Wednesday 13 July 2016

[amdavadis4ever] દુહા : ભાવ બોધનો ભંડાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હજાર પંદરસો વરસથી દુહા લખાતા-રચાતા રહ્યા છે. એ સર્જન ભંડારમાં વૈવિધ્ય પણ આ કારણે અપાર રૂપનું દૃષ્ટિગોચર થાય છે. એમાં એનો રચયિતા સમાજને ખપનું બધું જ ભેળવે. ઇતિહાસબોધ, સંસ્કૃતિબોધ અને સામાજિક સંદર્ભોને પ્રગટાવતા દુહાઓ વાર્તાકથકો, કવિઓ અને વાતડાહ્યા માણસો દ્વારા સહજ રીતે એમની વાતમાં ટપકી પડતા હોય છે. ખરેખર તો એમાંથી ભાવ-ઉપદેશ બોધ અને વિશિષ્ટ એવા તથ્યો-સત્યો પ્રગટતા હોવાને કારણે દુહા વિશેષ આવકાર્ય બની રહે છે. આવા સનાતન ભાવોના નિરૂપણ વાળા થોડાં દુહા અવલોકીએ -

હકીકતે તો સમાજને સંતુષ્ટ બનવા માટે પ્રેરતા ભાવને આલેખતા એક દુહામાં ભારે અસરકારક રીતે વાતને વર્ણવી છે. તે આસ્વાદીએ. 

'કડવો ભલોય લીંબડો, આપણ આંગણ દેશ,

નાગરવેલી માંડવા, શું કરીએ પરદેશ'

આપણી પાસ હોય, આપણું હોય એની મહત્તા હંમેશાં આંકવી. આપણાં પોતીકા સામાન્યને પણ અસામાન્ય ગણવું, ભલે કડવો લીંબડો હોય પણ આપણે દેશ, આપણાં આંગણે હોય એનું મૂલ્ય છે. નાગરવેલના માંડવા-ઝૂંડના ઝૂંડ હોય પણ એ બીજા સ્થાને, અન્ય જગ્યાએ હોઇને એનો કોઇ અર્થ રહેતો નથી. આપણી પોતાની વસ્તુનું મૂલ્ય અને મહત્તા ભારે અસરકારક રીતે દુહાના માધ્મયથી કવિએ ગાયેલ છે. 

બીજા એક દુહામાં અમુક-તમુક વસ્તુ એની પોતકી જગ્યાએ જ સારી લાગે. એ ભાવને નિરૂપેલ છે એ દુહાને અવલોકીએ -

'શોભે હંસા સાયરાં, સાયર હંસ શોભાય,

કોકિલ શોભે અંબવન, કાગડ લીંબડ છાય,

હંસ સરોવરમાં શોભે અને સરોવર હંસ વડે શોભે, આંબાવાડિયામાં કોયલ શોભાયમાન ગણાય અને લીંબડા ઉપર તો કાગડો જ શોભે. 

દુહાગીરે અહીં હકીકતે સમુચિત સ્થાને જ સમુચિત વ્યક્તિ શોભે. એમાં અબદ-બદલ સારું ન લાગે. પ્રકૃતિમાં જ આવી સુંદર સંવાદિતા છે. માનવજાત સામે અંગુલિનિર્દેશ કરીને અહીં કથાયું- કહેવાયું છે કે તમારે પણ તમારું સમુચિત સ્થાન જાણીને ત્યાંથી હટવાનું ન હોય. દુહાની બે પંક્તિ ભારે મોટો ભાવ પાથરી જતી હોય છે. 

'હંસ તરંતો પરખિયેં, પાણી નદી વહંત,

સોનું કસી પરખિયેં, માણસ વાત કહંત,

હંસની પરીક્ષા એ તરતો હોય ત્યારે થાય, પાણી નદીમાં વહેતું હોય ત્યારે પરખાય, સોનું એને કસવાથી પરખાય. અને માણસની પરીક્ષા એ વાત કહેતો હોય એમાંથી થઇ જાય. 

આપણે બોલીએ, કે વાત કહીએ ત્યારે માત્ર બોલતા નથી હોતા આપણાં અંત:કરણને પ્રગટાવતા હોઇએ છીએ. 'બોલ્યું બહાર પડે ને રાંધ્યુ વરે પડે.' જેવા રૂઢિ પ્રયોગો આવા કારણે જ અસ્તિત્વમાં આવ્યા હશે. 

'ચાર પોર ધંધે ચડ્યો, ચાર પોર રહ્યો સોઇ, 

જપ્યા નહિ વ્રજરાયને, કુશળ ક્યાંથી હોય?'

માણસની સતત પ્રવૃત્તિમાં હરિ ભજનનું ટાણું નથી રહેતું, ચાર રાત્રીના અને ચાર દિવસના કુલ આઠ પ્રહર હોય એમાંથી ચાર પ્રહર-સમય-વ્યવસાયમાં આર્થિક ઉપાર્જન માટેના, બાકીના ચાર પ્રહર નીદ્રામાં. વ્રજરાય-શ્રીકૃષ્ણનું સ્મરણ ભક્તિ થતી તો પછી કુશળતા ક્યાંથી આવશે. આપણું રક્ષણ કરનારને, આપણી વિકાસની દોડમાં આપણે ભક્તિને ભૂલીએ નહીં એવો ભાવ અહીં નિહિત છે. 

સીધું કથન નહીં, પણ આડકતરો ઇશારો દુહાનું શસ્ત્ર છે. એની શાસ્ત્ર ચર્ચાથી એ સમજાય છે અને ઉકેલ છે એને ઉકેલવાની પ્રવૃત્તિ જ્ઞાનચર્ચામાં ગણાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment