Thursday 11 February 2016

[amdavadis4ever] રાજહઠ, સ્ ત્રીહઠ, બા ળહઠ અને અ ાંદોલનઃ ગુ જરાતમાં પ ાટીદાર અના મતની આગ Kana Bantva

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજહઠ, સ્ત્રીહઠ, બાળહઠ  અને અાંદોલનઃ ગુજરાતમાં પાટીદાર અનામતની આગ
ખી ચ પકડ મુઝે જોર આતા હૈ જેવી સ્થિતિ છે. પાટીદારો આંદોલન પાર્ટ–3 શરૂ કરી રહ્યા છે, સમાધાનની આશાઓ ડૂબી રહી છે. સરકાર મુસ્તાક છે પોતાના તંત્રબળ ઉપર, ઠાકોરો ઉપર, કોંગ્રેસની મૂર્ખાઈ ઉપર. કોંગ્રેસની મૂર્ખાઈ જ વળી, બીજું શું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદારોએ જિતાડ્યા એટલે વિધાનસભાની આશા કોંગ્રેસીઓના મનમાં જાગે એ સ્વાભાવિક જ હોય, પણ ગુજરાતમાં કોંગ્રેસ જાણે નહીં જ જીતવાનો નિશ્ચય કરીને બેઠી હોય એમ પ્રવીણ રાષ્ટ્રપાલે ભયંકર નિવેદન કર્યું. પાટીદારો વિમુખ થઈ જાય એવું નિવેદન. પાટીદારો કોંગ્રેસને જાકારો અાપે એવું નિવેદન. અલ્પેશ ઠાકોરે વિશાળ સભા કરી અેનાથી સરકારને ચાનક ચડી છે. પાટીદાર આંદોલનની સામે પણ જો ઠાકોર સમાજ વ્યસનનો વિરોધ કરે તે સર્વદા આવકાર્ય છે. જે રીતે જનતા રેડ થઈ રહી છે તે માત્ર ઠાકોર સમાજ માટે જ નહીં, ગુજરાતના તમામ નાગરિકો માટે આવકાર્ય પગલું છે. પાટીદાર આંદોલનના રિએક્શનરૂપે આ પ્રથમ ફાયદો ગુજરાતને થઈ રહ્યો છે.

હાર્દિક પટેલ જેલમાંથી પત્રોનો મારો ચલાવીને સરકારને ગૂંચવણમાં નાખી રહ્યો છે અથવા, આંદોલનને દિશા આપી રહ્યો છે. સમાધાન બાબતે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાર્દિક સહિતના નેતાઓને સરકાર છોડી દે તો પણ અનામત આંદોલન યથાવત્ રહેશે. સમાધાન નહીં થાય. અનામત મળે તો જ સમાધાન એ બાબત હાર્દિકના સંખ્યાબંધ પત્રો ઉપરથી સ્પષ્ટ થઈ ગઈ છે. આંદોલનનો ત્રીજો તબક્કો પણ બીજા તબક્કાની જેમ નેતૃત્વવિહીન છે. અર્થાત્, પાટીદારો પોતપોતાની રીતે અાંદોલન ચલાવતા રહેશે. પાટીદારોએ બે બાબતો આંદોલનમાં યાદ રાખવી જરૂરી છે. પ્રથમ, હિંસા કે તોડફોડને લોકશાહીમાં સ્થાન નથી. બીજું, સરકાર ઉપર દબાણ લાવવાનો તેમનો ઉદ્દેશ હોવો જોઈએ.

આવું થવાનું કારણ માત્ર એ હતું કે જેઓ સરકારને વહાલા થવા માટે કે કોઈ લાભની અપેક્ષાએ વચ્ચે પડવા ગયા તેઓ ઉઘાડા પડી ગયા. તેમનો સ્વાર્થ ઉઘાડો પડી ગયો. પાટીદારોએ અેવું માની લીધું કે આ લોકો સમાજને નહીં, સરકારને અને પોતાના સ્વાર્થને સમર્પિત છે અને એટલે જ કદાચ, હાર્દિક પટેલે પોતાના પત્રોમાં સમાજના અગ્રણીઓને ઝાટકી નાખ્યા. પાટીદાર યુવાનો છેલ્લા ઘણાં સમયથી એ બાબત સારી રીતે જાણી ગયા છે કે તેમના અમુક સામાજિક અને રાજકીય અગ્રણીઓ માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે. આંદોલન શરૂ થયું ત્યારથી આવા અગ્રણીઓ માટે ભોં ભારે થઈ પડી છે. મોં દેખાડવું અઘરું થઈ પડ્યું છે. એટલે હવે સમાધાન માટે વચ્ચે પડનાર સો વખત વિચાર કર્યા પછી જ આગળ વધશે. હવે મધ્યસ્થી તે જ કરી શકશે જે સાચા અર્થમાં સમાજને સમર્પિત હોય અને જેને સમાજની ચિંતા હોય, સ્વની ચિંતા ન હોય, સ્વાર્થની ચિંતા ન હોય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment