચારથી ઉદાસ થયા છે. તે ઉદાસી તેમના જવા અંગે નથી. દુ:ખ એ વાતનું છે કે દુનિયાના એક અતિ પ્રતિષ્ઠિત ભારતીય અર્થશાસ્ત્રીની કાબેલિયતનો લાભ ભારતને નથી મળવાનો! વિશ્ર્વ બૅન્કના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા રાજનની સલાહ દેશને કામની નથી! બીજું, આ વ્યક્તિ માટે સ્વામીએ જે અભદ્ર ભાષામાં આક્ષેપો કર્યા તેનું દુ:ખ છે. દેશના અને દુનિયાના અનેક વિદ્વાનો અને નિષ્ણાતોને નારાજગી થઈ અલબત્ત સરકારના મૂક સપોર્ટ વિના સ્વામીનું એ કાદવઉછાળ અભિયાન આટલું ચાલી શક્યું ન હોત એ વાત સામાન્ય માણસ પણ સમજી શકે છે. જોકે સ્વામીના લવારા સામે એક પણ વાર પ્રતિભાવ નહીં આપનાર રાજનની પ્રતિભા વેંત ઊંચી થઈ ગઈ છે. બાકી હોદ્દા પર હોવા છતાં સરકાર સામે પોતાના મંતવ્યો હિંમતથી રજૂ કરનાર અને તેને વળગી રહેવાની તાકાત ધરાવનાર રાજન શબ્દો ચોર્યા વિના કુહાડીને કુહાડી કહી શકે છે. 'રોકસ્ટાર ગવર્નર'નું બિરુદ તેમના કેલિબર અને કોમ્પિટ્ન્સ ઉપરાંત તેમની ચાર્મિંગ પર્સનાલિટી અને તેમની તાર્કિક વાક્ધારાને કારણે તેમને મળ્યું છે. પરંતુ એ વાણીનો વેડફાટ ન કરાય એ તેઓ સમજે છે. 

નાણાખાતાના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અશોક દેસાઈએ રાજનની વિદાય સંદર્ભે એક મજાની વાત લખી છે. તેઓ લખે છે: 'રાજન એપિસોડની શ્રેષ્ઠ વાત એ છે કે હવે તેઓ તેમના હોદ્દા થકી થોપાયેલા તમામ બંધનોથી મુક્ત છે એટલે તેઓ જે કહેવું હોય કે લખવું હોય તે લખી શકશે.' તેઓ આગળ નોંધે છે કે દિલ્હીના મહારથીઓ તેમની સાથે ખાસ્સી ખરાબ રીતે વર્ત્યા છે. 'રાજન કદાચ તેમની વિચિત્રતાઓ અંગે તીખી કમેન્ટ્સ કરવા પ્રેરાશે. પણ મને નથી લાગતું કે તેઓ એવું કરે, કેમકે એ તેના કલ્ચરમાં જ નથી.' જાહેર જીવનમાં કે રાજકારણમાં ઊચ્ચ હોદ્દા ધરાવતા કેટલા મહાનુભાવો આવું કલ્ચર ધરાવે છે! ટ્વિટર ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઇ પણ વ્યક્તિ કંઇક લખે તેના પ્રત્યાઘાત આપવામાં પ્રધાન પ્રવૃત્ત થઈ જાય છે! એ પણ એક કલ્ચર છે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment