Wednesday, 3 August 2016

[amdavadis4ever] જીવતો માણસ અ ને રાંધેલું અન્ન ગમે ત્ય ારે બગડી શકે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવતો માણસ અને રાંધેલું અન્ન ગમે ત્યારે બગડી શકે

 

 


ફ્લ્મિ કલાકારો જેમ પોતાના સ્થાનની જાળવણી અંગે સતત અસલામતી અનુભવતા હોય છે . એવી રીતે સાધુ-બાવાઓ પણ પોતાના સ્થાન અંગે અસલામતી અનુભવતા હોય છે. પરિણામે થાય છે એવું કે પોતાના કેમ્પમાં પોતાનાથી કોઈ ચડિયાતો ગૃહસ્થ કે સાધુ પેસવો ન જોઈએ. વક્તા તરીકેની સફ્ળ કારકિદીૅ ધરાવતા એક સાહિત્યકારે જણાવેલો કિસ્સો અહીં યાદ આવે છે. એ સાહિત્યકાર એક ગુરૂકુલમાં પ્રવચન આપવા ગયા. રાબેતા મુજબ છટાદાર અને સૌને ગમે એવું વક્તવ્ય તેમણે આપ્યું. ઉપરાંત ગુરૂકુલ જે પરંપરામાં ચાલતું હતું એ પરંપરાના જાણીતા નહીં એવા દાખલા પણ આપ્યા. એ સાંભળીને એ ગુરૂકુલ ચલાવતાં બાવાઓ અચંબામાં પડી ગયા. એ સફ્ળ વક્તાના સુંદર પ્રવચન પછી કોઈ સારો પ્રતિભાવ સભામાંથી મળ્યો નહિ. પાછળથી એ વક્તાને ખબર પડી કે ત્યાં મુખ્ય સિંહાસન પર બિરાજેલા મહારાજશ્રીએ ઈશારો કરીને આ વક્તાને બહુ માન ન આપવું એવું ભક્ત શ્રોતાઓને સમજાવી દીધેલું. આવી હલકાઈ સાધુ-બાવાઓમાં ઠેર-ઠેર નજરે પડે છે.   
હમણાં નજીકના ભૂતકાળમાં અમદાવાદમાં એક આશ્રમના કાર્યક્રમમાં ઉદ્ઘોષક વિદ્વતાપૂર્ણ ઉદ્ઘોષણા કરી રહ્યા હતા ત્યારે એ આશ્રમના પિઠાધિપતિએ ઊભા થઈ અને તે ઉદ્ઘોષકને કહ્યું કે "તમારુ જ્ઞાાન અહીં પીરસવાની જરૂર નથી. અહીં તમારી જેવા અનેક જ્ઞાાનીઓ છે. એટલે માત્ર સીધુ સાદું એનાઉન્સમેન્ટ કરો." આ કિસ્સો પણ બીજાની વિદ્વતા ન સ્વીકારી શકતા સાધુનો છે. સમજવાનું એટલું કે સામાન્ય માણસમાં જે રાગ, દ્વેષ, ગુસ્સો, મર્યાદા, ઈર્ષ્યા, અસહિષ્ણુતા, હલકાઈ, વેર-ઝેર હોય છે તેનાથી બાવા-સાધુઓની જમાત પર નથી. બને ત્યાં સુધી વસ્ત્રો બદલનાર, ભગવા વસ્ત્રો ધારણ કરનાર વ્યક્તિના પૂજક ન બનવું. કારણકે એ મનુષ્ય જ છે. આ માટે મહારાષ્ટ્રમાં એક બહુ જ સરસ કહેવત છે કે "જીવતો માણસ અને રાંધેલું અન્ન ક્યારે બગડે તે કહેવાય નહિ." આ સત્ય દરેક બાવા-સાધુને સીધેસીધું લાગુ પડે છે.
આપણા સંન્યાસી – સાધુ પરંપરાના અનેક ફંટા છે. એક ફંટો એવો છે કે જેઓ સમૃધ્ધ આશ્રમો બાંધીને તેના એરકન્ડીશન રૂમમાં બેસીને પોતાની ધર્મની દુકાન ચલાવ્યાં કરે છે. તેની સામે બધું જ છોડીને સાવ અલગારી રીતે જીવતા સાધુ-બાવાઓ પણ હજી આપણી વચ્ચે હરે ફ્રે છે. આવા થોડાક અલગારી પરંપરાના સાધુઓની વાત કરીએ. (૧) "અવધૂતી" પ્રકારના સાધુ હોય છે. આ પ્રકાર મહિલા સંન્યાસીનીઓનો હોય છે. તેઓ ગળામાં માળા પહેરે, કપાળમાં ત્રિપુંડ કરે અને માત્ર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે. (ર) "ત્યાગી" પરંપરાના સંન્યાસીઓ તો ભિક્ષા પણ નથી માંગતા. વગર માંગ્યે જે મળે તેનાથી ગુજરાન ચલાવી લેતા હોય છે. (૩) "ઉર્ધ્વબાહુ" પ્રકારના સંન્યાસીઓ પોતાના ઈષ્ટ (ભગવાન) ને પ્રસન્ન કરવા પોતાના એક કે બંને હાથ ઉપર ઉઠાવીને રાખે છે. આને તપ ગણે છે. (૪) "ધારેશ્વરી" પરંપરાના સંતો રાત-દિવસ ઉભા રહે છે. ભોજન અને નિદ્રા પણ ઊભા-ઊભા જ કરે છે. આ સાધુઓ હઠયોગી કહેવાય છે. (પ) "પંચધૂની" પ્રકારના સાધુઓ પોતાની ચારે તરફ્ આગ પ્રગટાવીને તપ કરે છે. માટીના વાસણમાં અંગારા લઈને પોતાના માથા પર રાખીને સાધના કરે છે. (૬) "સુખર" પ્રકારના સાધુઓ નાળિયેરમાંથી બનેલ ખપ્પરનો ઉપયોગ કરે છે. માત્ર ભિક્ષા ઉપર જીવે છે અને ભિક્ષા માંગતી વખતે સુગંધિત વસ્તુઓનો ધૂપ કરે છે. (૭) "ફ્ળાહારી" સાધુઓ ઘઉં, જવથી બનેલ ભોજન લેતાં નથી. માત્ર ફ્ળ ખાય છે. ભોજન ઉપર નિયંત્રણ એ તેમની સાધનાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. (૮) "મૌનવ્રતી"-આ સંન્યાસીઓ મૌન રહેવાના શપથ લેતા હોય છે. જરૂરિયાત અનુસારની વાતચીત કાગળ પર લખીને કરી લેતા હોય છે. (૯) "જળધારા તપસ્વી" આ પ્રકારના સાધુઓ ખાડામાં બેસીને પોતાના માથા ઉપર ઘડો રાખે છે. જેમાં છેદ હોય છે. આ ઘડાનું પણ છિદ્રો દ્વારા તેમની ઉપર પડતું રહે છે. જે તેમની સાધના હોય છે. (૧૦) "દૂધારી"- આ સંન્યાસીઓ માત્ર દૂધ પીને પોતાનું જીવન વ્યતીત કરે છે. કોઈપણ પ્રકારનું અન્ન, ફ્ળ કે અન્ય કોઈ વસ્તુઓ તેઓ લેતા નથી. (૧૧) "ઉર્ધ્વમુખી" – આ પ્રકારના સાધુઓ પોતાના પગ ઉપર અને માથું નીચે રાખે છે. તેઓ પોતાના પગને કોઈ ઝાડની ડાળી સાથે બાંધીને લટકતા રહે છે અને કઠોર તપ કરે છે. (૧ર) "અલૂણાં" – આ પરંપરાના સાધુઓ મીઠા વગરનું અન્ન જ માત્ર ખાય છે. 'મીઠા'નું એક નામ 'લૂણ' છે. એટલે મીઠા વગરનું ભોજન કરનાર તે" અલૂણાં". સાધુ પરંપરાના આવા બે ફંટા છે. આપણે યોગ્ય સંતની સેવા કરીએ એ બહુ મહત્વનું છે. તેથી ભક્ત બનવા માટે સો ગળણે ગળીને પાણી પીવું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment