Sunday 10 July 2016

[amdavadis4ever] સમાન નાગરિક ધારો પ્રજાન ી આઝાદી ઉપરન ું આક્રમણ છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો જોઇએ કે નહીં? તે બાબતમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને ચાલવી પણ જોઇએ. સમાન નાગરિક ધારાનો વિવાદ આજકાલનો નથી પણ આપણને આઝાદી મળી તે પહેલાંનો છે. અંગ્રેજો ભારતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માગતા હતા, પણ તેમનો અભિગમ એવો હતો કે જો પ્રજા દ્વારા આ પ્રકારના કાનૂનની માગણી થાય તો જ તેને દેશભરમાં લાગુ કરવો જોઇએ. ભારતના મુસ્લિમો તેમ જ હિન્દુઓ પણ સમાન નાગરિક ધારાની વિરુદ્ધમાં હોવાથી અંગ્રેજો તેનો અમલ કરી શક્યા નહોતા. ભારતનું બંધારણ બની રહ્યું હતું ત્યારે પણ તેમાં સમાન નાગરિક ધારો સામેલ કરવાની વિચારણા કરવામાં આવી હતી, પણ તે બાબતમાં બંધારણ સભામાં મતભેદો હતા. નેહરુ અને આંબેડકર સમાન નાગરિક ધારાની તરફેણમાં હતા, પણ રાજેન્દ્રપ્રસાદ અને વલ્લભભાઇ પટેલ તેની વિરુદ્ધમાં હતા. આ કારણે સમાન નાગરિક ધારાનો સમાવેશ મૂળભૂત અધિકારોને બદલે માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો હતો.

સમાન નાગરિક ધારો વિવાદાસ્પદ બનવાનું કારણ એ છે કે ભારતમાં અનેક ધર્મોના અને જાતિના લોકો રહે છે. તેમના ધાર્મિક અને સામારાક રીતરિવાજો પણ અલગ છે. તેમને બધાને એક લાકડીએ હાંકી શકાય નહીં. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, યહૂદી, બૌદ્ધ અને જૈન ધર્મોના લોકો સાથે રહે છે. તેમના જન્મ, લગ્ન, મરણ, જનોઇ, વારસો, છૂટાછેડા, વાલીપણું વગેરે નિયમો અલગ છે. આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જે તે જ્ઞાતિની હોય છે. સરકાર બધી જ જાતિઓ અને જ્ઞાતિઓ માટે એકસરખા કાયદા કરી શકે નહીં. જો રીતરિવાજો અલગ હોય તો કાયદા પણ અલગ હોવા જોઇએ. સમાન કાયદાઓ પ્રજાની આઝાદી પર આક્રમણ કરે છે. સમાન નાગરિક ધારા દ્વારા સરકારને પ્રજાના અંગત જીવનમાં દખલ કરવાનો અધિકાર મળી જાય છે.

લોકશાહીનો પાયો સ્વતંત્રતા છે. લોકશાહીનો અર્થ થાય છે, સરકાર દ્વારા પ્રજાની અંગત, સામારાક કે રાજકીય જિંદગીમાં બિલકુલ દખલ કરવામાં આવે નહીં. પ્રજાએ ક્યો ખોરાક ખાવો, ક્યારે લગ્ન કરવા, કેવી રીતે લગ્ન કરવા, કોને વારસો આપવો તે બાબતોમાં સરકારે દખલ કરવાની કોઇ જરૂર નથી. સરકાર જો દખલ કરે તો પ્રજાની આઝાદી સંકટમાં આવી જાય છે. ભારતના હિન્દુ રાજપૂતોમાં અને મુસ્લિમોમાં સદીઓથી બહુપત્નીત્વની પ્રથા ચાલી આવતી હતી. આ સામાજિક રીતે સ્વીકૃત પ્રથા હતી. સરકારને તેની સાથે કોઇ લેવાદેવા નહોતી. તેમ છતાં ઇ.સ.૧૯૫૫માં સરકારે કાયદો કરીને હિન્દુ પ્રજામાં આ પ્રથા પ્રતિબંધિત કરી તે હિન્દુ પ્રજાની સ્વતંત્રતા પરનું આક્રમણ હતું. હિન્દુ પ્રજા દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, પણ સરકારે સંસદમાં પોતાની બહુમતીનો ઉપયોગ કરીને હિન્દુ મેરેજ એક્ટ નામનો કાયદો પસાર કરી દીધો હતો, જેમાં હિન્દુઓમાં બહુપત્નીત્વની પ્રથાને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. સરકારે જે રીતે હિન્દુઓ માટે કાયદો બનાવ્યો તેવો કાયદો મુસ્લિમો માટે ન બનાવીને તેણે પ્રજામાં ભેદભાવ કર્યો હતો.

હિન્દુ પ્રજામાં સદીઓથી ક્ધયા લગ્ન કરીને સાસરે જાય ત્યારે કરિયાવર આપવાનો રિવાજ હતો. કોઇ પિતા સાસરે જતી પોતાની પુત્રીને રાજીખુશીથી પોતાની સંપત્તિનો થોડો હિસ્સો આપવા માગતો હોય તો તેમાં સરકારને શો વાંધો હોવો જોઇએ? ભારતીય સમાજમાં દીકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય ત્યારે પિતા પોતાની સંપત્તિનો હિસ્સો તેને દહેજમાં આપી દેતા હતા, કારણ કે લગ્ન પછી પિતાની મિલકત પર દીકરીનો કોઇ અધિકાર રહેતો નહીં. સરકારે આ રિવાજમાં દખલ દેવાની કોઇ જરૂર નહોતી. તેમ છતાં સરકારે દહેજ પ્રતિબંધક કાયદો ઘડ્યો એટલે પિતાની સંપત્તિમાંથી દીકરીને લગ્ન સમયે જે હિસ્સો મળતો હતો તે બંધ થઇ ગયો. જે કાયદો સ્ત્રીને રક્ષણ આપવા માટે ઘડાયો હતો તેના અમલથી સ્ત્રીને અન્યાય થવા લાગ્યો. જો દહેજ રાજીખુશીથી આપવામાં આવતું હોય તો તે દૂષણ નથી, પણ કાયદામાં તેને પણ દૂષણ ગણવામાં આવ્યું, જેનો ભોગ સ્ત્રીઓ બની.

ભારતીય સમાજમાં દીકરી પરણી જાય તે પછી માતાપિતાના મરણ પછી બધી સ્થાવર તેમ જ જંગમ મિલકત પુત્રોને જ મળતી હતી, કારણ કે દીકરીને તો લગ્ન સમયે તેનો ભાગ આપી દેવામાં આવતો હતો. હિન્દુ વારસા ધારો ઘડીને સરકારે આ હક્ક દીકરીને પણ અપાવ્યો તેને કારણે પરિવારોમાં ઝઘડાઓ શરૂ થયા અને મામલાઓ કોર્ટમાં જવા લાગ્યા. સવાલ એ હતો કે પુત્રો માતાપિતાના મકાનમાં રહેતા હોય તો તેમાંથી દીકરીને હિસ્સો કેવી રીતે આપી શકાય? 

સરકાર સમાજ સુધારણાને નામે પ્રજાની સામાજિક બાબતોમાં હસ્તક્ષેપ કરતા કાયદાઓ ઘડે છે તેને કારણે પ્રજા સરકારની ગુલામ બની જાય છે. આવો એક કાયદો બાળલગ્ન પ્રતિબંધક ધારો છે. આ કાયદા દ્વારા ક્ધયાના લગ્ન માટે ૧૮ વર્ષની અને મુરતિયા માટે ૨૧ વર્ષની લઘુતમ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ કાયદો પણ પ્રજાની અંગત બાબતમાં દખલ સમાન છે. કોઇ નાગરિકે ક્યારે લગ્ન કરવા તે નક્કી કરવાનો અધિકાર સરકારને કોને આપ્યો? આ માટે દલીલ કરવામાં આવે છે કે બાળલગ્નના દૂષણને નાથવા માટે આ કાયદો કરવામાં આવ્યો છે. આજે ક્ધયાઓ ૧૬ વર્ષની ઉંમરે પુખ્ત થવા લાગી છે અને ૧૭ વર્ષની ઉંમરે તો કુંવારી માતા બનવા લાગી છે. તેને લગ્ન કરવાની છૂટ શા માટે આપવામાં આવતી નથી? યુવાનો ૧૮ વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે અને મતદાન પણ કરી શકે છે, પણ કાયદા દ્વારા તેમને લગ્ન કરવાની છૂટ આપવામાં આવતી નથી. કાયદા દ્વારા લગ્નની ઉંમર પરનું નિયંત્રણ પણ લોકશાહીની ભાવનાથી વિરુદ્ધ છે. 

કોઇ વ્યક્તિએ દારૂ પીવો કે ન પીવો? તેનો નિર્ણય તે વ્યક્તિએ, તેના પરિવારે અને તેના સમાજે કરવાનો હોય. તેમાં સરકારે વચ્ચે પડવાની શું જરૂર છે? કોઇ નાગરિક પોતાના ઘરમાં, બંધબારણે, પોતાના પરિવારની સંમતિપૂર્વક શરાબનું સેવન કરે તેમાં સરકારને કોઇ વાંધો ઉઠાવવાનો અધિકાર હોવો જોઇએ નહીં. જો તે વ્યક્તિ દારૂ પીને જાહેરમાં મારપીટ કરે, દારૂ પીને વાહન ચલાવે અથવા જાહેર શાંતિનો ભંગ કરે તો તેની સામે ફોજદારી રાહે કામ ચલાવી શકાય છે, પણ દારૂ પીવાનો અધિકાર ઝૂંટવી લેવો તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પરનું આક્રમણ છે. આજે દારૂબંધી નિષ્ફળ જવાનું મુખ્ય કારણ એ છે કે પ્રજા પોતાની આઝાદી જતી કરવા તૈયાર નથી. પરિણામે નાગરિકોને ગુનેગાર ઠરાવવામાં આવે છે અને અદાલતોમાં કેસોનો ભરાવો થયા કરે છે.

બંધારણની ૪૪મી કલમ દ્વારા ભારતભરમાં સમાન નાગરિક ધારાનો અમલ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા ઇ.સ.૧૯૫૬માં હિન્દુ પ્રજાના માથે હિન્દુ કોડ બિલ્સ હેઠળ ચાર કાયદાઓ ઠોકી બેસાડવામાં આવ્યા હતા, પણ મુસ્લિમોના વિરોધથી ડરીને મુસ્લિમોને તેમાં આવરી લેવામાં આવ્યા નહોતા. હવે ૬૦ વર્ષમાં હિન્દુ પ્રજા દ્વારા આ કાયદાઓ સ્વીકારી લેવામાં આવ્યા છે, પણ મુસ્લિમો આજે પણ તેમની સામાજિક સ્વતંત્રતા પર તરાપ મારનારા કાયદા સ્વીકારવા તૈયાર નથી. આ સંયોગોમાં હિન્દુઓને લાગે છે કે સરકારે તેમની સાથે અન્યાય કર્યો છે. સરકાર હવે કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment