Monday 30 May 2016

[amdavadis4ever] કમાઘાટા મ ારુ: ભારતી ય લોકોની વ ્યથાની કથા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘટના છે હજી થોડા દિવસ પહેલાની. ચોક્કસપણે વીસમી મેની. વાત છે વિદેશની અને એમાંય પાછી કૅનેડાની, ખાસ કરીને એ દેશના વડા પ્રધાન વિશેની. વાત એમ છે કે ૨૦મી મેના દિવસે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં બધાની હાજરી વચ્ચે કમાઘાટા મારુ નામના જહાજની ઘટના વિષે માફી માગી હતી. તેમના શબ્દો આ પ્રમાણે હતા, 'કમાઘાટા મારુની ઘટનાના સંદર્ભમાં અમારી (એટલે કે દેશની) ભૂમિકા બદલ હું કૅનેડા સરકાર વતી માફી માગું છું. એક સદીથી વધુ સમય પહેલા બહુ મોટા પાયે અન્યાય કરનારી એક ઘટના બની ગઈ હતી.' ભારત-કૅનેડા વચ્ચેના ઈમિગ્રેશન સંબંધોમાં કલંકરૂપ કે કાળી ટીલી લગાડનારી ઘટના માટે કૅનેડાના પીએમે આ બીજી વાર માફી માગી હતી. કોઈ પણ દેશના વડા પ્રધાન કોઈ એક ઘટના માટે બે વખત જાહેરમાં માફી માગે અને એ પાછી આપણા દેશને સ્પર્શતી હોય તો આપણને એ ઘટના જાણવામાં રસ પડે એ સ્વાભાવિક છે. નોંધવા જેવી વાત તો એ છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી કમાઘાટા મારુની ઘટનામાં જે ભાંગરો વટાયો હતો એ કડવાશ દૂર થઇ જાય એ માટે કૅનેડાની સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. કમાઘાટા મારુ જહાજ ૧૯૧૪માં બ્રિટિશ કોલંબિયા (કૅનેડાનો પશ્ર્ચિમી પ્રાંત)ના કિનારે નાંગર્યું હતું. આ જહાજમાં દૂર દેશાવરથી આવેલા સાહસિક લોકો હતા જેઓ બહેતર જીવનની આશા સાથે વસવાટના ઈરાદે નીકળ્યા હતા. છેક કલકત્તાથી કૅનેડા પહોંચેલા લોકોની વ્યથાની કથાનું આમાં વર્ણન છે.

વીસમી સદીના પ્રારંભે કૅનેડાની સરકારે કન્ટિન્યુઅસ પૅસેજ ઍક્ટ નામનો નવો કાયદો ઘડ્યો હતો. આ કાયદા અનુસાર પોતાનો દેશ છોડીને ઇમિગ્રેશન હેઠળ કૅનેડામાં વસવાટ કરવા ઇચ્છતા લોકોએ કૅનેડા સુધી એકધારી મુસાફરી સતત કરવી જરૂરી ગણવામાં આવી હતી. આ નવા કાયદાને અનુસરવા માટે ભારત છોડીને કૅનેડામાં વસવાટ કરવા માગતા લોકોને મદદ કરવામાં અગ્રેસર ગણાતા ગુરદીત સિંહ નામની વ્યક્તિએ જપાનના એસ.એસ. કમાઘાટા મારુ નામના વરાળથી ચાલતા જહાજને ચાર્ટર કર્યું હતું. ભારતથી ઉપડ્યા બાદ ચોથી એપ્રિલ ૧૯૧૪ના દિવસે ૧૬૫ મુસાફરો સાથે તેણે હૉન્ગકૉન્ગના બંદરેથી વિદાય લીધી હતી. રસ્તામાં ચીનના શાંગહાઇ અને જપાનના યોકોહામા શહેરોમાંથી વધુ મુસાફરો જોડાયા. ૪૦ દિવસની દરિયાઇ મુસાફરી પછી ૨૩મી મેએ જહાજ બ્રિટિશ કૉલંબિયા પહોંચ્યું ત્યારે એમાં ૩૭૬ મુસાફરો હતા. લાંબી મુસાફરી કરીને થાકેલા અને કંટાળેલા મુસાફરો મંઝિલ સર થવાથી ગેલમાં આવી ગયા, પણ તેમનો આનંદ ક્ષણજીવી નીવડ્યો. કૅનેડાના સત્તાધીશોએ એ જહાજને નાંગરવાની અનુમતિ ન આપી. મુસાફરોને જહાજ પર જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો. હજુ થોડીવાર પહેલા હાશકારો અનુભવનારા મુસાફરો હતાશ થઇ ગયા. સત્તાધીશો સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી, પણ બે મહિના સુધી કંઇ ઉકેલ ન આવ્યો. ૨૩ જુલાઇએ જહાજને પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો. અલબત્ત ૨૦ લોકોને કૅનેડામાં વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરદેશમાં આશરો મેળવવાના અરમાનો રાખીને આવેલા અન્ય લોકોની આશા પર ઠંડું પાણી રેડાઇ ગયું. ઇસ્ટ ઇન્ડિયનોેને કૅનેડામાં વસવાટ નકારતા દેશના કાયદા હેઠળ તેમને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. આંસુ સારતા બાકીના ઉતારુઓ સાથેનું જહાજ ૨૭ સપ્ટેમ્બરે કલકત્તા પાછું ફર્યું. અહીંયા પણ તકલીફો તેમને જાણે કે આવકારવા તૈયાર હતી. બ્રિટિશ ગનબોટે આ જહાજને પ્રવેશ નકાર્યો. ઉતારુઓને કાયદાઓનો ભંગ કરનારાનું તેમ જ રાજકીય ચળવળકર્તાઓનું લેબલ લાગી ગયું. પોલીસે જહાજ પર આવીને નેતાઓની ધરપકડ કરતા થોડી ધમાચકડી થઇ જેમાં ૧૯ લોકોનું ગોળીબારથી અવસાન થયું અને બાકીનાઓને કેદ કરવામાં આવ્યા.

કમાઘાટા મારુની ઘટનાએ ભારતના પરદેશ વસવાટની પ્રવૃત્તિને એક વળાંક આપ્યો. ભારતીય ઇમિગ્રેશનનો એક હજારો વર્ષોનો લાંબો ઇતિહાસ છે. એક માન્યતા અનુસાર ઇ. સ.૧૧૦૦માં આ સિલસિલો શરૂ થયો હતો જે સમ્રાટ અશોક અને ત્યાર બાદ સમુદ્રગુપ્ત અને ચોલા વંશના શાસકોના કાળમાં પણ જોવા મળ્યો. પ્રથમ ભારતીય ગિરમિટિયા વેપાર ૧૮૨૬મા ફ્રેંચ સરકાર સાથે થયો હોવાનું નોંધાયું છે. બ્રિટિશરોના શાસનકાળમાં ઘણા બ્રિટિશ અને ફ્રેંચ વસાહતોમાં કામગારો મોકલવામાં આવ્યા હતા.એક નોંધ મુજબ આજથી આશરે ૧૭૫ વર્ષ પહેલા બે જહાજ ભરીને કામગારોને વેસ્ટ ઇન્ડિઝ મોકલવામાં આવ્યા હતા. ૨૪૯ શ્રમજીવી સાથેના આ બે જહાજ ૧૩ જાન્યુઆરી, ૧૮૩૮ના દિવસે કલકત્તાથી ઉપડ્યું હતું. ૧૧૨ દિવસની દરિયાઇ મુસાફરીના અંતે ૫ મે,૧૮૩૮ના દિવસે એ ગયાના પહોંચ્યું હતું. આ સાથે ભારતીય કામગારોને વિદેશ મોકલવાની પ્રથાનો પ્રારંભ થયો હતો. આ પ્રથા ૧૯૧૭માં બંધ કરવામાં આવી. બ્રિટિશ ઉદ્યોજકોને ભારતીય શ્રમજીવીઓ એકદમ રાહતના દરે ઉપલબ્ધ થતા હતા. જોકે, ભારતને આઝાદી મળ્યા પછી સારી નોકરીની તલાશમાં અથવા કાયમી વસવાટના ઇરાદાથી ભારતીયો મોટી સંખ્યામાં દેશ છોડીને પરદેશ જતા થયા. ૨૦૧૩ની આંકડાકીય માહિતી મુજબ પરદેશમાં વસતા ભારતીયોની સંખ્યા અઢી કરોડને આંબી ગઇ છે અને આ આંકડો વધી રહ્યો છે. જોકે, વિદેશી વસવાટનો કમાઘાટા મારુનો પ્રસંગ વિસરાશે નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment