Wednesday 13 July 2016

[amdavadis4ever] જીવલેણ ભયા નક તાવ ડેન્ ગ્યુથી બચવા શું કરવું?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવલેણ ભયાનક તાવ ડેન્ગ્યુથી બચવા શું કરવું?

હેલ્થ ઈઝ વેલ્થ : ડો. રાજેશ્વરી દોશી

  ડેંગૂ રોગ બેકટેરિયાથી પણ નાનાં રોગાણુવાયરસ અથવા વિષાણુઓથી થાય છે. આ વિષાણુ છ પ્રકારના હોય છે. વિષાણુ મચ્છર દ્રારા માનવ-શરીરમાં દાખલ થાય છે. એવું મનાય છે કે એડીઝ ઇજિપ્ટી નામના મચ્છર ડેંગૂ ફેલાવા માટે વધારે જવાબદાર છે. મચ્છર કરડયા પછી ૫ ૬ દિવસે રોગના લક્ષણો દેખાય છે. બિમારીની ગંભિરતા દર્દીએ દર્દીએ અલગ હોય છે. ઘણા દર્દીઓમા રોગ ૭ થી ૧૦ દિવસની અંદર અત્યંત ગંભિર સ્થિતિ પહોંચી જાય છે. જ્યારે અમુક દર્દીઓમાંં રોગ તેની સામાન્ય સ્થિતિમા જ રહે છે. શરૂઆતના બે દિવસ દર્દીને માથાનો દુઃખાવોઅશકિત લાગે છે. શરીરમાં તો દુઃખાવો થાય જ છે પણ પીઠકમર અને સાંધાઓમાં પણ વધારે દુઃખાવો થાય છે. આંખોની આજુબાજુના હાડકામાં પણ એટલો તિવ્ર દુઃખાવો થાય કે નજર ફેરવવામાં પણ કષ્ટ પડે. આવી સ્થિતિમાં પ્રકાશ સહન થતો નથીઆંખોમાંથી પાણી નીકળે છે દર્દીને ઉલ્ટી થાય અથવા ઉલ્ટી કરવાની ઇચ્છા થાયભૂખ ના લાગે અને ઉંઘ પણ ના આવેદર્દી ઉદાસ થઇ જાય.  બીજા - ત્રીજા દિવસે આ બધા લક્ષણો જતા રહે છે પણ એક બે દિવસમાં ફ્રી આ બધા લક્ષણો તિવ્ર તાવ સાથે દેખાય છે. ડેંગુ તાવમાં ડોકની બન્ને બાજુની લસિકા ગં્રથિઓ મોટી થઇ જાય છે. શરીર પર દાણા જેવુંં દેખાય છે. શરૂઆતમાં આ દાણા બન્ને હાથ ના પાછળના ભાગમાં અને બન્ને પગમાં દેખાય છેપછી ખભાજાંઘ અને છાતી તથા પીઠ પર પણ દેખાય છે. 
રકતયુકત પ્રકારનો ડેંગુ તાવ દક્ષિણ - પૂર્વ એશિયામાં જ વધારે થાય છે. બાકીના ક્ષેત્રમાં અપવાદરૂપે કયારેક જ જોવા મળે છે. તેમાં તાવ આવ્યાના ત્રીજા અથવા ચોથા દિવસે શરીર પર થયેલ ચકામામાંથી લોહી નીકળવા લાગે છે. લોહી નીકળવાના કારણે દર્દીના શરીરમાં લોહીની ઉણપ પેદા થાયછે અને આવા દર્દીનું મૃત્યુ શરીરમાં રકત સંચારની વ્યવસ્થામાં ખામી પેદા થવાના કારણે લાગેલ આઘાત ચજીર્રષ્ઠાૃના કારણે થાય છે. આ પ્રકારના લક્ષણોવાળા ૧૦ ટકા દર્દીઓ સારવાર મળવા છતાં પોતાનો જીવ ગુમાવે છે.  આમ તો આ રોગની ઓળખ ઉપર દર્શાવેલ લક્ષણો પરથી થઇ જ જાય છેપણ આ રોગની સામાન્ય અવસ્થામાં તબીબો પણ આ રોગ ઓળખી શકતા નથી અને અન્ય તાવની જેમ સારવાર અપાઇ જાય છે. 

ફેરમ ફેસ ૬ઠ : - આ ઓષધી બાયોકેમીક પ્રકારના ક્ષારમાંથી બનાવવામાં આવે છે. જે બાયોકેમીક શાસ્ત્ર મુજબ કોઇપણ પ્રકારના તાવમાં તથા રકતના કે રકત સંબંધી રોગમાં ઉપયોગી છે. તેથી દર્દીઓ જ્યારે ડેન્ગૂ ફીવર પ્લેગ મેલેરિયા ટાઇફેડ કે ફ્લ્યુ કોઇપણ તાવની શરૂઆતમાં કોઇપણ લક્ષણ મેળવ્યા વગર પણ ૩ થી ૪ ગોળી ૬ઠ પાવરની દર કલાકે લેવી. (આ ઔષધીથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી) તેના ઉપયોગથી રોગની ભયજનક પરિસ્થિતિ ટાળી શકવાની પ્રતિકારક શકિત મળે છે.   તેમ છતાં આ રોગ જો જીવલેણ બની જાય તો દર્દીને હોસ્પિટલમાં લઇ જવા જોઇએ. આ રોગથી બચવા બધા જ પ્રયત્ન કરવા જોઇએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment