Monday, 3 October 2016

[amdavadis4ever] શું કામ ઋષ િમુનિઓએ ‘મા તૃદેવો ભવ’ થી ઉપનિષદનો એક ક્રમ શ રૂ કર્યો? મ ાનસ મંથન - મોરારિબાપુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ જગતમાં માનો મહિમા આટલો બધો શું કામ? શું કામ ઋષિમુનિઓએ 'માતૃદેવો ભવ'થી ઉપનિષદનો એક ક્રમ શરૂ કર્યો? મને 'મહાભારત'નું સ્મરણ થાય છે. 'મહાભારત'માં એક વચન છે કે, માતૃશક્તિ આઠ વસ્તુનું રક્ષણ કરે છે. એ વીસ ભુજાળી છે, અષ્ટભુજાળી છે-જે કઈ કહો; ટૂંકમાં, હાથની ગણતરીમાં ન જઈએ, પણ એને જગતને આપવું છે બહુ, એવો જ એનો અર્થ થાય. અને તેથી ભગવાન વ્યાસ નારાયણનો એવો મત છે કે, માતૃશક્તિ આઠ પ્રકારનું મારું ને તમારું રક્ષણ કરે છે. એ પણ કારણ છે 'માતૃદેવો ભવ' નું.

પહેલું સૂત્ર છે 'ધનમ્'. ભગવાન વ્યાસ કહે છે, મા માનવીના ધનનું રક્ષણ કરે છે. હવે તો આખી દેશ-કાલની પરિસ્થિતિ જુદી છે, પણ પરિવારમાં જ્યારે ધનનું સંકટ આવે, એને એક સામાન્ય સ્તર પર લો તો પણ, ઘરમાં જે માતૃશક્તિ હોય એ છેલ્લી ઘડીએ પોતે સાચવેલું ધન આપી દેતી હોય છે. આપણે ત્યાં તો ઋષિકાળમાં તો કમાય પુરુષ અને એ ધન સ્ત્રીના હાથમાં જ આપે અને પછી પુરુષને જ્યારે વાપરવાનું હોય ત્યારે એ સ્ત્રી પાસેથી લે, કારણ કે પુરુષ ધનનું જતન એટલું નહીં કરી શકે, જેટલું લક્ષ્મીસ્વરૂપા મા કરી શકે. અને કોની કેટલી ઉચિત વ્યવસ્થા કરવી એ માતૃશક્તિ જાણતી હોય છે. ટૂંકમાં, નારી ધનની રક્ષક છે, પણ અહીંયા રૂપિયા-પૈસામાં ધન નહીં. આપણા કુટુંબમાં આપણી ખાનદાની, આપણી પવિત્ર પ્રવાહી પરંપરા-એ આપણું મોટામાં મોટું ધન છે અને એની રક્ષા પણ માતૃશરીર, મા તત્ત્વ જ કરતું હોય છે. પુરુષને ક્યાં એટલો સમય છે? વ્રજ ભાષામાં તો લોકો એમ જ કહે છે કે, અમારું ધન બીજું કોઈ નથી, અમારું ધન તો શ્રીરાધાજી છે-

ફળપૂ ઇંળપ લટ ઇંળજ્ઞરુચ લૂધઉં ટણ 

ડળ્ઉંળૃ ઇંળજ્ઞરુચ અરુપટ અફિ પડૃણ ॥

રામ અબજો કામદેવ જેવા સુંદર. સુકોમલ, સુભગ છે, જેમને સ્પર્શ કરવાનું મન થાય છે. એક તો એમનું એવું રૂપ છે અને એ જ રામ વિકૃતિઓના નાશ માટે અબજો દુર્ગા જેવા છે, એવું ગોસ્વામીજી લખે છે. ભગવાન રામ ધન છે, પરમતત્ત્વ, ઈશ્ર્વરતત્ત્વ, એ આપણું ધન છે. એ કોઈ પણ રીતે ઘરની અંદર મા સાચવતી હોય છે. અનેક પ્રકારે સંસ્કારધનનું રક્ષણ માતૃશક્તિ કરે છે. 

બીજું સૂત્ર છે, 'પ્રજા:'. પ્રજાનું રક્ષણ મા કરે છે. કોણ પ્રજાને મોટી કરે છે? આપણા નાનાં બાળકોને માતૃતત્ત્વ મોટું કરે છે. બાળકોને એની મા કરતાંય, એની દાદીમા વધારે વહાલી હોય. મા એ પ્રજાનું રક્ષણ કરે છે અથવા તો માતૃશક્તિ ગૃહસ્થ જીવનમાં પ્રજાતંતુનો વિસ્તાર કરે છે. આ જગત ચાલે છે માતૃશક્તિના સહકારથી. ક્યારેક એમ લાગે કે વિશિષ્ટ માતૃશક્તિ સમગ્ર પ્રજાનું રક્ષણ કરતી હોય છે. ઝાંસીની રાણી લો. ઇતિહાસની એવી કેટલીય માતાઓ તમે લો, કે જેણે સમગ્ર રાષ્ટ્રનું રક્ષણ કર્યું હોય.

ત્રીજું સૂત્ર, 'શરીરં'. માતૃશક્તિ શરીરનું રક્ષણ કરે છે. આખા ઘરમાં કોઈ માંદા ન થાય, કોઈ બીમાર ન પડે એટલા માટે નાનાથી લઈ વયોવૃદ્ધ-બધાના શરીરનું રક્ષણ મા કરે છે. અને બાળક નાનું હોય ત્યારે આ નિયમ જ છે ને કે સાહેબ, બાળક કાંઈ દવા ન પી શકે, એના ઓસડિયાં માને જ પીવાં પડે છે અને પછી માના દૂધ વાટે એ ઔષધનું સત્ત્વ-તત્ત્વ બાળકના પેટમાં જતું હોય છે.

ચોથું, 'લોકયાત્રા'. આપણી લોકયાત્રા. જાનકીજી રામની સાથે ન ગયાં હોત તો રામની લોકયાત્રા સમ્પન્ન થાત? રામની યાત્રા રાજયાત્રા ન હતી, લોકયાત્રા હતી. અને એ લોકયાત્રામાં જાનકીજીનો ભરપૂર સાથ છે. પાંડવોની વનયાત્રા દ્રૌપદી વગર પૂરી ન થાત. નળ રાજાની વનયાત્રા દમયંતી વગર પૂરી ન થાત. હરિશ્ર્ચંદ્ર કાશીની લોકબજારમાં વેચાય ત્યારે જે કુરબાની છે એ તારા ન હોત તો પૂરી ન થાત. સગાળશા શેઠની લોકયાત્રા સંગાવતીના પ્રતાપે થઈ. કચ્છનો જાડેજો જેસલ લો. એની લોકયાત્રા તોરલના પ્રતાપે થઈ. લોકયાત્રા માતૃશક્તિ પૂર્ણ કરે છે. પૈસા હોય, સગવડ હોય, પણ યાત્રા કરવાની શક્તિ આપણામાં ન હોય તો? આપણી લોકયાત્રા માતૃશરીર વગર અધૂરી છે, વેદયાત્રા પણ અધૂરી છે.

તો, મારો કહેવાનો અર્થ એમ છે કે, આ બધી લોકયાત્રા છે, જે માતૃશક્તિથી સમ્પન્ન થાય છે. માતાના પ્રતાપે લોકયાત્રા થતી હોય છે અથવા તો એ બહાને આપણી લોકયાત્રા થતી હોય છે. પછી 'ધર્મ', ધર્મનું રક્ષણ માતા કરે છે. પુનિત મહારાજની પરંપરામાં જે પુનિત પરંપરા આવી એમાં રામભક્તજી એવું કહેતા કે, આપણે સ્ત્રીને ધર્મપત્ની કહીએ છીએ. પુરુષને કાંઈ આવું લાગતું નથી, કારણ કે ધર્મનું રક્ષણ મા જ કરે છે. 'સ્વર્ગ', સ્વર્ગનું રક્ષણ મા કરે છે. પણ વળી પાછો મારા માટે પ્રશ્ર્ન એ આવે કે સ્વર્ગ કયું? આપણું સ્વર્ગ એટલે આપણો પાંચ-સાત પ્રાણીઓનો પરિવાર. આ સ્વર્ગ છે. સત્સંગ સ્વર્ગ છે. સ્નેહ, હેત, પ્રેમથી જ્યાં બધાં રહેતાં હોય એ સ્વર્ગ... એ ધનરૂપી સ્વર્ગને માતા રક્ષે છે.

'ઋષિમ્' આપણા ઋષિમુનિઓનું રક્ષણ કોણ કરે છે? માતાઓ. ઋષિની વાતો, એનાં સૂત્રો આપણી માતાઓ આપણને સંભળાવતી હોય અને આજના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાંઓને તો 'રામાયણ'ની કથાની કાંઈ ખબર જ નથી! એને માતાની પાસે બેસાડો અથવા તો ક્યારેક ક્યારેક એને તમે કથામાં લાવો અને એને જેટલું બેસવું હોય એટલું બેસે, પણ ધીરે ધીરે એને તમે સત્સંગમાં લાવો; જે સોસાયટી નહીં કરે, એ સત્સંગ કરી શકશે એવો મારો અનુભવ છે. આપણા ઋષિમુનિઓની વાતોનું રક્ષણ મા કરે છે. વ્યાસપીઠ પણ માતૃશક્તિ છે. કથા આપણી મા છે; અને 'પિતૃન'. 'મહાભારત'નો એ આઠમો વિચાર છે કે, માતાઓ પિતૃઓનું રક્ષણ કરે છે. માતાની કૃપાથી આપણા પિતૃઓ પ્રસન્ન રહેતા હોય છે. ભક્તિને આપણે માતા કહી છે. પરિણામે નારદે લખ્યું, જેનાં પરિવારમાં ભક્તિ હશે એના પિતૃઓ નૃત્ય કરતા હશે.

તો, આપણે નવ દિવસથી માનાં ગુણગાન ગાઈએ છીએ, આ 'માતૃદેવો ભવ'નું પહેલું જ પૂજન ઋષિઓએ શું કામ કર્યું? એનાં ઘણાં કારણોમાંનું એક કારણ 'મહાભારત' પણ બતાવે છે.

સંકલન : જયદેવ માંકડ

(માનસ અંબિકા,૨૦૧૩)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment