Wednesday, 3 August 2016

[amdavadis4ever] નાણાંનો રં ગ કાળો કેમ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાણાંનો રંગ કાળો કેમ

લાઉડમાઉથ : સૌરભ શાહ

 

વિલ્સને જમીન અને મકાન જેવી સ્થાવર મિલકતમાંથી થતી આવક પર, ધંધાદારીઓ અને વેપારીઓની આવક પર, વ્યાજ તથા ડિવિડંડ પર, પેન્શન અને પગાર પર આવકવેરો લાદ્યો હતો. એ વખતના વાઈસરોયને ખેડૂત લોબીને ખુશ કરવાની પરવા નહોતી એટલે ખેતીની આવક પર પણ આવકવેરો લેવાતો. એકવીસ ભાગમાં ૨૫૯ કલમો ધરાવતો આ કાયદો ૧૮૬૫ની સાલમાં નાબૂદ થઈ ગયો. પાંચેક વર્ષનું આયુષ્ય ધરાવતા આ કાયદાના અસ્તિત્વ દરમ્યાન અંગ્રેજોએ સૌથી વધુ આવક બેન્ગાલ પ્રેસિડન્સીમાંથી કરી. મુંબઈ પ્રેસિડન્સી બીજા નંબરે અને લગભગ આવતી હતી.

 

છેલ્લાં સો-સવાસો દરમ્યાન આ કાયદાનું મૂળભૂત માળખું બાંધ્યા વિના વિવિધ કલમોમાં અનેક ફેરફારો થયા. મુખ્ય ફેરફાર ૧૯૨૨ અને ૧૯૬૧માં થયા. ૧૯૨૨માં કરવામાં આવેલા સુધારાઓમાં આવકની સામે કયા કયા ખર્ચ મજરે મળી શકે એ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી ત્યારબાદ સાડા ત્રણ દાયકા પછી ઈન્કમટેક્સ એકટમાં સુધારા વધારા સૂચવાની કામગીરી કાયદાપંચને સોંપવામાં આવી. ૧૯૫૮માં કાયદાપંચે રજૂ કરેલા અહેવાલમાં આવકવેરાની જોગવાઈઓ વિશે આકરી ટીકા કરતાં કહ્યું, 'આ કાયદામાં જેટલી ગૂંચવણો અને અર્તાિકકતા છે એટલી  બીજા કોઈ કાયદામાં નથી. મહત્ત્વની અને અગત્યની ઘણી બાબતો અંગે આ કાયદો તદ્ન અસ્પષ્ટ છે.' કાયદા પંચની આવી અનેક આકરી ટીકાઓ પછી એક્ટમાં સંખ્યાબંધ સુધારા અને ઉમેરા કરવામાં આવ્યા.
ઈન્કમટેક્સ એક્ટમાં નવી નવી કલમો ઉમેરાતી જાય તે જરૂરી છે. કાયદો ઘડયા પછી એ વ્યવહારમાં આવે ત્યારે જ ખબર પડતી હોય છે કે ચતુર નિષ્ણાતોએ એમાંથી કઈ કઈ છટકબારીઓ શોધી કાઢી છે. આ બારીઓ બંધ કરવા અને વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવી જોગવાઈઓ દાખલ કરવા કાયદામાં સુધારા વધારા અનિવાર્ય બની જતા હોય છે. ગમે એટલા સુધારા-ઉમેરા કરીને પણ સરકાર ધારે તો કાયદાને સરળ રાખી શક્તી હોય છે. દાખલા તરીકે ઈંગ્લેન્ડના ઈન્કમટેક્સ એકટમાં કંપની તરફથી અપાતી કારની સગવડને આવકવેરો ભરતી વખતે કેવી રીતે ગણતરીમાં લેવી એ વિશે ચાળીસ પાનાંની સ્વતંત્ર પુસ્તિકા સરકારે પ્રગટ કરી હતી. જ્યારે ભારતમાં આ જ બાબત અંગે માત્ર છ ફકરામાં સ્પષ્ટતાઓ આપી દેવામાં આવી હતી. ઓછા શબ્દોને કારણે કરદાતાઓમા ગેરસમજ વધતી હોય છે અને સામે પક્ષે આવી કલમોને મિસઈન્ટરપ્રીટ કરનાર વિદ્યાન ટેક્સ નિષ્ણાતો પણ મળી આવે છે. સરવાળે નુકસાન સરકારને જાય છે.

 

મહાકવિ કાલિદાસે 'રઘુવંશમ'માં લખ્યું: 'રાજા દિલીપ પોતાની પ્રજાના ભલા માટે વેરા ઉઘરાવતા. જેમ સૂર્ય પૃથ્વી પરનો ભેજ શોષીને એ જ ભેજ કરતાં અનેકગણો વરસાદ પાછો આપે છે એમ રાજા દિલીપ આ જ વેરાઓ પ્રજાની સગવડરૂપે એમને પાછા આપતા.'
આજના ભારતમાં ભેજ શોષનાર ઈન્કમટેક્સ ંડિપાર્ટમેન્ટ છે કે વરસાદ પાડનારું?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment