Saturday, 28 May 2016

[amdavadis4ever] ગીરની ધરતીની ગાયોનું ઔષધ થી અદકેરું ઘ ી Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જ્યારે પણ ગીરની ગાયો વિશે લખું છું ત્યારે તેના દૂધ અને એ દૂધમાંથી બનતા દહીં-છાશ અને ઘી યાદ આવે છે. સાથોસાથ ઈંદિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગીરના સિંહને જોવા આવેલા તે પણ યાદ આવે છે. આ પ્રસંગને વારંવાર યાદ કરી લેખમાં ટાંકયા કરવાથી મન ધરાતું નથી. ઈંદિરા ગાંધી તો શુદ્ધ શાકાહારી નહોતા. એમ ખાતરી કરીને સૌરાષ્ટ્રના ઓફિસરોએ વેરાવળથી માછલીઓની ઉત્તમ વાનગીઓ તેમ જ બીજી બિનશાકાહારી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરીને ગીરના સરકારી ગેસ્ટ હાઉસમાં ઈંદિરાજી માટે મોકલી હતી. 

યોગાનુયોગ તે દિવસે હું પણ ગીરના જંગલમાં મારા એક ગરાસીયા મિત્રના નિમંત્રણથી ગયેલો. તેમણે મારે માટે બાજરાનો ગરમ ગરમ રોટલો રીંગણાનો ઓળો અને લસણની ચટણી તૈયાર કરાવ્યા હતાં. ગીરના એ જંગલના વાતાવરણમાં હું સ્વાદથી બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળોને શાક ખાવાની શરૂઆત કરતો હતા ત્યારે ઈંદિરાજી બાજુમાં ઊભા હતા. તેણે પૂછ્યુ કે 'યહ ક્યા ચીજ ખા રહે હો' મેં કહ્યું 'યહુ સૌરાષ્ટ્ર કી અનેરી રસોઈ હૈ' તેમણે વેરાવળના 'જીંગા-ફીંગા' અને માછલીની વાનગીઓ પાછી મોકલીને મારી સાથોસાથ ગરમ ગરમ બાજરાનો રોટલો ગીરની ગાયોના દૂધ- દહીંમાંથી નીકળેલી તાજી તાવણીનું ઘી ખાધું. અને ત્યારે મને કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા યાદ આવી ગઈ.

ગીર ગોરંભતી 'ગાંડી' જ્યાં નેલમાં/ખળકતી દૂધની પિયુષ ઝરણી/ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આ ધન્ય સૌરાષ્ટ્રની ધરતીનું મીઠું ભોજન પચી ઈંદિરાજીએ ગીરના જંગલોના સિંહો જોયા પછી અમારી સાથે ખાધું. ઈંદિરાજીએ મારા કેમેરાથી સિંહોના ફોટા પણ પાડયા હતા. આપણા આ લેખનો વિષય ગાય અને ગાયનાં ઘી-દૂધ છે. આજે જોકે મુંબઈ કે ગુજરાતીઓના શહેરી પેટ ચોખ્ખું ઘી ખાવાને લાયક રહ્યા નથી. છતાં પણ ઘણા લોકો થોડોક ખાવામાં સંયમ વરતે અને જંકફૂડને બિલકુલ તિલાંજલી આપે તો ઓછામાં ઓછું ગાયનું ઘી ખાઈ શકે છે. 

હિન્દુઓ જ ગાયને જોઈએ તેવા માનથી રાખતા નથી. મહુવામાં (સૌરાષ્ટ્રમાં) મારું બચપણ અને મેટ્રીક સુધીનુ ભણતર થયું ત્યારે મારા પાડોશમાં વિશ્વકર્મા રોડ ઉપર જીવાભાઈ ઘાંચી રહેતા હતા. બળદથી ચાલતી ધાણી હતી. ધાણીમાંથી ખોળ નીકળે તો પ્રથમ બળદને ખવરાવતા. (તેની ધાણી માટે વાછડો આપે તે માટે થોડો સમય ગાય પાળેલી). આજે ગાયને પણ કૃત્રિમ ગર્ભ અપાય છે. ખરેખર ગાયના ગર્ભમાં 285 દિવસ વાછડી કે વાછડો રહે છે એમાં જો વાછડો આવે તો ખેડૂતને ઘરે પુરુષ ઉજાણી કરતો. ઘઉંનો શીરો પાકતો. પણ તેની પત્ની ગાયને વાછડી અવતરે તો વધુ ખુશ થતી.

ભગવદગોમંડળનો સંદર્ભ ગ્રંથ કહે છે કે બ્રહ્માએ બ્રાહ્મણ અને ગાયને એક સાથે પેદા ર્ક્યા હતા. પરંતુ એ બધી ગ્રંથની જૂની વાતો કોઈ માનતું નથી. ગાયનું દૂધ કે ગાયના ઘીનું મહત્વ શહેરી પ્રજાને રહ્યું નથી. આજે ઘણા 'નવી નસ્લ'ના 15-20 વર્ષના યુવાનોને ચોખ્ખુ ઘી ભાવતું જ નથી. વેજીટેબલ કે કોઈ પણ તેલ ખાવા આજના યુવાનોની હોજરી ટેવાઈ ગઈ છે. એમ છતાંય જૂની ગાયોની અતિ મહત્વની વાતો લખ્યા વગર છૂટકો નથી. તે માટે જૂની વાત યાદ કરું છું:-

જૂનાગઢથી 56 કિલોમીટર દૂર આવેલા સાસણ-ગીર વિસ્તારમાં હું 1981ની શરૂમાં ગયેલો. એ સમયે આજના વડા પ્રધાન મોદી જેટલી દૂરી ત્યારના વડા પ્રધાન (ઈંદિરાજી) રાખતા નહોતાં. જનતા સાથે ભળતા. જાન્યુઆરી 1981માં હું જૂનાગઢ ગયો ત્યારે વડાપ્રધાન ઈંદિરા ગાંધી સાસણ (ગીર)માં સિંહ જોવા આવેલા. સિક્યોરિટી હતી, પણ બહુ કડક નહીં. તે વખતે 1981માં ઈંદિરાજી પ્રત્યે સૌરાષ્ટ્રનાં લોકોને ભારે ભક્તિભરી ચાહના હતી. સાસણ નજીકના તલાળા ગામના રહેવાસી નાગાજણ જીવાભાઈએ તો પ્રતિજ્ઞા લીધેલી કે ઈંદિરા ગાંધી (1977માં ઈંદિરાજી ચૂંટણી હારેલા) ફરી સત્તા ઉપર નહીં આવે ત્યાં સુધી પગરખા નહીં પહેરું! નાગાજણ જીવાભાઈ ઉઘાડે પગે ચાલીને છેક ગીરથી દિલ્હી સુધી ગયેલા. પિસ્તાલીસ દિવસે ઈંદિરાને મળેલા.

ગીરના સિંહ અને ઈંદિરાજીની વાતને જોડીએ તો ઈંદિરાજીએ જાન્યુઆરી, 1981માં બહુ જ રસપૂર્વક એક સિંહણને જોઈ. અને એક વખત સાત સાત સિંહોના જૂથનો જોઈને પસ્તાવો કરતા હતા કે રાજીવ ગાંધીના પુત્ર રાહુલને લાવ્યા હોત તો સિંહ દેખાડતા. આજે 2016માં ગીરનાં જંગલ અને સિંહોનું મહત્વ કે પબ્લિસીટી મોદીની સરકારને હૈયે વસતા નથી. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી જોવા આવેલા. ત્યારે તેમણે માંચડા ઉપર ચઢીને ધોતિયું પહેરીને ગીરના સાવજોને જોયેલા. ત્યારે જ રાજેન્દ્ર પ્રસાદજીએ સૂચન કરેલું કે ભારતના નાના બાળકોને સિંહો જોવા ખાસ દિવસો રાખવા જોઈએ!

સિંહો વિશે બહુ જ ઊંડાણથી ઈંદિરાજીએ પ્રશ્નો પૂછેલા (1) સિંહણનું દૂધ પીવાય છે? જાણવા મળ્યુ કે સિંહણનું દૂધ કોઈ માનવ પી શકે નહીં. ઝાડા થઈ જાય. (2) સિંહણનું દૂધ ઔષધરૂપે વપરાય. આંખમાં ફૂલુ પડ્યુ હોય અને સિંહણનું દૂધ આંજવુ હોય તો ફૂલુ મટે. (3) દમના ઘણા દરદીઓ સિંહણ કે સિંહનો પેશાબ ગીરના જંગલમાંથી લઈ જાય છે સિંહણના પેશાબથી દમ મટે છે. (4) મેં પૂછ્યું કે પણ સિંહણનો પેશાબ લેવો કઈ રીતે? તો જાણવા મળ્યું કે સિંહ કે સિંહણ પેશાબ કરીને ચાલ્યા જાય પછી જે માટીમાં પેશાબ ર્ક્યો હોય તે એકઠી કરીને તેને પાણીમાં નાખીને તે પાણીને ગાળીને પીવાથી દમ મટે છે. (5) એ પણ જાણવા મળ્યું કે ઝરખ નામના ગીર અને બીજા જંગલોમાં થતા વિકરાળ પાણીની વિષ્ટા (લીંડા) ગરમ કરીને શરીર ચોપડવાથી પેરેલીસીસ મટે છે.

(માહિતી માટે દિનેશ તિલ્વા અને ગૌપ્રેમી મનસુખ સુવાગીયાનો સહકાર).

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment