Sunday, 25 December 2016

[amdavadis4ever] નાતાલનો તા લ: ક્યાંક સુરીલો, ક્ યાંક બેસૂરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ વરસે નાતાલ અને નવું વરસ શનિ-રવિના વીક એન્ડમાં આવી રહ્યા છે. વળી જેના બાળકો શાળામાં ભણતા હોય તેમને માટે તો ક્રિસમસનું વેકેશન એટલે ફરવાનો પરવાનો પણ આ વરસે માહોલ જરા જુદો છે. આ વખતે નોટબંધીની હવાએ વેકેશનને ઠંડી પાડવાનો પ્રયત્ન કર્યો છે. તે છતાં કેટલાક સાહસવીરો ગમે તેવા સંજોગોને હંફાવવા તૈયાર જ હોય છે. 

નાતાલમાં દરવરસે ફરવા જનારાઓને ભાગ્યે જ કોઈ એવું કારણ હોય છે કે તેમને ઘરમાં રોકી રાખેે છે. નોટબંધીની સમસ્યાઓને કારણે દિવાળીના વેકેશનમાં ફરવા ગયેલાઓને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે નાતાલના વેકેશનમાં પણ ફરવા જનારાઓને કેશક્રન્ચ નડી રહી છે પણ એટલી નહીં. કારણ કે ફરવા જનારાઓએ પહેલેથી તૈયારી કરી રાખી હતી. એક ટ્રાવેલ એજન્ટના કહેવા પ્રમાણે જ્યારે નવેમ્બરમાં પ્લેન અને ટ્રેનના બુકિંગમાં જૂની નોટ સ્વીકારાતી હતી ત્યારે ઘણા લોકોએ બહારગામ જવાનો પ્લાન બનાવીને બુકિંગ કરાવી લીધું હતું. તેમાં પણ વિદેશ ફરવા જનારાઓએ તો બે થી ત્રણ મહિના આગોતરા જ પ્લાનિંગ કર્યું હોય એટલે તેમના માટે તો વેકેશન નક્કી જ છે. બીજું એ કે હવે દરેક લોકો ઓનલાઈન બુકિંગ કરાવતા થઈ ગયા છે. ટ્રાવેલ એજન્ટ પાસે ય જો તેઓ આખું ય વેકેશન પેકેજ ખરીદે છે તો ઓનલાઈન પેમેન્ટ કરવાની સગવડ હોય જ છે. વળી પેકેજમાં લોકોએ જરાપણ કેશની ચિંતા કરવાની હોતી નથી. પ્લેન કે ટ્રેન સાથે હોટલ અને ફરવા માટે ગાડીનું પણ બુકિંગ થઈ ગયું હોય છે. હા જો અસર પડે છે તો લોકલ ખરીદી પર ચોક્કસ અસર પડી રહી છે. 

જેમકે દિલ્હી કે કોલકોત્તા કે પછી રાજસ્થાન ફરવા ગયા હોય ત્યાં લોકલ ચીજવસ્તુઓની ખરીદી પર ચોક્કસ અસર પડી છે. નાના વેપારીઓ જે કાર્ડ સ્વીકારતા નથી તેમના ધંધાને અસર થઈ છે પણ મોટા વેપારીઓ હવે કાર્ડ સ્વીકારતા થયા હોવાથી પ્રવાસીઓને તકલીફ થતી નથી.

મનાલીમાં આવેલી એક મોટી હોટલના માલિકનું કહેવું છે કે મોટાભાગની હોટલ કે રેસ્ટોરાંમાં પણ કાર્ડ સ્વીકારાતા હોવાથી થ્રી સ્ટાર કે તેનાથી મોટી હોટલ કે રેસ્ટોરાંમાં કોઈ સમસ્યા નોટબંધીને કારણે આવતી નથી. જે સમસ્યા આવે છે તે હોટલવાળાને ચોક્કસ જ થાય છે કે તેમણે શાકભાજી કે બીજી વસ્તુઓ રોજબરોજના ઉપયોગ માટે ખરીદવી પડે છે તેને માટે રોકડા હોતા નથી. બીજું કે અત્યાર સુધી ઘણાં લોકો કેશ પૈસા આપતા હતાં તે હવે નથી આપી શકતા એટલે કેશ અર્થાત રોકડાથી જ લેવડદેવડ કરતાં હતા તેવા લોકો ઓછા થયા હોવાથી વીસથી ત્રીસ ટકા બુકિંગ ઓછું જરૂર થયું છે. 

આમ જોઈએ તો કેશક્રન્ચને લીધે નાતાલ વેકેશનના પ્રવાસમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પણ તે નાની હોટલોમાં જ ફરક જોવા મળે છે. મોટી હોટલોમાં તો પહેલાંથી જ કાર્ડ દ્વારા પેમેન્ટ લેવાતું હોવાથી તેમને ખાસ કોઈ ફરક પડ્યો નથી પણ નાની હોટલો જ્યાં રોકડેથી જ વહેવાર ચાલતો હતો તેમાં ઘણો મોટો ફટકો પડી રહ્યો છે. નાની હોટલોમાં પચાસ ટકા રૂમો ખાલી મળી રહે છે. એટલે કે આ વરસે જેમણે આગોતરું પ્લાનિંગ ન કર્યું હોય તેઓ અઠવાડિયા પહેલાં પણ પ્લાનિંગ કરીને સારી ડીલ મેળવી શક્યા છે જે દર વરસે શક્ય નહોતું બનતું. અઠવાડિયા પહેલાં ગોવા અને અન્ય જગ્યાએ જવા માટે પ્લેનના ભાડા હજી એટલા મોંઘા નહોતા થયા. તેમાં ઑફ સીઝન કરતાં વીસેક ટકાનો જ વધારો નોંધાયો હતો. હા ૨૪ તારીખ એટલે કે શનીવારની રાતના પ્લેનના ભાડાં પચાસથી સાઈઠ ગણા કે બસો ગણા સુધી ચોક્કસ જ વધી ગયા હતા. પણ આ તો ક્રિસમસ અને ન્યુયરના વીકએન્ડની રાત હોય તો લોકો કમાઈ લેવાનો ચાન્સ છોડવા માગે જ નહીં તે હકીકત છે. 

હા, વિદેશ ફરવા જનારાને એક્સચેન્જમાં થોડી તકલીફ થવાનો સંભવ જરૂર છે. એક તો રૂપિયો ઘટી ગયો અને ડોલર અને પાઉન્ડ વધી ગયો. બીજું કે વિદેશમાં એક્સચેન્જમાં ય તકલીફ થવાની સંભાવના હોવાથી અહીંથી જ તૈયારી કરીને જવું પડે. ટ્રાવેલર ચેક્સ અને ક્રેડિટ કાર્ડ અહીં પણ ઉપયોગી થઈ શકે એમ છે. કેશ ઓન હેન્ડ ઓછું થવાથી કેટલાક લોકોન ેલાગે છે કે ચિંતામુક્ત પ્રવાસ થઈ શકે છે. હા, કેટલાક લોકો જે નેપાળ તરફ જવાના હતા તેમને તકલીફ થવાની શક્યતા વધુ છે કારણ કે નેપાળની સરકાર નવી નોટો પણ સ્વીકારવાની ના પાડી રહી છે. આ વરસે નાના નાના દેશોનો પ્રવાસ કરનારાઓની સંખ્યા વધુ છે. જેમ કે ભૂતાન, ઈન્ડોનેશિયા, વિયેતનામ, બાલી, મલેશિયા-સિંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડ વગેરે કારણ કે એક તો આ દેશોના પ્રવાસનો ખર્ચ ભારતીય પર્યટન સ્થળ જેટલો જ હોય છે. બીજું વિદેશ જઈ આવ્યાનો અહેસાસ પણ થાય છે. તે છતાં શિયાળામાં બરફ માણવા માટે લોકો મનાલી, કાશ્મીર, સિમલા જેવા જાણીતા સ્થળોએ તો જતાં જ હોય છે. પાર્ટી કરવાના શોખીનોની પહેલી પસંદ આજે પણ ગોવા જ રહે છે. તે છતાં એ લોકો પણ હવે બેંગકોક, દુબઈ કે પછી બ્રાઝિલ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે પછી ક્રોશિયા જેવા નાનકડા દેશમાં જવા તૈયાર હોય છે. ઈટાલી કે રોમ પણ ભારતીયોને હવે એક્સપ્લોર કરવું ગમે છે. બાલી, માલદિવ્સ, હોલેન્ડ, વેનિસ, પેરિસ જેવા શહેરો ઓલટાઈમ ફેવરિટ રહ્યા છે પણ નાતાલમાં લોકો ખાસ ફેસ્ટિવ માહોલ માણવા માટે પ્લાન કરે છે. આ વરસે પણ વિદેશની રંગત ઝાંખી નથી પડી ખાસ કરીને યુરોપની. 

ભારતીય સ્થળોમાં પણ હિમાલયમાં આવેલા જાણીતા સ્થળો મેકલોડગંજ, ધરમશાલા, મનાલી, ખજ્જર, ડેલહાઉઝી, ચંદીગઢ, લખનૌ, પૌડિંચેરી સાથે આ વરસે સનબર્નને કારણે પૂના પણ ફેવરિટ લીસ્ટમાં મૂકાઈ ગયું છે. મુંબઈના જે લોકો દૂરના પ્રવાસે નથી જવાના તેઓ વીકએન્ડમાં લોનાવાલા, પૂના જરૂર જશે. નોટબંધીની બૂમાબૂમ હોવા છતાં મહોલ મસ્તીનો છવાયેલો રહેશે જ તેમાં કોઈ બે મત નથી. હા, ગયા વરસ કરતાં આ વરસે લોકોને ખિસ્સા કદાચ વધુ ખાલી ન કરવા પડે, કારણ કે નોટબંધીને કારણે જે મંદ માહોલ છે તેને લીધે લોકોને પ્રવાસ થોડો સસ્તો પડી શકે એમ છે. ઓછા ખર્ચે મનગમતાં સ્થળે પ્રવાસ કરવા મળતો હોય તો હોટલવાળાઓને અને ટ્રાવેલ એજન્ટોને છેલ્લી ઘડીએ લોકોનો ધસારો વધે તેવી શક્યતા જણાઈ રહી છે. આ વખતે જેમણે પહેલેથી પ્લાન નથી કર્યું તેઓ બે ચાર દિવસનું નાનું વેકેશન તરકાલી, કેરાલા, પોડિંચેરી, દમણ, દીવ કે પછી પ્લેનમાં જ્યાં પહોંચી શકાય તેવા સ્થળે જઈ રહ્યા છે. રાજસ્થાનના રણથી લઈને ક્ચ્છનું રણ પણ લોકોને આકર્ષી રહ્યા છે. લોકોને આકર્ષવા માટે અનેક આકર્ષક પેકેજીસ ટ્રાવેલ કંપનીઓ તૈયાર કરી રહી છે જેથી ૨૦૧૬ને બને તેટલો કેશ કરી શકાય અને નવા વરસને મસ્તીથી લોકો પણ વધાવી શકે. અંગત ટૂરને પણ તેઓ પ્રાધાન્ય આપી રહ્યા છે કારણ કે આ વરસે ગ્રુપ ભેગું કરવું કદાચ શક્ય ન બને. મિઝોરમ, સિક્કિમ અને ઓરિસ્સા પણ લોકોના લીસ્ટમાં ઉમેરાઈ રહ્યા છે. નામ ન આપવાની શરતે એક મોટી ટ્રાવેલ કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે નોટબંદીની તકલીફ તો છેલ્લા મહિનાથી છે પણ લોકો પાસે ખરીદશક્તિ વધી હોવાને કારણે અને પ્લેનનો પ્રવાસ સસ્તો હોવાને લીધે ભારતમાં હવે લોકો નાના નાના બે થી ત્રણ વેકેશન માણતા થયા છે. બીજું કે વિશ્ર્વમાં મંદીની અસર છે પણ ચીન અને ભારત બે જ દેશ એવા છે કે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના ઘરોમાં પગારના ધોરણ વધ્યા હોવાથી પણ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે તે નાતાલમાં ઓછી થાય તેમ નથી. વળી ગરમીમાં જવાને બદલે લોકો શિયાળામાં ફરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. એટલે ભલે ગમે તેટલી નોટબંધીની તકલીફ દેખાતી હોય તે છતાં પ્રવાસન સ્થળોએ લોકોનો ધસારો સાવ ઓછો થાય તેવી શક્યતા દેખાતી નથી. 

તમે જ્યારે આ લેખ વાંચતા હશો ત્યારે નાતાલનો તાલની રિધમ તૂટી નહીં હોય એટલે જો તમે હજી કોઈ પ્લાન ન બનાવ્યો હોય તો ચોક્કસ બનાવી લેશો. નવા વરસને નવી જગ્યાએથી સૂર્યોદય જોવાનો લ્હાવો લેવા માટે હજી મોડું થયું નથી. સૌથી સારી વાત એ છે કે જો તમે કુશાંદે ફરવામાં માનતા હો તો કેશલેસ પ્રવાસ કરી શકો છો, અને જો તમે સાહસી હો તો આમ પણ બારગેઈન કરીને નોટબંધીમાં ઓછા ખર્ચે આનંદ માણી શકશો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment