Wednesday 7 December 2016

[amdavadis4ever] તમને એનો ભૂત કાળ નડે છે, એને તમારો By Saurabh Shah

 


પંડિત શિવકુમાર શર્મા કે પંડિત જસરાજને તમે જિંદગીમાં પહેલી જ વખત મળતા હશો તો પણ તમે આદરપૂર્વક એમને નમન કરવાના શું કામ? એમના ભૂતકાળને કારણે વીતેલા દાયકાઓ દરમ્યાન એમણે શાસ્ત્રીય સંગીતમાં જે ભરપૂર પ્રદાન આપ્યું છે તેની ઝલક ક્ષણભરમાં તમારી આંખ સામે તરી આવશે અને તરત તમે એમને નીચા વળીને પગે લાગવાના. દાઉદ ઈબ્રાહિમને મળશો ત્યારે આવી લાગણી થશે? નહીં થાય. અહીં પણ દાઉદનો ભૂતકાળ તમને યાદ આવવાનો. ધારો કે (માત્ર ધારવાનું જ છે) દાઉદ અત્યારે, વર્તમાનમાં, એક પણ અનૈતિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરતો હોય તો પણ તમે એમ કહીને એના માટે આદર દર્શાવી શક્વાના નથી કે મને તારા ભૂતકાળ સાથે કોઈ નિસબત નથી, મને તો અત્યારે તું જે છે. તેની સાથે જ નિસબત છે.
વ્યક્તિના માત્ર વર્તમાન સાથે જ જો તમને નિસબત હોય અને ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા ન હોય તો અત્યારે તમે સચીન તેન્ડુલકરને શું કામ આદર આપો છો? એમના વર્તમાનમાં તો તેઓ ક્રિકેટ રમતા નથી, નિવૃત્ત થઈ ગયા છે. લત્તા મંગેશકરને શું કામ આદર આપો છો? એ પણ નિવૃત્ત છે. અરે, વ્હીલચેરરિડન શશી કપૂરને પણ તમે જુહુના પૃથ્વી ફેસ્ટિવલમાં જુઓ છો ત્યારે આદર આપો છો. છેલ્લી ફિલ્મ એમણે કેટલા દાયકા પહેલાં કરેલી? આ બધી વ્યક્તિઓના ભૂતકાળ સાથે તમને નિસબત છે એટલે વર્તમાનમાં તેઓ ભૂતકાળમાં કર્યું હતું એવું કામ નથી કરતા છતાં તમારા માટે તેઓ આદરણીય છે. તમને એમના ભવ્ય ભૂતકાળ સાથે ચોક્કસ નિસબત છે, જેમ તમે દાઉદ ઈબ્રાહિમના લોહિયાળ અતીતને પણ ભૂલી શક્વાના નથી અને અત્યારે એ સંતદાઉદ બની ગયો હોય તો પણ તમે એને ચાહી શકવાના નથી.
ભૂતકાળને ભૂલી શકાતો નથી, ભૂતકાળને અવગણી શકાતો નથી. દાઉદ કે લતાજી તો એકસ્ટ્રીમ ઉદાહરણો થયાં. સામાન્ય માણસોની રોજિંદી જિંદગીમાં મરતાં સુધી ભાગ્યે જ આવી કોઈ વ્યક્તિને મળવાનો પણ અવસર આવતો હોય છે. સંબંધ બંધાવાની વાત તો ઘણી દૂરની થઈ. પણ નોર્મલ લાઈફમાં એવી ઘણી વ્યક્તિઓ સાથે તમારે સંબંધ બંધાતો હોય છે જેમનો ભૂતકાળ કયાંક કોઈક બાબતમાં ખરડાયેલો હોય. જેમના ભૂતકાળમાં કેટલાંક સિદ્ધિશિખરો હોય એમની સાથે સંબંધ બાંધતી વખતે તમને એમનો ભૂતકાળ નથી કઠતો હોતો, ઊલટાનું તમે એમના ભૂતકાળ માટે ગૌરવ લેતા હો છો. પણ જેમણે ભૂતકાળમાં જાણે-અજાણે સ્ખલનો કર્યા છે એમની સાથેના સંબંધમાં તમે હંમેશાં સાવધ રહીને ચાલતા હો છો. વર્તમાનના કોઈક નાનકડા વર્તન વિશે તમને શંકા જાય છે અને તમે એના ભૂતકાળના એવા કોઈ સ્ખલન સાથે તાળો મેળવીને મનોમન નક્કી કરી નાખો છો કે આ વ્યક્તિ તો પહેલેથી જ આવી છે. તમારી સાથે થયું છે આવું ક્યારેય? બધાની સાથે થતું જ હોય છે.
અને છીંડે ચડયો તે ચોર. એમની વાત તો ખુલ્લી પડી ગઈ. તમારી કે બીજાની વાતો ખુલ્લી નથી પડી એટલે તમે શાહુકાર ગણાઈ રહ્યા છો અને એ ચોર. અને ક્યારેક તો એમણે પોતે જ સામે ચાલીને તમને પોતાનાં સ્ખલનોની, પોતાની ચોરીઓની વાત કરી હશે- તમારા પર વિશ્વાસ રાખીને, પોતાનું મન મોકળું કરવા. હવે જો તમે આ સામે ચાલીને કહેવાયેલી વાત બદલ એ વ્યક્તિને દોષિત ગણશો તો એણે તમારા પર મૂકેલા ભરોસાનો તમે વિશ્વાસઘાત થયો ગણાશે. એણે તમને શું એટલા માટે આ બધી, કોઈનેય જાણ ન હોય એવી, વાતો, કહી હતી કે તમે એનાથી દૂર થઈ જાઓ? તમે એની નિક્ટ આવો એવો ઈરાદો હતો એનો. હવે તમે એ જ વાતોના સંદર્ભો લઈને એની સાથે નાનીનાની બાબતોમાં કમઠાણ કર્યા કરો તે કયાંનો ન્યાય?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment