Friday, 25 December 2015

[amdavadis4ever] પિતા : વા રસાનો વડલ ો અને વહા લનો વરસાદ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મા એ આ વિશ્વનું સનાતન સત્ય છે અને પિતા એ વિશ્વાસ છે. મા વગર પિતાનાં અસ્તિત્વની કોઈને ખબર નથી હોતી. પિતા પર વિશ્વાસ મૂકવાનું આપણને માતા જ કહે છે અને શીખવે છે. પિતાનો સ્વીકાર પણ આપણે માતાના કહ્યે જ કરીએ છીએ. બાળકને માતા જ જણાવે છે કે તેની સાથે રહેતો પુરુષ તે તેનો પિતા છે. આ રીતે બાળક પિતામાં વિશ્વાસ કરતાં શીખે છે. આપણે ત્યાં આ વાત સમાજના કહેવાતા મોભીઓનું નાકનું ટેરવું ચડાવી જાય તેવી છે પણ વાત સાચી છે. કોઈ સ્ત્રી મક્કમતાથી એમ કહે કે તેનો પતિ તેનાં સંતાનનો પિતા નથી તો સમાજમાં ઊહાપોહ થઈ જાય. આપણા પુરુષપ્રધાન સમાજમાં આ માન્યતા દૃઢ થઈ ગઈ છે પણ કોઈ સ્ત્રી લગ્નેતર સંબંધ ધરાવતી હોય તો પોતાનાં સંતાનને મક્કમતાથી ન કહી શકે કે તેનો પિતા કોણ છે. ભારતીય સમાજમાં આ બદી નથી પણ વિશ્વમાં ઘણા દેશોમાં આ સ્થિતિ છે.
પિતા માટે બાળકો હોવાં તે સામાન્ય બાબત છે. કુદરતે તેની પ્રજોત્પત્તિની શક્તિ આપી છે, તે ગમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીને પોતાનું સંતાન જન્માવી શકે છે પણ સંતાનો પાસે એવી કોઈ તાકાત નથી કે તે પોતાના સાચા પિતાનું સર્જન કરી શકે. આ વ્યક્તિને ભૌતિક રીતે તો માત્ર પોતાનાં સંતાન સાથે ડીએનએ અને ક્રોમોઝમનો જ સંબંધ હોય છે. તાત્ત્વિક રીતે જોઈએ તો આ એક એવું પાત્ર છે જે સમાજમાં ઉપર રહીને તેનું સંચાલન કરવા મથે છે. આપણા સમાજમાં કુળ પિતાનું, ગોત્ર પિતાનું, સંસ્કારો પિતાના પણ આ બધુ સિંચન કરે છે માતા. યશોદા હોય કે જીજાબાઈ કે કોઈ પણ મહાપુરુષની માતા હોય, આજે પણ સમાજ તેને જ યાદ કરે છે, તેમના પિતા કોણ હતા એટલું જાણે છે પણ તેનું યોગદાન શું તેની કોઈ ચર્ચા નથી કરતું.
આપણે ત્યાં પિતાનું નામ લખવું ફરજિયાત છે. પિતાનું નામ ન ધરાવતું બાળક અનૌરસ ગણાતંુ હતું અને ગણાય છે. સંજલ લીલા ભણસાલી પોતાની માતાનું નામ લખે તે ચાલે અને તેને પગલે ઘણાં લોકો પોતાની માતાનું નામ લખે છે. સમાજ તે સ્વીકારતો થયો છે છતાં તેના પિતા વિશે સહજ પૃચ્છા તો કરાય જ છે. માત્ર જાણ ખાતર પણ પિતા વિશે લોકો માહિતી મેળવતાં હોય છે. આપણે ત્યાં પિતા માત્ર અર્થોપાર્જનનું સાધન અને સમાજના મોભી તરીકે જ રજૂ થયો છે. તેણે ઘરમાં કે બાળઉછેરમાં કેટલું યોગદાન આપ્યું તેના કોઈ નિયમો ય નથી અને તેના કોઈ માપદંડ પણ નથી. કોઈ પિતા બાળક માટે ઉજાગરા કરે કે પછી પોતાના નવજાતને હાલરડાં ગાઈને સુવડાવે તેવા પિતા કેટલા હશે. આંગળીના વેઢે ગણાય તેવા હશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment