Tuesday 29 November 2016

[amdavadis4ever] મુદત આપવા નો "ધંધો બ ંધ થાય તો ન્યાયતંત્ રમાં કેસન ી સંખ્યા ધ રખમ ઘટે... -તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ન્યાયતંત્રની તમામ કામગીરી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભારોભાર વિસંગતતા અને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફથી ન્યાયાધીશની સંખ્યા ઓછી છે તેવી ફરિયાદ કરવામાં આવે છે તો બીજી તરફ ખુદ ન્યાયતંત્ર તદ્દન ખોટા અગ્રતાક્રમ ધરાવે છે. ૩ કરોડ કેસ નિકાલ કરવાના બાકી છે. તેવે વખતે તેઓમાં પણ આંતરિક રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે જે યાદી પાછી મોકલી છે તેવા સંભવિત નામમાં સગાંવાદ સ્પષ્ટ દેખાય છે. હાઈ કોર્ટ સહિતની અદાલતના જજ દ્વારા તેમના જ સગાંસંબંધીની ભલામણ જજ તરીકે કરવામાં આવે છે તેવે વખતે પ્રશ્ર્ન એ છે કે કોલેજિયમ સિસ્ટમ પણ ખામી ભરેલી પદ્ધતિ છે, પરંતુ ન્યાયતંત્ર આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ રીતે ખેંચતાણ ચાલી રહી છે અને ભ્રષ્ટ રીતરસમની ઘણી વાત સાંભળવામાં આવી રહી છે.

પ્રશ્ર્ન એ છે કે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક માટે કઈ પ્રક્રિયા હોવી જોઈએ તેમ જ નિમણૂક કરવા માટેના આધાર કયા હોવા જોઈએ, કારણ કે પ્રવર્તમાન સમયમાં હવે નિષ્ઠાવાન અને પ્રમાણિક જજ શોધવા મુશ્કેલ કાર્ય છે. વળી ન્યાયતંત્રમાં પણ અન્ય ક્ષેત્રની જેમ જ ભારોભાર ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે. એક કાનથી બીજે કાન સુધી આ માટેની વાત થઈ રહી છે. દરેક ભ્રષ્ટાચારના પુરાવા હોતા નથી.

સૌપ્રથમ તો વિવિધ સ્તરે ન્યાયતંત્રમાં કેસની સંખ્યા ખાસ્સી થઈ ગઈ છે તે ઓછી કરવા વ્યાપક પગલાં ભરવામાં આવે તો હાલમાં જે સંખ્યા છે તેનાથી કામ ચાલી શકે છે. મૂળ તો કેસ વધી ગયા છે એટલે વધુ જજની આવશ્યકતા છે. જો કેસમાં ઘટાડો થાય તો બીજી કોઈ જરૂરત પડે તેવું નથી. ન્યાયતંત્રએ પણ પોતાની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવાની જરૂર છે.

(૧) તદ્દન ક્ષુલ્લક કારણથી મુદત આપવામાં આવે છે તેની સામે ન્યાયતંત્રએ "બ્રેક મારવાની જરૂર છે. જે પક્ષકારને મુદત જોઈતી હોય તેઓ પ્રત્યેક મુદતદીઠ રૂ. ૨૫ હજારથી રૂ. બે લાખ (ન્યાયતંત્રના દરજ્જા અનુસાર) વસૂલ થવા જોઈએ. કેસ ફટાફટ ઓછા થઈ જશે, કારણ કે કેટલાક પક્ષકાર તો ન્યાયતંત્રની ઉદારતા અને ભલમનસાઈનો જ લાભ લેતા હોય છે.

(૨) બે મુદત વચ્ચેનો સમય કોઈ પણ સંજોગોમાં ૬૦ દિવસથી વધારે નહિ હોવો જોઈએ. હાલમાં તો ત્રણથી છ થી આઠ મહિનાનો સમય આપવામાં આવે છે, જે તદ્દન અયોગ્ય છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરુદ્ધની બાબત છે.

(૩) હાઈ કોર્ટ દ્વારા પ્રજાની ફરિયાદ સાંભળવા એક જાહેર સુનાવણી યોજવાની જરૂર છે. ન્યાયતંત્રના અધિકારીઓ સામે ખૂબ જ ગંભીર ફરિયાદ આવે છે જે સાંભળવાની જરૂર છે.

(૪) ન્યાયતંત્ર દ્વારા વારંવાર જે ગોખેલા શબ્દ બોલવામાં આવે છે કે "યોગ્ય પુરાવાના અભાવે - "શંકાનો લાભ આપીને, "કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર તેમ જ એવા અન્ય શબ્દસંપુટ આજે હવે હાસ્યાસ્પદ બની ગયા છે. ખુદ ન્યાયતંત્રમાં જ પારદર્શકતા રહી નથી તેવે વખતે અરજદાર અને ફરિયાદી પાસે અપેક્ષા રાખવી અયોગ્ય છે. તમામ જુનવાણી કાર્યપદ્ધતિને બદલાવવાની જરૂર છે.

મુદત આપવાનો "ધંધો બંધ થાય તો ન્યાયતંત્રમાં હવે વધુ જજની સંખ્યા વધારવી પડે તેમ નથી. બાકી તદ્દન સામાન્ય કેસ જો ૧૦-૧૫ વર્ષ ચાલે તો તેમાં ન્યાયનો હેતુ ખતમ થઈ જાય છે, પ્રજામાં ન્યાયતંત્ર અળખામણું થાય છે અને અસંતોષ વધે છે. એક કેસમાં તમામ પુરાવા - સાક્ષી - કાગળ - દસ્તાવેજની તપાસ થયા પછી પણ અઢી વર્ષથી નિર્ણય જ કરવામાં આવતો નથી તે ભ્રષ્ટાચાર નથી તો શું છે?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે રીતે અભિપ્રાય આપે છે અને વધુ જજ માગે છે તેઓ પ્રજાનો આક્રોશ જાણે છે ખરા? માત્ર અંગ્રેજી દૈનિકો જ પ્રજાનો અભિપ્રાય આપે છે તે કરતાં વધુ પ્રાદેશિક ભાષાના લોકોનો અભિપ્રાય ધ્યાનમાં લેવાની જરૂર છે. ન્યાયતંત્રએ પ્રજા સમક્ષ જઈને તેમની કામગીરીમાં સુધારો થાય તેવી ભૂમિકા તૈયાર કરવી જોઈએ. બાકી ૩ કરોડ કેસ ભેગા થયા છે તેમાં અકાર્યક્ષમતા અને અણઆવડત પણ છે.

છેલ્લાં ૨૦ વર્ષમાં દરેક પ્રક્રિયામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. માત્ર એક ન્યાયતંત્ર બદલાયું નથી. તેમની ટીકા થવા છતાં ત્યાં કોઈ સુધારો થતો નથી તેનું આશ્ર્ચર્ય છે. આનો અર્થ એ થયો કે ત્યાં જડસુ અને અસંવેદનશીલતા પ્રવર્તી રહી છે. માત્ર બીજાઓની જ ટીકા કરવામાં આવે છે, પરંતુ ઘરઆંગણે બધી જ ખરાબી પ્રવર્તી રહી છે. તેને સુધારવાની ખાસ જરૂર છે.

ઘણા કિસ્સામાં એવું સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે મુદત જરૂરી નથી છતાં આપવામાં આવે છે. આવું શા માટે? વાસ્તવમાં સામેના પક્ષકારને હેરાન કરવા ન્યાયતંત્રનો ઓઠિંગણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ન્યાયતંત્ર પણ આ વાત જાણે છે. છતાં આંખ આડા કાન કરે છે. શું જજોએ નૈતિક હિંમત ગુમાવી છે? શું તેઓ ગળું ખોંખારીને પક્ષકારને પ્રશ્ર્ન કરવાની ત્રેવડ ધરાવતા નથી?

જિલ્લા કક્ષાની અદાલતમાં જે જજ કાર્યરત છે તેમની આવડત - કૂનેહ - ન્યાય તોળવાની ક્ષમતા - સામાન્ય જ્ઞાન ખૂબ જ નિમ્ન સ્તરના જોવા મળે છે. માત્ર ખુરશી પર બેસી જવાથી તેમને માન્યતા મળી જતી નથી. લાયકાત અને માન્યતા પુરવાર કરવાની રહે છે. આવું ન્યાયતંત્રના અધિકારીઓના કિસ્સામાં જરા પણ જોવા મળતું નથી.

ન્યાયતંત્રમાં આજે પારદર્શકતા તો જરા પણ રહી નથી. અગાઉ સમાજમાં મૂલ્ય અને સિદ્ધાંત હતા તે વખતે કોઈ પ્રશ્ર્ન કરતું નહોતું. આજે તો સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ સામે પણ પ્રશ્ર્નાર્થ ઊભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અંદર પ્રવેશની મનાઈ છે, પ્રતિબંધ છે પરંતુ શા માટે? ત્યાં રેકોર્ડિંગ અને વીડિયો શૂટિંગ કેસ દરમ્યાન થવા જ જોઈએ. આજે તેની મનાઈ છે.

"સત્યમેવ જયતે સત્યનો જય થાય છે તેમ લખાયેલું છે ત્યાં જ સૌથી વધુ અસત્ય જોવા મળી રહ્યું છે. આવી બાબત યોગ્ય નથી. જો ન્યાયતંત્ર તેની જૂનીપુરાણી પદ્ધતિમાં બદલાવ લાવે તો જ કંઈક ફરક પડવાનો છે. આવી પદ્ધતિ બદલવી તે ખુદ ન્યાયતંત્રના જ હાથમાં છે. તેમાં લોકસભાની મંજૂરીની કોઈ જરૂર નથી, પરંતુ ચીફ જસ્ટિસ આ માટે કોઈ પગલાં લેશે ખરા?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment