Sunday, 25 October 2015

[amdavadis4ever] અમેરિકાનું ફોર્ ડ ફાઉન્ડેશન ભાર તને તોડવાનું કા મ કરી રહ્યું છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વમાં ભંડોળની દૃષ્ટિએ સૌથી મોટી બિનસરકારી સંસ્થા ગણાતું અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં તેની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને કારણે સરકારની આંખે ચઢી ગયું છે. તિસ્તા સેતલવાડના સબરંગ ટ્રસ્ટને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા જે લાખો ડૉલરની મદદ મળતી હતી તેનો ઉપયોગ તેણે ભારતના મુસ્લિમોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા માટે કર્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએનાં મહોરાં તરીકે જાણીતું છે. ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએના ગઠબંધન બાબતમાં ઇન્ટરનેટ પર સેંકડો લેખો અને સંશોધન પત્રો મળી શકે તેમ છે. ભારતની ઘણી બિનસરકારી સંસ્થાઓ આપણા સમાજને તોડવાનું અને તેમાં પશ્ર્ચિમી મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું રહસ્યમય કાર્ય કરે છે. આવી અનેક સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન લાખો ડૉલરની ખેરાત કરે છે. કેન્દ્ર સરકારે ફોર્ડ ફાઉન્ડેશનને વોચલિસ્ટ ઉપર મૂક્યું તેને કારણે તેનું ભંડોળ મેળવીને જલસા કરતી સંસ્થાઓના કાર્યકરો બુમરાણ મચાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારના માથે માછલાં ધોઇ રહ્યા છે. અમેરિકાની બિન્ઘમ્પટોન યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર જેમ્સ પેટ્રાસે ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએ વચ્ચેની કડીનો પર્દાફાશ કરતો એક લેખ લખ્યો છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારત જેવા વિકાસશીલ દેશોના બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, મહિલા કાર્યકરો, મજૂર આગેવાનો, યુનિવર્સિટીના પ્રોફેસરો, પત્રકારો વગેરેને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને આપણા દેશમાં અમેરિકાપરસ્ત વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૭૬માં અમેરિકી કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનાં ફાઉન્ડેશનો દ્વારા વિદેશી સંસ્થાઓને જે ૭૦૦ ગ્રાન્ટો આપવામાં આવી હતી તેમાં સીઆઇએનો ફાળો ૫૦ ટકા હતો. આ ફાળાનો ઉપયોગ તે દેશોની જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. 

ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ છેક ઇ.સ. ૧૯૫૨ની સાલમાં ખોલવામાં આવી હતી. ભારતના આઝાદ થયા પછી તેલંગણામાં કિસાનોનું જમીન આંદોલન ચાલી રહ્યું હતું. તેલંગણાના કિસાનો જમીનદારો સામે યુદ્ધે ચઢ્યા હતા. તેમને નકસલવાદીઓનો ટેકો હતો. ભારત સરકારનાં સુરક્ષા દળો આ આંદોલનને શાંત કરવામાં નાકામ પુરવાર થયા હતા. અમેરિકાને ચિંતા પેઠી હતી કે ચીનની જેમ ભારતમાં પણ સામ્યવાદ ફેલાઇ જશે. તેણે સીઆઇએને કામગીરી સોંપી હતી કે તે નકસલવાદી નેતાઓનો સંપર્ક સાધીને તેમને ફોડી કાઢે. સીઆઇએ ભારતમાં આ કામગીરી સીધી બજાવી શકે તેમ નહોતું. તેને કોઇ મહોરાંની જરૂર હતી. આ મહોરાં તરીકે ફોર્ડ ફાઉન્ડેશનને ભારતમાં લાવવામાં આવ્યું હતું. ફોર્ડ ફાઉન્ડેશનને નહેરુ સરકારે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ગામડાંના ખેડૂતો વચ્ચે કામ કરતા ૩૫,૦૦૦ સ્વયંસેવકોને તાલીમ આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. હકીકતમાં આ સ્વયંસેવકોને મૂડીવાદી વિચારના બનાવી દેવામાં આવ્યા હતા. પરિણામે ટૂંક સમયમાં તેલંગણામાં શરૂ થયેલું કિસાન આંદોલન શાંત પડી ગયું. ફોર્ડ ફાઉન્ડેશનની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આમંત્રણથી ઇ.સ. ૧૯૫૨માં દિલ્હીમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ શરૂ કરવામાં આવી. હકીકત કાંઇક અલગ જ છે. ભારતમાં સામ્યવાદના વધી રહેલા પ્રભાવથી અમેરિકા ચિંતિત હતું. ભારતમાં સામ્યવાદવિરોધી વિચારધારાને પ્રમોટ કરે તેવી કોઇ એજન્સી અમેરિકા ખોલવા માગતું હતું. આ માટે ફોર્ડ ફાઉન્ડેશનને પસંદ કરવામાં આવ્યું હતું. તે સમયે ચેસ્ટર બોવલેસ ભારતમાં અમેરિકાના રાજદૂત હતા. તેમણે નહેરુને મળીને ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ ખોલવા તેમને સમજાવ્યા હતા,પરિણામે ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં આવ્યું હતું. 

ભારતમાં જે પંચવાર્ષિક યોજનાઓ શરૂ કરવામાં આવી તે પણ અમેરિકી પદ્ધતિના મૂડીવાદને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતો ભારતના આયોજન પંચમાં પણ ગોઠવાઇ ગયા હતા. તેમણે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને બજાર મળી રહે તે મુજબ ભારતનો વિકાસ કરવાનું આયોજન સરકારના ગળે ઉતારી દીધું હતું. ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં ભારતમાં જે હરિયાળી ક્રાંતિ શરૂ કરવામાં આવી તે પણ ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતોના ઇશારે શરૂ કરવામાં આવી હતી. આ ક્રાંતિને કારણે યુરોપ અને અમેરિકાની રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણનું ઉત્પાદન કરતી કંપનીઓને અઢળક નફો થયો હતો. 

ભારતની જેટલી શૈક્ષણિક, સામાજિક, આરોગ્યના ક્ષેત્રની, મહિલાઓના કલ્યાણના ક્ષેત્રની, પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલી, પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી, બાળકોના હક્કો માટે લડવાનો દાવો કરતી અને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરતી સંસ્થાઓ દેશમાં પશ્ર્ચિમી સંસ્કૃતિનો પ્રચાર કરવાનું કાર્ય કરે છે, તેને ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ સહેલાઇથી મળી રહે છે. ભારતની લગભગ ૧,૨૫૦ સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૫૦.૮ કરોડ ડૉલરની મદદ કરવામાં આવી છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેની યાદી તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે આ સંસ્થાઓ કઇ પ્રવૃત્તિ કરે છે અને તેમને ક્યાં કારણે ગ્રાન્ટ આપવામાં આવી છે. 

ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ મળે છે તેમાં મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝનો સમાવેશ થાય છે. આ સંસ્થાનું કાર્ય ભારતમાં બની રહેલા સિંચાઇ પ્રોજેક્ટોનું પર્યાવરણીય આકલન કરવાનું અને તેમાં રોડાંઓ નાખવાનું છે. નર્મદા બચાવો આંદોલન કરનારાં મેધા પાટકર પણ આ સંસ્થામાં પર્યાવરણની તાલીમ લઇને બહાર પડ્યાં હતાં. જામિયા મિલિયા ઇસ્લામિયા નામની લઘુમતીઓની યુનિવર્સિટીને પણ ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ મળે છે. આ યુનિવર્સિટીમાં ભણતા મુસ્લિમોને ભારત સરકાર સામે ઉશ્કેરવામાં આવે છે. 

મુંબઇની આઇઆઇટી કોલેજને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવે છે. આઇઆઇટીમાં તૈયાર થયેલા એન્જિનિયરો પશ્ર્ચિમી પદ્ધતિના યંત્રવાદનો અને ઉદ્યોગોનો ભારતમાં ફેલાવો કરવામાં મદદ કરે છે. અરવિંદ કેજરીવાલની સંસ્થા કબીરને ફોર્ડ ફાઉન્ડેશનની ચાર લાખ ડૉલરની સહાય મળી હતી. કબીર સંસ્થા દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોમાં આધુનિક શિક્ષણનો પ્રચાર કરવાનું કામ કરે છે. સેન્ટર ઓફ પોલિસી રિસર્ચ નામની સંસ્થાને ઇ.સ. ૨૦૧૩-૧૪ દરમિયાન ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ૬૨.૩ લાખ રૂપિયાની મદદ મળી હતી. આ સંસ્થા મૂડીવાદનો ફેલાવો કરવાનું કામ કરે છે. તાજેતરમાં દિલ્હીના ગેન્ગરેપ બાબતમાં બીબીસી દ્વારા જે વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી તેને પણ ફોર્ડ ફાઉન્ડેશને સહાય કરી હતી. અમેરિકા દ્વારા ભારતની સંસ્કૃતિને તોડવા બુદ્ધિજીવીઓને વટલાવવાનું મિશન ફોર્ડ ફાઉન્ડેશન દાયકાઓથી ચલાવી રહ્યું છે. ફોર્ડ ફાઉન્ડેશનની મદદ લઇને તૈયાર થયેલા નિષ્ણાતો ઘણી સરકારી એજન્સીઓમાં પણ ઘૂસી ગયા છે. તેમની પણ સાફસૂફી સરકારે કરવી જોઇએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment