Monday, 12 December 2016

[amdavadis4ever] ભગવાન શ્રી કૃષ્ણ આપણ ને સંદેશ આ પે છે કે ત ું મારામાં મન રાખ મા નસ મંથન - મોરારિબાપુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પધ્પણળ ધમ પદ્ય્રુટળજ્ઞ પઊંળઘિ પર્ળૈ ણપશ્ર્નઇંૂ્ય

પહેલું સૂત્ર, 'પધ્પણળ ધમ',અને ભગવાન સંદેશ આપે છે ઈ મને ગમે છે. ઉપદેશ નથી આપતો. હા,આદેશ આપી શકે,ઉપદેશ આપી શકે. મેં હમણાં કથામાં કહ્યું છે કે ભગવી વર્દી જેને હોય ઈ ત્રણેય જણ ત્રણ કામ કરે છે. પોલીસને ભગવી વર્દી હોય છે,પોસ્ટમેનને હોય છે અને સંન્યાસીઓને હોય છે ઈ જરાક વધારે ભગવી હોય છે. એમાં પોલીસને જે રંગ પહેરવાનો હોય; એ હંમેશાં આદેશ જ આપે, એઈ, હટ! હાલ એઈ! લારી અહીંથી લઈ લે!' એ હંમેશાં આદેશ કરે. સંન્યાસીની જે ભગવી વર્દી છે, એ ઉપદેશ આપે છે. પણ પોસ્ટમેન હંમેશાં સંદેશ જ આપતો હોય છે. એમાં મેલો કાગળ હોય કે કોઈનાં લગ્નની કંકોતરી હોય; એ ઉદાસીન પોસ્ટમેનને કાંઈ લેવાદેવા હોતી નથી. કવિ દાદલે લખ્યું,ભાઈ તું થાજે ટપાલનો થેલો.' તો,ભગવાન કૃષ્ણ સંદેશ આપે છે. એ ઉપદેશ પણ આપી શકે. '્રૂૂથ્ળ્રૂ ઇંૈટરુણહ્ય્રૂ' આમ કહીને આદેશ પણ કરે,હુકમ પણ કરે; અને અહીંયા પણ જે ચાર શબ્દબ્રહ્મનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું એમાં પણ આદેશ જ છે ને એક પ્રકારનો. 'પધ્પણળ ધમ', 

બાપ! ભગવાન શ્રી કૃષ્ણ આપણને એવો અમૃતમય સંદેશ આપે કે તું મારામાં મન રાખ. મારામાં મન રાખતો થા. તારું મન મારામાં જ રહે એવું કાંઈક કર. આપણાં બધાંની ઈચ્છા છે કે એનામાં આપણું મન રહે. આપણે એનામાં મન રાખીએ. આપણું મન બીજે ક્યાંય જાય નહીં. પણ અનુભવ શું છે? વ્યાખ્યાન તો બહુજ સરસ થાય. પણ વ્યાખ્યાનકર્તા અને શ્રોતા, બંનેના અનુભવો શું છે? મને રહે છે? તો,મન કેમ રહે? એણે તો કીધું કે મારામાં મન રાખ; પણ કેમ રાખવું ઈ પાછો બોલતો નથી! એની પાસેય સમય નહોતો. એને પણ ઘમાસાણ યુદ્ધમાં આ બધું બોલવું હતું. પણ એની કૃપાથી નિમ્બાર્કીય પરંપરાનું છોરું છું એટલે કૃષ્ણપરંપરામાં જીવું છું. એટલે કાંઈક એણે મને કાનમાં કીધું હોય તો મને કહેવાની ઈચ્છા થાય. તે કીધું કે,મારામાં મન રાખ. પણ મન કેમ રાખવું ઈ તમારા સુધી પહોંચે તો ઠીક. પણ મને એવું સમજાયું છે કે મન ત્યાં જ રહે છે જેનામાં આપણી મમતા હોય. ભલે ધર્માચાર્યો મમતાને ગાળો આપે. ભલે સંતવાણીમાં કહેવાયું,મારી મમતા મરે નહીં,એનું મારે શું કરવું?' બધું જ સાચું,પણ જ્યાં આપણી મમતા હોય છે,ત્યાં મન આપણું કાયમ જ હોય છે. બાપને દીકરી ઉપર મમતા હોય તો એનાં સુખ-દુ:ખમાં બાપનું મન ત્યાં જ હોય છે.

મારું રામચરિતમાનસ' કહે, 'પપટળ પપ ક્ષડ ર્ઇંૈઘ....', સીધીસાદી વાત. કૃષ્ણમાં જો મમતા બંધાશે તો મન ત્યાં જ રહેશે. મમતા થઈ જવા દો. એક ઊંચાઈ આવે અને પછી મમતા નીકળી જાય. પણ સીધો ઉપાડો ન લો! આ બધા બણગા ફૂંકવા જેવી વાતો છે! મમતા મૂકી દો,મેં મન મમતા', ઈ સંતોએ ગાયું. એની અવસ્થા એવી હશે એટલે ગયું; બાકી બહુ જ મુશ્કેલ છે. પહેલું,આપણે જ્યાં ઊભાં છીએ જે ધરતી ઉપર આપણા જેવા સામાન્ય માણસો માટે કૃષ્ણમાં મમતા; અને ઈ શાસ્ત્ર આધાર છે. 'પપટળ પપ ક્ષડ ર્ઇંૈઘ', મારે તો ખીલો સૂંઘવાનો રામાયણ'નો કે આપણને ત્યાંથી કાંઈ પ્રમાણ મળે છે? રામ સ્વયં કહે છે,તમામ પ્રકારની મમતાના ધાગા ભેગાં કરી,એક દોરી વણી મારા પગને બાંધી દે. અને પછી ઈ દોરીથી મને ખેંચ. એટલે હું ખેંચાતો,ખેંચાતો,ખેંચાતો નહીં,ઢસડાતો આવીશ.

બાપ! 'ભગવદ્ગીતા'માંથી હું આટલું શીખ્યો છું કે કૃષ્ણમાં મન ત્યારે જ રહેશે જ્યારે કૃષ્ણમાં મારી અને તમારી મમતા બંધાશે. 'લ ઊમ લળઢુ લૂઇંૈટળજ્ઞ', જે મમતા જગતમાં છે એ મમતા અહીંયા જો જોડાઈ જાય તો મન ત્યાં રહેશે.

'પધ્પણળ ધમ પદ્ય્રુટળજ્ઞ' બીજું સૂત્ર; મારો ભક્ત થા. મારી ભક્તિ કર. આપણે બધાંને થાવું છે. પણ કેમ થવું? આપણે તો કહ્યું કે હું કૃષ્ણદાસ છું. પણ ત્યાંથી જો હા આવે તો થાય ને! એ આપણને કહે કે તું છે. આપણા સાહિત્યકારો,માયાભાઈ અને બધાં નથી કહેતાં કે,ઘણાં એમ કહે કે વડા પ્રધાન સાથે મારે અડધી ઓળખાણ છે.' કઈ રીતે?' કે હું એને ઓળખું છું; ઈ મને નથી ઓળખતા.' આવું છે! એમ આપણે તો કહીએ કે હું ભગત છું. તુલસી આગ્રહ રાખે છે,તું બોલ,તુલસીદાસ મેરો.' યદિ તું બોલીશ કે તુલસી મારો',તે'દિ મારી ભક્તિ સફળ થાશે.

બીજું સૂત્ર લેવું પડશે. સમતા રાખીશું તો ભગત થવાશે. જેણે જગતમાં વિષમતા રાખી છે ઈ કોઈ'દિ ભગત નથી થઈ શકતો. ભગતને વિષમતા ન હોય. ભગતને વર્ણાશ્રમ ન હોય. ભગતને સંપ્રદાય ન હોય. ભજનાનંદીને કોઈ ગૃપ અને વાડાઓ ન હોય,ઈ તો બધી રીતે મોકળો હોય છે. એનામાં સમતા હોય છે એટલે ગીતા'એ સમ ઉપર બહુ ભાર મૂક્યો છે. જ્યાં જોઈએ ત્યાં નિંદા-સ્તુતિ,ટાઢ-તડકો,સોનું-ઢેફું,પુરસ્કાર-તિરસ્કાર, માન-અપમાન! અને મારો તુલસી કહે, 'ણિડળ અશ્ર્નટૂરુટ ઈધ્રૂ લપ; જુઓ, 'પપટળ પપ ક્ષડ ર્ઇંૈઘ',સીધી વાત. સમતા રાખો,ઘરનાં લોકોમાં જેટલી રાખો જેની સાથે આપણો નાદવંશ કે બુંદવંશ જોડાયેલો હોય એટલી મમતા નોકર-ચાકર ઉપર રાખવી. તેદિ ભક્તિ સફળ થશે. સાધુસંતોને તમે પૈસા આપો જરૂર કારણ કે એના હાથે સારાં કામમાં વપરાતાં હોય છે. પણ તમારે ઘેરે કામ કરતાં હોય એને સમતા રાખી એક નાનકડી એવી રૂમ બનાવી દો. આવી સમતા આવશે તે'દિ ભક્તિ થશે. વિષમતા ત્યાં હરિ નથી. સમતા ત્યાં પરમાત્મા છે. આપણે જો આટલું શીખી જઈએ તો ભક્ત થવાય; ભગવાનનો ભગત થઈ શકાશે. ભગવાનને સમ ગમે છે,વિષમ નથી ગમતો. મારો ભક્ત થા. ભક્ત થવાશે સમતાથી;મન એનામાં રહેશે મમતાથી. પરમ સ્વાતંત્ર્યનું નામ છે કૃષ્ણ. જીવનમાં કોઈ નકારાત્મક ચીજ આ માણસને નથી. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment