Monday, 26 October 2015

[amdavadis4ever] ધોની-કોહલી વચ્ચ ે જ નહી, ઇન્ડિયા ના આ પ્લેયરો વચ ્ચે પણ હતો વિવાદ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોહમ્મદ અઝહરુદ્દિન અને સચિન તેંડુલકર.

ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીમાં 3-2થી પરાજય થયો છે. જેમાં અંતિમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ 214 રને ભવ્ય વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરી હતી.  ભારતે આ શ્રેણીમાં કાનપુર અને રાજકોટમાં રમાયેલી બે મેચો એકસમયે હાથમાં આવી ગઈ હોવા છતા ગુમાવી હતી. કાનપુર વન-ડેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પરાજય માટે  વાઈસ કેપ્ટન વિરાટ કોહલીની ધીમી બેટિંગને જવાબદાર ગણાવી હતી.  આ સમયે એવી પણ ચર્ચા ઉઠી હતી કે કોહલી જાણી જોઈને ટીમને હરાવી રહ્યો છે. ધોની અને કોહલીના મતભેદ ખુલીને બહાર આવ્યા હતા.  પરાજય માટે ધોની-કોહલીના મતભેદને પણ જવાબદાર માનવામાં આવે છે. ભારતીય ટીમના કેપ્ટન અને ટીમના સ્ટાર ખેલાડી વચ્ચે મતભેદ થયા હોવ તેવો પ્રથમ બનાવ નથી.  આ પહેલા પણ ભારતીય ક્રિકેટરોમાં આવી ઘટનાઓ બની છે. 
  
સચિન અને અઝહરનો વિવાદ
 
ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દિન વચ્ચે કેપ્ટનને લઈને વિવાદો રહ્યા છે. સચિનને 1996માં અઝહરના સ્થાને કેપ્ટન બનાવ્યો હતો. આ સમયે અઝહર ઘણો નારાજ થયો હતો. સચિનની કેપ્ટન્સીમાં અઝહર જાણી જોઈને સારી રીતે પ્રદર્શન કરતો ન હતો. અઝહરે એવું પણ નિવેદન કર્યું હતું કે, 'નહી જીતીએ, નાના (છોટે)ના નસીબમાં જીત નથી.'

મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી(જમણે).

વિરાટ અને ધોનીનો વિવાદ
 
વિરાટ કોહલી અને ધોની વચ્ચે કેપ્ટનને લઈને ચાલતો વિવાદ જગ જાહેર છે.  ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા બાદ કોહલીને વન-ડે અને ટી-20માં પણ કેપ્ટન બનવું છે. બીજી તરફ ધોની કેપ્ટન તરીકે યથાવત રહેવા માંગે છે. બન્નેએ ઘણી વખત એકબીજાને આડકતરી રીતે નિશાન બનાવ્યા છે. બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણીમાં પરાજય બાદ કોહલીએ ધોનીને કેપ્ટન્સી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. 

ગૌતમ ગંભીર અને ધોની.

સહેવાગ-ગંભીર અને ધોની
 
ભારતના સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ અને ધોનીનો વિવાદ પણ જાણીતો છે. ધોનીને 2007માં ટી-20 અને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો ત્યારે ટીમના સીનિયર ખેલાડીઓ વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર નારાજ હતા. આ બન્ને ક્રિકેટરો આ સમયે કેપ્ટન બનવા માટે પોતાની દાવેદારી રજુ કરતા હતા.  જોકે આ બન્ને વચ્ચે ધોની ફાવી ગયો હતો.  આ પછી ઘણી વખત આ ત્રણેય ક્રિકેટરો વચ્ચે મતભેદની ખબરો આવી હતી.

કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દિન(જમણે).
કપિલ દેવ અને અઝહર
 
ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દિન વચ્ચે પણ અણબનાવ હતો. જોકે આ અણબનાવ કપિલ દેવને ટીમમાં સ્થાન ન આપવાના લઈને હતો. કપિલ દેવ ન્યૂઝીલેન્ડના રીચર્ડ હેડલીના સૌથી વધારે રેકોર્ડ તોડવાની નજીક હતો. આ સમયે અઝહર કપિલ દેવની ટીમમાંથી હકાલપટ્ટી કરવાના પક્ષમાં હતો.  આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા પછી કપિલ દેવ ફક્ત એક ટેસ્ટ રમ્યો હતો.

સુનીલ ગાવસ્કર.
સુનીલ ગાવસ્કર.

બિશનસિંહ બેદી અને સુનીલ ગાવસ્કર
 
1976માં સુનીલ ગાવસ્કરને બિશનસિંહ બેદીના સ્થાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન બનાવ્યો હતો. આ પ્રથમ ટેસ્ટમાં ગાવસ્કરે ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. જોકે બીજી ટેસ્ટમાં આશ્ચર્યકારક નિર્ણય કરતા બિશનસિંહ બેદીને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે ગાવસ્કર નારાજ થયો હતો.  આ ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment