Monday, 27 June 2016

[amdavadis4ever] પ્રાણ ખોલવ ાની પ્રક્ર િયાનું નામ રામકથા છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એમર્સનનું એક વાક્ય મને બહુ ગમે છે, તમારી આગળ કોણ છે એ ન જુઓ અને તમારી પાછળ કોણ છે એ પણ ન જુઓ, તમારી જમણી બાજુ કોણ છે એ પણ ન જુઓ, તમારી ડાબી બાજુ કોણ છે એ પણ ન જુઓ, તમારી ઉપર કોણ છે એ પણ ન જુઓ અને તમારાથી નિમ્ન કોણ છે એ પણ ન જુઓ. જો સદ્બુદ્ધિ અને વિવેક હોય તો તમારી અંદર શું છે એ જુઓ. આ કથા શેને માટે? આ બધી સ્પર્ધાત્મક વૃત્તિઓનું શમન કરીને આપણી અંદર શું છે એ માટે ભગવતકથા છે. આપણી આગળ છે એને માટે દુઆ કરો, આપણી પાછળ છે એને શુભકામના આપો. આપણી જમણી બાજુ છે એના માટે રાજી થાવ કે ક્યાંક હું લથડું તો એ મારો હાથ પકડી લેશે. ડાબી બાજુ જે છે એ પણ મને ટેકો આપી શકશે. જેનો આશ્રય આપણે કરતા હોઈએ એને પ્રિય અને પૂજ્ય ભાવથી જુઓ. અને આપણાથી જે નીચે હોય એને નીચે નમીને ઉપર લઈ જવાની કોશિશ કરો. મૈં એક શેર પઢતા રહતા હૂઁ-

'્રૂજ્ઞ અળેફ રૂળટ વે રુઇં ્રૂજ્ઞ ઈંપળજ્ઞય ઈંજજ્ઞ વળજ્ઞટજ્ઞ વે,

બજ્ઞરુઇંણ ઘળજ્ઞ રૂજજ્ઞ વળજ્ઞટજ્ઞ વજ્ઞ મળજ્ઞ રૂજજ્ઞ વિ વળજ્ઞટજ્ઞ વે'

આ કથા શા માટે છે? છેલ્લા માણસને આપણે આદર આપીએ. સમાજમાં કોઈનું શોષણ ન થાય, ઉત્કર્ષ થાય. પણ એ ત્યારે જ સાર્થક થાય કે આગળ-પાછળ, ઉપર-નીચે જે કોઈ મારો સમાજ છે એને હું આવી દૃષ્ટિથી જોઉં. કથાનો અર્થ છે,આંતરદર્શન. આપ મારો પરિવાર છો. હું સવારમાં જ્યારે પોથી ખોલું છું ત્યારે, પોથી તો એક પ્રતીક છે, પણ હું પોથી નથી ખોલતો, મારો પ્રાણ ખોલું છું. કારણ કે આપણો વિકાસ કરવા માટે પ્રાણ દર્શન જરૂરી છે. આપણે અંદર ડોકિયું કરવામાં બહુ વાર લગાવી દઈએ છીએ. મહર્ષિ રમણ એક જ વાક્ય ઉપર પોતાનું જીવન વ્યતિત કરે છે અને તે ઠવજ્ઞ ફળ ઈં ?' 'હું કોણ છું?' પ્રાણ ખોલવાની પ્રક્રિયાનું નામ રામકથા છે. રામકથા મારો શ્ર્વાસ છે એમ હું અવારનવાર કહેતો હોઉં છું. પ્રાણનો ઉત્સર્ગ તો થાય જ છે પણ ભગવતકથા એટલા માટે છે કે સમયસર પ્રાણ ખૂલે છે! પછી કૃષ્ણમૂર્તિ કહે છે એમ ફૂલ ખીલે છે એ કોના માટે ખીલે છે? કૃષ્ણમૂર્તિની આ મૂળ વિચારણાને ઓશોએ બહુ સરળતાથી પેશ કરી. આપણે કેટકેટલાંય ફૂલોથી પરિચિત છીએ. ફૂલને કોઈ જુએ, એટલા માટે એ ખીલે છે? નહીં. એની સુગંધ કોઈના નાકમાં જાય એટલા માટે એ ખીલે છે? નહીં. સૂર્ય ઊગે છે એટલે ફૂલ ખીલે છે? નહીં. કોઈ ફૂલ તોડીને સોમનાથના પરમપાવન ચરણોમાં ચડાવે એટલે એ ખીલે છે? નહીં. પણ ફૂલ શા માટે ખીલે છે એ જો ફૂલનો પ્રાણ પોતે જ બોલે તો ખબર પડે. ફૂલ જો સુગંધ બીજાને આપવા માટે જ ખીલતું હોય તો કદાચ સુગંધ લેનાર ન આવે તો એને ગ્લાનિ થશે. ફૂલ એવી અપેક્ષાથી ખીલે કે મને કોઈ જોનારો નીકળે અને કદાચ એ માર્ગે એ દિવસે કોઈ પથિક ન નીકળે તો સંભવ છે કે ફૂલને ગ્લાનિ થશે. ફૂલને કોઈ તોડીને શિવલિંગ પર ન ચડાવે તો પણ એને થશે કે જ્યાં જવું જોઈએ ત્યાં હું પહોંચી ન શક્યું. પણ ફૂલનો પ્રાણ બોલે તો ખબર પડે. એનો પ્રાણ બોલે તો કહેશે કે, હું ખીલવા માટે જ ખીલ્યું છું. 'સ્વાન્ત: સુખાય તુલસી રઘુનાથ ગાથા.' આપણો પ્રાણ આપણા માટે ખૂલે. આ બધાં ગાય છે, ભલે એને પ્રોગ્રામ કહેવાતો હોય, પણ હું એને 'સાધના' કહું છું. એમ વક્તા પોતાના માટે જ બોલે, ત્યારે પ્રાણ ખુલ્યા બરાબર છે. હું કંઈ તમને ઉપદેશ આપવા થોડો આવ્યો છું? ઉપદેશ આપવાનું આપણું શું ગજું? ઉપદેશ તો આપ્યો મહાદેવ સોમનાથે, મહારાજ શંકરાચાર્યે, રામાનુજે, નિમ્બાર્કે, વલ્લભે... આપણું શું ગજું?

કથા એ તો દિલ ખોલવાની વાત છે. શ્રોતાની પાસે વક્તા દિલ ખોલે, વક્તાની પાસે શ્રોતા દિલ ખોલે, દર્શકની પાસે કલા પેશ કરનારા દિલ ખોલે અને કલાધરોની પાસે દર્શકો દિલ ખોલે. આ લાલસા શા માટે? હૃદય સુધી પહોંચવા માટે. ગની દહીંવાલા સાહેબે લખ્યું હતું-

'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.'

આ સત્સંગ દિલ મળે, સ્પર્ધાના સ્થાને, શ્રદ્ધા જન્મે એટલા માટે છે. શ્રદ્ધા એ શિવાની ધર્મપત્ની છે. આપણો મલક શ્રદ્ધાનો છે. આપણા મલકમાં માણસો બધા માયાળુ છે, સાહેબ! કઈ વસ્તુ મને ને તમને કથામાં ખેંચે છે? હું મારા અનુભવ કહું તો, મને સવાર કેમ પડે તેની ખબર નથી પડતી! મને ખબર નથી રહેતી કે તારીખ બદલી ગઈ છે! કેમ આ ફટાફટ દિવસો જાય છે? એક શે'ર હું લેતો આવ્યો છું.

'ઇંટ્ટબ વળજ્ઞણળ યળપ ઇંળજ્ઞ અળેફ રુઘધ્ડળ બળેચણળ,

પેં ઇંધિ લુફઘ ઇંળ ્રૂળફળજ્ઞ, ્રૂજ્ઞ વળ્ધ્ણફ લપઙળ ણવિં'

સૂરજનો આ હુન્નર હું સમજી ન શક્યો. શાયર કહે છે કે રોજ આથમે અને પાછો રોજ ઉદિત થાય! એક શે'ર-

'ઈલણજ્ઞ ઊઇં ક્ષબ ધિ પૂઙજ્ઞ ટણવળ ણવિં ફવણજ્ઞ રુડ્રૂળ,

મળજ્ઞ ફવળ પળેઙુડ પૂઙપજ્ઞ, પેં પઉંફ લપઙળ ણવિં'

એણે મને એક મિનિટ પણ એકલો ન રહેવા દીધો, નોંધારો ન રહેવાં દીધો. પરમતત્ત્વે આપણને ક્યારેય નોંધારા નથી મૂક્યા, સાહેબ! કોઈ સદ્ગુરુ પોતાના આશ્રિતને એકલો ન રહેવાં દે. જે નિષ્ઠ હશે એને બધા જ અનુભવો થતા હશે. આપણો સદ્ગુરુ આપણે ઘરમાં હોઈએ ત્યારે ચોકીદાર બનીને આંટા મારતો હોય છે, પણ એને ઓળખીએ છીએ ક્યાં? એટલે આપણે ત્યાં કહેવાયું કે, એનાં ઘડનારાને પરખો.' એકે એક અંગનું રક્ષણ કોણ કરે? જેના ઉપર આપણી શ્રદ્ધા હોય તે. આપણું ધ્યાન જેણે રાખ્યું છે એને ઓળખવા માટે આ કથાઓ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment