Monday 11 July 2016

[amdavadis4ever] ગંગાજીને તમે શુ ભ કહેશો કે અશુભ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'માનસ-રામકૃષ્ણહરિ', આ કથાનો કેન્દ્રીય વિચાર છે, જેનાં આધારે આપણે સાથે મળીને સાત્ત્વિક-તાત્ત્વિક ચર્ચા કરી રહ્યા છીએ. 'રામકૃષ્ણહરિ'માં જાઉં એના પહેલાં એક પ્રશ્ન છે, મને લાગે છે આનો જવાબ મારે આપવો જોઈએ. એક વિધવા માતાજીનો પ્રશ્ર્ન છે. એમણે પૂછ્યું છે, 'જયશ્રી કૃષ્ણ બાપુ, મારો પ્રશ્ર્ન છે, હું વિધવા છું. શુભ પ્રસંગોમાં વિધવા સ્ત્રીને અપશુકનિયાળ કેમ માનવામાં આવે છે? અને એમનાં હાથે શુભ કાર્યો કેમ કરાવવામાં નથી આવતાં?' બહુ કરુણા ઊપજે એવો પ્રશ્ર્ન છે. મેં ગઈકાલે પણ કહ્યું કે સત્ય વ્યક્તિગત હોય; પ્રેમ પરસ્પર હોવો જોઈએ. કરુણા તો વ્યાપક હોવી જોઈએ. અહીંયા જે 'હરિ' શબ્દ લીધો છે આ કથામાં, એ વ્યાપકતાનું પ્રતીક છે. 'કૃષ્ણ' શબ્દ જે મધ્યમાં છે, એ પ્રેમનું પ્રતીક છે અને 'રામ' એ સત્યનું પ્રતીક છે. તુલસીદાસજી 'હરિ' શબ્દની વ્યાખ્યા કરે ત્યારે 'વ્યાપક' શબ્દને જોડે છે-

વફિ વ્રળક્ષઇં લમૃઠ્ઠ લપળણળ

પ્જ્ઞપ ટૂ પ્ઉંચ વળજ્ઞવિ પેં ઘળણળ ॥

'રામચરિતમાનસ'ના કૈલાસી વક્તા મહાદેવનું આ વક્તવ્ય છે 'માનસ'માં. હરિ એટલે વ્યાપક. કરુણા વ્યાપક હોવી જોઈએ. કરુણા એકદેશીય ન હોય. પ્રેમ પણ વ્યાપક હોવો જોઈએ, ચોક્કસ. પણ કદાચ આપણે ન પહોંચી શકીએ તો પરસ્પર તો રાખીએ. એટલે 'પ્રેમ' શબ્દની સાથે તુલસીદાસજીએ 'પરસ્પર' શબ્દનો ઉપયોગ કર્યો. તુલસી પ્રેમ સાથે 'પરસ્પર' શબ્દને જોડે છે; પ્રમાણ-

લરૂ ણફ ઇંફવિ ક્ષફશ્ર્નક્ષફ પ્રિુટ 

રામરાજ્યના નાગરિકો પરસ્પર પ્રેમ કરે છે. વિધવા માતાજીનો પ્રશ્ર્ન છે, એ કરુણા ભરેલો છે. કરુણા વ્યાપક હોવી જોઈએ. વિયેટનામનું યુદ્ધ પૂરું થયા પછી એક અમેરિકન સૈનિક અને એનો એક નાયક, બે યુદ્ધકેદી તરીકે પકડાય છે. બહુ ઠંડી છે અને પછી બંનેને મુક્ત કરવામાં આવે છે. બંનેને બહુ ભૂખ લાગી છે. અને બંને પાસે બ્રેડના ટુકડા છે. જેલના દરવાજા પાસે રહીને બંને જણા ખાવા માંડ્યા છે, એકદમ ઝડપથી! આજુબાજુનો ખ્યાલ ન રહ્યો. કરુણા વ્યાપક નથી રહેતી, જ્યારે માણસ ભૂખ્યો થાય છે. સત્તાનો ભૂખ્યો, પદનો ભૂખ્યો, પ્રતિષ્ઠાનો ભૂખ્યો, પદાર્થોનો ભૂખ્યો કરુણા ગુમાવે છે. તમે કલ્પના કરો, આંસુ નહીં હોય ત્યારે આખી બધી જ ભૌતિકતા આપણને ફાડી ખાશે! પણ એ બંને જણા એટલા ભૂખ્યા હતા' એ બ્રેડ ખાય છે એમાં બિલકુલ સામે ખૂણે એક પાંચ વર્ષનું બાળક બેઠું છે, ભૂખ્યું છે, ઓઢવાનું નથી, માંડમાંડ દીવાલના ખૂણા વચ્ચે ઠંડીથી પોતાને બચાવવાની કોશિશ કરે છે; આંખમાંથી આંસુ વહે છે. અને એ સમયે પેલા બે જણા બ્રેડ ખાય છે. ભૂખ હતી એટલે આજુબાજુનું ધ્યાન ન રહ્યું. ખાઈ ગયા પછી ખ્યાલ આવ્યો. બંનેને કરુણા જાગી. એટલે એકબીજાને પૂછે છે કે, 'કાંઈ છે તારી પાસે?' ત્યારે એકે કહ્યું કે, 'એક ચોકલેટ છે.' પેલાએ ખિસ્સામાંથી ચોકલેટ કાઢી. બાળકને આપી. બાળક ભૂખ્યું હતું. બાળક દોડીને આવે છે; ભૂખ્યું છે, પરંતુ બલકે ચોકલેટના ત્રણ ટુકડા કર્યા. એક ટુકડો અમેરિકન સૈનિકને આપ્યો, એક બીજા સૈનિકને આપ્યો અને પછી ત્રીજો વધ્યો એ પેલા બેયે લીધા પછી પોતે લીધો! આનું નામ છે કરુણા. આને તુલસી 'હરિ' કહે છે. હરિકથા એટલે કરુણાની કથા. રામકથા એટલે સત્યની કથા. કૃષ્ણકથા એટલે પ્રેમની કથા.

એક વિધવાબહેન પૂછે છે કે વિધવા સ્ત્રીને અપશુકનિયાળ શું કામ ગણવામાં આવે છે? એના હાથ શુભ કેમ કાંઈ કરવામાં નથી આવતું? મારે એ બહેન વતી સમાજને એક પ્રશ્ર્ન પૂછવો છે કે, ગંગાજીને તમે શુભ કહેશો કે અશુભ? શુભ છે ને? કદાચ આપણા કારણે થોડી અશુદ્ધ થઈ હશે, પણ એનો કોઠો તો પવિત્રતાનો છે. ત્રણેય લોકને પવિત્ર કરનારી ગંગા અશુદ્ધ આપણે કારણે થઈ છે, પણ એની પવિત્રતા હણાઈ જ નથીને! એ શુભ છે. અને જો આપણો સમાજ વિધવાને 'ગંગાસ્વરૂપ' કહેતો હોય તો પછી એના હાથે શું કામ ન થાય? વ્હાય? સમાજની અમુક માન્યતા ના પડતી હોય તો આ આચાર્યો પાઠ કરે છે એને મારી પ્રાર્થના કે ક્યાંક શાસ્ત્ર ના પાડતું હોય ને તો 

શાસ્ત્રને વંદન કરીને હા પાડી દ્યો,આ બધાંને હા પાડી દ્યો. જો એને આપણે સાક્ષાત્ ગંગાસ્વરૂપ ગણતા હોઈએ તો એના હાથ શુભ કાર્યો કેમ ન થાય? અને આ કરવું પડશે. એટલે, જે બહેને મને પૂછ્યું છે એને હું પગે લાગીને કહું છું કે બહેન, તને બધા જ અધિકાર છે. અને એના કારણે કોઈ શાસ્ત્રઅવજ્ઞા થાતી હોય કે કોઈ પાપ લાગે તો તલગાજરડાવાળા આ બાવા ઉપર એ બધો પાપનો અડિયોદડિયો! આજની ટેકનોલોજીથી તમારા ઘરમાં તમે એક જ ફૂટ દૂર રહીને મને સાંભળો છો ટી.વી.માં. ઘણી માતાજીઓ તો ગરમીના દિવસોમાં કથા હોય ને મને પરસેવો થયો હોય તો ટી.વી. ને લૂછતી હોય છે! આ શ્રદ્ધા લોકોની! એ શ્રદ્ધાને ન્યાય આપવો ગાદી ઉપર બેઠેલાની ફરજ છે. અમારે તુલસીશ્યામના મહંતબાપુ બાલકૃષ્ણબાપુ, એ ચલમ બહુ પીએ. કથાનાય એટલા પ્રેમી. એમાંય હું ફિલમનું ગીત ગાઉં એટલે બાવો ઝૂમે! મારા તો સંદર્ભો જુદા જ હોય. બાલકૃષ્ણબાપુને પેલું ગીત પ્રિય છે-

ટૂપ ઇંળજ્ઞ રુક્ષ્રૂળ રુડબ રુડ્રૂળ રુઇંટણજ્ઞ ણળઘ લજ્ઞ...

આ ગોપીગીત નથી? આ ભક્તિગીત નથી? આને કીર્તન ન કહેવાય? આભડછેટ શું કામ રાખો છો? સત્ય જ્યાં હોય ત્યાંથી લઈ લો. હું પંચાવન વર્ષથી સમાજમાં ફરું છું. મારા અનુભવો એમ કહે છે કે ઘણા લોકો સત્ય બોલે છે, પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા! એને અઘરું પડે છે, એનો અહમ્ ઘવાય છે! જાણે સત્યનો કોઈ ઇજારો હોય! સત્ય ત્રિકાલ અબાધિત માનવામાં આવ્યું છે. જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું જોઈએ. બીજાનું સત્ય સ્વીકારવાની ત્રેવડ હોવી જોઈએ. તો, જ્યાંથી સત્ય મળે ત્યાંથી લઈ લો. આને ભક્તિગીત ન કહેવાય? બાપ! આટલી શાંતિથી વ્યાસપીઠને સાંભળો છો આપણે એટલું ન કરી શકીએ કે અમુક વસ્તુઓને સમાજમાંથી વિદાય આપી દઈએ.

સંકલન : જયદેવ માંકડ

(માનસ-રામકૃષ્ણહરિ,૨૦૧૫)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment