Saturday 31 December 2016

[amdavadis4ever] ૨૦૧૬ના વરસની ‘ગ ુડ મૉર્નિંગ’ યાત ્રા....ક્યા ભૂલુ ં, ક્યા યાદ કરું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વીતેલા ૩૬૫ દિવસ દરમિયાન 'મુંબઈ સમાચાર'ના તંત્રી નીલેશ દવે અને એમની સંપાદકીય ટીમમાંના મારા તમામ મિત્રોના સહકારથી મારી 'ગુડ મૉર્નિંગ' દૈનિક કૉલમમાં ૩૫૦થી વધુ લેખો લખ્યા. રોજેરોજ સતત લખતાં રહેવાથી મારી માનસિક સ્ફૂર્તિ બરકરાર રહેતી હોય છે. નિયમિત એક્સરસાઈઝ કરનારાઓને અનુભવ હશે કે બે દિવસ જો તમે જિમમાં ન ગયા તો શરીર સુસ્ત બની જતું હોય છે. હું મારા લેખનને કસરત કે વ્યાયામ સાથે નહીં, પણ રિયાઝ સાથે સરખાવું છું. પંડિત જસરાજજી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજી, પંડિત શિવકુમાર શર્માજી-પ્રેક્ટિકલી આવા દરેક મહાન સંગીતકારો કારકિર્દીના અને જીવનના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા પછી આજની તારીખે પણ રોજ નિયમિત કલાકો સુધી રિયાઝ કરતા હોય છે. હું આ શિખરની તળેટીના પ્રથમ પગથિયે છું એટલે મારા માટે તો રિયાઝ છોડી દેવો એ મારા માનસિક મૃત્યુ જેટલું ઘાતક પુરવાર થાય.
વર્ષના આરંભે આ વિચારો મનમાં સર્જવા અને તમારી સમક્ષ વ્યક્ત કરવા મારા માટે એકદમ જરૂરી હતા, કારણ કે આપણે પોતે જ વિચારેલી આપણા વિશેની મોટી મોટી વાતોથી આપણે આપણી જાતથી અંજાઈ જતા હોઈએ છીએ. પછી મગજમાં હવા ભરીને ફરતા રહીએ છીએ કે અમે તો આ કરવા માગીએ છીએ ને તે કરવાના છીએ, પણ એવા ફાંકામાં રહેવાનો કોઈ અર્થ નથી. જે નકશા મુજબ યાત્રા થઈ જ નથી એ નકશાનું મૂલ્ય સીમિત છે. જે ડ્રોઇંગ્સ મુજબ ઈમારત બંધાઈ નથી તે ડ્રોઇંગ્સનું મુલ્ય સીમિત છે. ખરી મહત્તા યાત્રાની છે, ઈમારતની છે. તાજમહાલ કે એફિલ ટાવર બાંધતી વખતે બનેલા સ્થપતિઓના નકશાઓ અત્યારે ક્યાં હશે કોને ખબર. આ ઈમારતો કરોડોએ જોઈ છે, સરાહી છે. નકશાનું અને પ્લાનિંગનું મહત્ત્વ ખરું પણ જો એ મુજબની યાત્રા ન થવાની હોય કે ઈમારત ન બંધાવાની હોય તો એ માત્ર કાગળ બનીને જ રહી જવાની.
જાન્યુઆરી મહિનામાં જ એક જમાનામાં જેમનાં ગીતો સાંભળી/સંભળાવીને ઈશ્ક ફરમાવતા એ કુમાર સાનુની એક કૉન્સર્ટ સાંભળીને અત્યારની એમની દુર્દશા વિશે લખ્યું: 'કોની સાથે ઊઠવુંબેસવું, બોલવુંચાલવું, હળવુંભળવું.' ગુલઝારસાહેબની પંક્તિ 'ખાલી હાથ શામ આયી હૈ, ખાલી હાથ જાયેગી'ને શીર્ષકમાં મૂકીને જિંદગી ખાલીખમ લાગતી હોય તો એનું કારણ શું, નિવારણ શું એ વિશે થોડી વાતો કરી. મકરસંક્રાન્તિના દિવસે 'હવે ઉત્તર તરફ પ્રયાણ, છ મહિના પછી દક્ષિણ તરફ' શીર્ષકવાળા લેખમાં સાતત્યમાં રહેલા અપવાદોનો મહિમા ગાયો: 'કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે કે કોઈ એક ચોક્કસ સંજોગોમાં કરેલું આપણું વર્તન, વ્યક્તિ બદલાતા કે સંજોગો બદલાતાં, બદલાઈ જાય. ઉત્તરનું દક્ષિણ કે દક્ષિણનું ઉત્તર થઈ જાય ત્યાં સુધી બદલાઈ જાય એ શક્ય છે' એવો વિચાર પ્રગટ કર્યો.
જાન્યુઆરી પૂરો થતો હતો અને આ લેખ લખાયો: 'શું તમારી જિંદગી આજે એવી જ છે જેવી તમે ધારી હતી?' ફેબ્રુઆરીની શરૂઆત મહત્ત્વાકાંક્ષા વર્સીસ સંતોષની ક્ધસેપ્ટસ વિશે સ્પષ્ટતા કરીને થઈ. પછી નિર્મલ વર્માના સાહિત્ય વિશે વાતો કરી, સલિલ દલાલના પુસ્તક 'કુમાર કથાઓ' વિશે વાત કરી, જગજિતસિંહની ૭૫મી જન્મતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ વિશે વાત થઈ, વધુ એક વિચાર તરતો મૂક્યો કે 'તમારું મૂલ્ય કેટલું છે એ તમારા મોઢે બોલવાની જરૂર છે?' પછી ઈશરત જહાં અને ડી. જી. વણઝારાનો ટૉપિક લઈને સેક્યુલરોને ઝૂડ્યા, કારણ કે વણઝારા સાહેબે પોતાની વાત કરવા માટે મુંબઈ મરાઠી પત્રકાર સંઘના હૉલમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એ ગાળામાં દિલ્હીની સેક્યુલરોનો અડ્ડો ગણાતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખૂબ ગાજી-પેલા ક્ધહૈયાને કારણે. મેં મથાળામાં લખ્યું 'ચાલો, જેએનયુને એસવીપીયુ બનાવીએ.' એ શ્રેણીમાં પંડિત નહેરુના હિન્દુઓ વિશેના વિચારો પણ ખોદી ખોદીને બહાર કાઢ્યા. એ જ અનુસંધાનમાં ત્રીજો લેખ લખાયો: 'ભારતનો સાચો ઈતિહાસ કોણ છુપાવી રહ્યું છે?' ઈન્સિડેન્ટલી, અગાઉ આ થીમના અનેક પાસાઓમાંના કેટલાક વિશે મેં ખૂબ લખ્યું હતું, પણ આ લેખ લખાયા પછી મેં નક્કી કર્યું કે આ થીમ વિશે વધુ ઊંડા ઊતરીને આ વિષયમાં ખૂબ વ્યાપક રીતે સંશોધન કરી શકાય એવો એક પ્રોજેક્ટ હાથમાં લેવો છે. છ-આઠ મહિનાની તૈયારી કર્યા પછી ર૦૧૭માં એ કામ હવે કરીશ.
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાના આરંભે મુંબઈમાં શાસ્ત્રીય સંગીતક્ષેત્રે એક મસ્ત વાત બની જેના વિશે બે લેખો લખાયા: 'આઠ પ્રહર: ૧૯ કલાકારોનો સળંગ ૧૯ કલાક સુધી ચાલેલો જલસો.' આ વર્ષે બધા જ અલગ ગાયકો-સંગીતકારો સાથેનો એવો જ કાર્યક્રમ ૧૪મી જાન્યુઆરીએ સવારના છ વાગ્યે પરવીન સુલતાનાથી શરૂ થશે અને આઠમો પ્રહર ૧૫મી જાન્યુઆરીના રોજ મળસ્કા પહેલાંના બે વાગ્યા પછી પંડિત જસરાજથી સમાપન પામશે. અમે તો આ વર્ષ પણ જવાના છીએ અને ઈન્શાઅલ્લાહ, દર વર્ષે જઈશું. બધી જ જવાબદારીઓ શ્રીજીબાવાને સોંપી દેવાને બદલે કેટલીક અલ્લા-ઈસુને પણ સોંપી દેવી જેથી ઈષ્ટદેવતા પરનું બર્ડન જરા ઓછું થાય અને એમની પાસે આપણાં બીજા કામો કરવા માટે સમય અને એનર્જી બચેલાં રહેશે.
શાહરૂખ ખાનની 'ફૅન' મને ખૂબ ગમી, તમારામાંના મોટાભાગનાઓએ નકારી કાઢી. 'ફૅન' વિશે પણ લેખો લખ્યા પછી સેલિબ્રિટીઝ અને ફૅન્સ વચ્ચેના સંબંધો વિશે પાંચ હપ્તાની શ્રેણી લખી. મને તો લખવાની ખૂબ મઝા આવી. ચોવીસ કલાકમાં જે ફિલ્મ એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ વાર જોઈ હોય અને તે પણ ઈન્ટરનેટ પરથી ફોગટિયા ડાઉનલોડ કરીને પાયરેટેડ કૉપી નહીં, થિયેટરમાં પૈસા ખર્ચીને જોઈ હોત, એ ફિલ્મ વિશે લખવાની મજા આવવાની જ છે. 'તમારી ડૂબતી ટાઈટેનિકમાં ટિકિટ ખરીદીને જે ચડે તે તમારો ખરો ચાહક છે', 'તમારો પ્રેમ-આદર મને ભીખમાં નથી મળ્યો, એ મારી આપકમાઈ છે' અને 'ગુલઝારસા'બ તમારા ખભા પર હાથ મૂકીને સેલ્ફી પડાવે ત્યારે તમારાથી એમના ખભા પર હાથ મુકાય કે નહીં' જેવા મથાળા આ સિરીઝમાં કેટલાક લેખોમાં હતા.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એક સભામાં પ્રાઈમ મિનિસ્ટરની હાજરીમાં રડી પડ્યા ત્યારે 'ચીફ જસ્ટિસશ્રીને રડવા માટેનાં વધુ પાંચ કારણો' વિશે લખ્યું. 'પ્રેરણાત્મક પ્રવચનો, ફિલ્મો, સાહિત્યના ગોરખ ધંધા' વિશે લખ્યું. ૨૦૦૪ની દિવાળીમાં જગદ્ગુરુ શંકરાચાર્ય (કાંચી પીઠ) જયેન્દ્ર સરસ્વતીની એક બનાવટી ખૂનકેસમાં ધરપકડ થઈ હતી જેનો ફાઈનલ ચુકાદો ૨૦૧૬ના એપ્રિલમાં આવ્યો ત્યારે એક ફલૅશ બૅક આપીને ફરી એકવાર સેક્યુલર મીડિયા અને સેક્યુલર રાષ્ટ્રદ્રોહીઓની ખબર લઈ નાખી. ગુલઝારે ટાગોરનાં કાવ્યોનો અનુવાદ કર્યો જે હાર્પર કોલિન્સે બે વોલ્યુમના બૉક્સમાં ક્લેક્ટર્સ આયટમ તરીકે પ્રગટ કર્યો. એના વિશે વિસ્તારથી ચાર લેખોમાં લખ્યું. 'જેનો ચહેરો જ નથી જોવો એને ઓળખવી કેવી રીતે.'
'તારા ધર્મની ભાષા તું નહીં શીખે? શીર્ષક હેઠળ સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી કેટલીક ભ્રમણાઓ દૂર કરીને આ દેવભાષાનો મહિમા ગાયો. 'ખોવાઈ ગયેલું એકાંત કેવી રીતે પાછું આવે' એ વિશે લખ્યું. ચીની ફિલસૂફ ક્ધફયુશિયસ વિશે ફરી એકવાર લખ્યું. 'મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની સુગંધ કરતાં વધારે અગત્યનું શું છે?' એવો વાસ્તવિકતાની ભૂમિ પર મંડપ નાખીને લખાયેલો લેખ તમારી સમક્ષ રજૂ કર્યો. 'ડરવાના ફાયદા' વિશ લખ્યું. સ્ત્રીઓ, દલિત તથા લઘુમતીઓને સંબોધીને લખ્યું: 'સમાન હક્ક લીધા પછી સમાન અન્યાયોમાં પણ ભાગ પડાવવાના છો તમે?' એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગ સામે મોદીજીએ 'મન કી બાત'માં લાલ બત્તી ધરી ત્યારે મેડિકલ સાયન્સના ધંધાની બીજી બાજુ ખોલતો લેખ લખ્યો: 'તમે માંદા પડો એની કોણ રાહ જુએ છે.'
'આ જિંદગી રડકુ લોકો માટે નથી' શીર્ષકથી એક લેખ લખાયો. 'પૂર્વગ્રહ નિખાલસતા અને દંભ'ની ક્ધસેપ્ટ્સ વિશેના પ્રચલિત ખયાલોને ખંખેરીને એક તાજગીભરી આબોહવા સર્જતો લેખ લખ્યો. 'મેં તો પહેલેથી જ કીધેલું' એવું કહેવાવાળાઓ વિશે લખ્યું. 'માણસનો મત એના આગવા વ્યક્તિત્વનો અભિન્ન અંશ છે' એ લેખ પણ એ જ વિષયના અનુસંધાને લખાયો. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના શોકમાં એમના વિશેની થોડીક વાતો, થોડાંક સંસ્મરણોને સાંકળી લેતા બે લેખો લખ્યા. ભારતના પ્રાચીન ધર્મગ્રંથો વિશે એક શ્રેણી લખી. જન્માષ્ટમી નિમિત્તે દહીંહાંડીની ઊંચાઈ પર અદાલતે મર્યાદા લાદી ત્યારે હિંદુ તહેવારો સામે આંગળી કરવાના સેક્યુલરોની ટેવને કચકચાવીને ઝૂડતા પીસ ફટકાર્યો: 'જરા મટકી સમ્હાલ બ્રિજબાલા'. એરિક સીગલની મશહૂર નવલકથા અને એના પરથી બનેલી આર્થર હિલરની ફિલ્મ 'લવ સ્ટોરી' વિશે લખ્યું. કારણ કે આર્થર હિલર ૯૨ વર્ષની વયે ગુજરી ગયાના સમાચાર આવ્યા એ ઉદાસી ઉજવવાનો આ જ અવસર હતો.
'એક કૂતરું, ત્રણ ચકલાં' લેખમાં ફરી એકવાર દિવાળી તથા હિન્દુ તહેવારોની, ઉજવણીના હવનમાં હાડકાં નાખનારી સેક્યુલર પ્રજાને ઊંધી લટકાવીને નીચે મરચાંની ધૂણી કરી. એટલેથી સંતોષ ન થયો ત્યારે 'મારા બાથરૂમની દુર્ગંધ અને તમારો મઘમઘતો પૂજાખંડ' લેખ ફટકાર્યો. હરિ મહિધરના નર્મદા વિશેના પુસ્તકનો આસ્વાદ આપવાનું શરૂ કર્યું ત્યાં તો ૮મી નવેમ્બર આવી ગઈ. રાત્રે આઠ વાગ્યે ટીવી પર મોદીજીનું લાઈવ 'મિત્રોં...' અને અમે મંડી પડ્યા. ડિમોનેટાઈઝેશન વિશેના પહેલાં લેખનું મથાળું હતું: 'મોદીનો માસ્ટરસ્ટ્રોક: અંતરાત્મા તમને પ્રામાણિક ન બનાવે ત્યારે એ કામ કાનૂને કરવું પડે.' લગભગ આખો મહિનો આ વિષયના એક પછી એક ખુલતાં ગયેલાં નવાં નવાં પાસાંઓ વિશે લખાતું ગયું. ભવિષ્યમાં આ તમામ લેખો ક્ધટેમ્પરરી હિસ્ટરીના ડૉક્યુમેન્ટેશન માટે કામ લાગવાના. 'ઘરમાં રાખેલી કૅશથી કોના કોના હક્ક ડૂબ્યા', 'અખંડ સૌભાગ્યવતી રૂપિયા બે હજારની નોટ', 'દસ રૂપિયાના સિંગદાણા ખાનારો બે હજારના છુટ્ટા! માગી શકે?', 'આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ', 'હાર્ડ અર્ન્ડ મની, ઈઝી મની', 'પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?' અને 'ખોટી બૂમરાણ મચાવનારા આ કોણ લોકો છે?' શીર્ષકો આમાંના કેટલાક લેખોનાં છે.
'જે લોકો ચાલુ છે તેઓ દેશને બંધ રાખવા માગે છે' લેખમાં મોદીવિરોધી રાજકારણીઓને ધોપટ્યા. 'મોરારજીભાઈ અને મોદી' વચ્ચે સરખામણી કરીને 'મક્કમતા અને જિદ' વિશેનો લેખ લખ્યો. 'રાષ્ટ્રગીત ગાવું કે ન ગાવું' વિશે નિર્ભિક બનીને લખ્યું. છઠ્ઠી ડિસેમ્બરે બાબરીધ્વંસની ચોવીસમી તિથિ ઉજવી. ફોર્ટની જૂની ઈરાનીમાં રવિવારની સવારે ચા અને બ્રુનમસ્કા પાઉંનો નાસ્તો કર્યા પછી 'પૈસો તમારો પરમેશ્ર્વર છે?' લેખની થીમ સૂઝી. એ પછી પૉલ જહૉન્સનના 'ઈન્ટલેક્ચ્યુઅલ્સ' પુસ્તક વિશે અને સેલિબ્રિટીઝની પણ ચંદ્રની જેમ સુદ તથા વદ એવી બે બાજુઓ હોય તે વિશેની સિરીઝ કરી. છેલ્લે જયોતીન્દ્ર દવેને ક્વોટ કર્યાં. તમે માટીનો ઘડો લેવા જાઓ છો ત્યારે ટકોરો કોને મારો છો? કુંભારને કે ઘડાને? વાત સ્પષ્ટ થઈ ગઈ! ઝેન વિશે લખ્યું અને હિન્દુવાદી બેલ્જિયન વિદ્વાન કૉનરાર્ડ એલ્સ્ટની મુલાકાત વિશે પણ લખ્યું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment