Monday, 26 December 2016

[amdavadis4ever] પ્રિન્સ આવે છે, પાક્સ્ તિાન પરેશાન છે પાકિસ્ત ાની હરકતનો કૂટનીતિથી જ વાબ By Devendra Patel

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



By Devendra Patel
પાકિસ્તાની હરકતનો કૂટનીતિથી જવાબ 

 

amdavadis4ever@yahoogroups.com

એ જાણવું જરૂરી છે કે કેટલાક સમય પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબૂધાબી અને દુબઈની મુલાકાતે ગયા ત્યારે પાકિસ્તાની અખબાર ડોનને ભારે આશ્વર્ય થયું હતું. 'ડોન'ને એમ લાગ્યું હતું કે, યમન યુદ્ધમાં સક્રિય ભાગીદાર થવાના પાકિસ્તાનના ઈન્કાર બાદ પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આવેલી ખટાસ બાદ ભારત સરકાર આ પરિસ્થિતિનો લાભ લેવા માંગે છે. એ જાણવું જરૂરી છે કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષે દડાહે ૬૦ અબજ ડોલરનો વેપાર ધંધો છે. વળી ત્યાં ૨૩ લાખ ભારતીયો રહે છે. આ સિવાયના પણ કેટલાક કારણો શેખ મોહમ્મદને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનાવવા માટેના છે. ભારતની વિદેશ નીતિ હવે કરવટ બદલી રહી છે. ભારતમાં પાકિસ્તાનની વસ્તી કરતાં વધુ મુસલમાનો ભારતમાં રહે છે. ભારતના મુસલમાનો વધુ જાગૃત, શિક્ષિત અને રાષ્ટ્રપ્રેમી છે. ભારતમાં પાકિસ્તાન જેવી આતંકવાદી શિબિરો નથી.

૨૦૧૫માં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર પ્રવચનો દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. એ પછી જ પાકિસ્તાને યમન પર હુમલો કરવા સંયુક્ત આરબ અમીરાતના નેતૃત્વ હેઠળના મોરચામાં સામેલ થવા ઈન્કાર કરી દીધો હતો. આ કારણથી સંયુક્ત આરબ અમીરાત પાકિસ્તાનથી નારાજ પણ થયું હતું.
આ પછી અમીરાતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના અસ્પષ્ટ વલણના કારણે ભારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવા પણ જણાવ્યું હતું.

 

હવે પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાત સાથે સંબંધો સુધારવા કોશિશ કરી રહ્યું છે, પરંતુ કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. ભારતે પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઊભી થયેલી આ ખટાસનો બરાબર રાજનૈતિક લાભ લઈ પાકિસ્તાનને એકલું પાડવાની દિશામાં બુદ્ધિપૂર્વકનું પગલું લીધું છે. એમાં કશું ખોટું પણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન 'રણનીતિક ભાગીદારી'ની ઘોષણા બાદ પાકિસ્તાન વિચલીત છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે જે સમજૂતી થઈ છે. તેમાં આતંકવાદનો ખાત્મો કરવો, જ્યાં પણ આતંકવાદી અડ્ડાઓ છે તેને નષ્ટ કરવા અને આતંકવાદીઓને સજા કરવાનો ઉલ્લેખ અને બંને દેશો વચ્ચે સહમતી દર્શાવવામાં આવી છે.

હવે પ્રજાસત્તાક દિને અબૂધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદનું આવવાનું નક્કી જ છે તેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment