Saturday, 3 December 2016

[amdavadis4ever] આધુનિક ગૅ ઝેટે બાળકન ે બનાવ્યુ ં એકલવાયું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિવાળીના દિવસોમાં એક મોડર્ન માતા ચાર વર્ષના પુત્ર સાથે અંધેરીથી ટ્રેનમાં બેઠી. બાળકને બારી પાસે બેસાડીને તેના હાથમાં મોબાઈલ થમાવી દીધો. ઑફિસમાં દિવાળી નિમિત્તે પૂજા હતી. કુટુંબના સભ્યો પણ બહાર જવાના હોવાથી માતાને ના છૂટકે પુત્રને લઈને ઑફિસની પૂજામાં હાજરી આપવી પડતી હતી. તેની પાસે રહેલા બીજા મોબાઈલ ફોનથી તે આ વાતો મોટે મોટેથી કોઈને જણાવી રહી હતી. બાળકને બારી પાસે બેસવા મળ્યું તેનો આનંદ હતો, જે તેના ચહેરા ઉપર સાફ દેખાઈ રહ્યો હતો. માતાએ થમાવી દીધેલા મોબાઈલને કારણે બાળક બારી પાસે બેસીને ઝડપથી ચાલતી ટ્રેનની મોજ માણવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત બની ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન આવ્યું ત્યારે માતાએ બાળક પાસેથી રીતસર મોબાઈલ ઝૂંટવી લીધો. તેના સેન્ડલ તેને પકડવાનો હુકમ કરીને બંને જણા સ્ટેશને ઊતરી ગયા. કુમળી વયનો પુત્ર હાથમાં સેન્ડલ પકડીને ઢસડાતો ઢસડાતો ઊતરી ગયો. આ પ્રકારનો વ્યવહાર પોતાના બાળક સાથે કરનારી આધુનિક માતા જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે, તે એવી ફરિયાદ કરશે કે મારા પુત્ર પાસે મારી સાથે વાત કરવાનો થોડો સમય પણ નથી. આ સંજોગોમાં વાંક કોનો કાઢવો. 

આધુનિક પેઢીના બાળકો ગૅઝેેટના ઉપયોગમાં વ્યસ્ત બની ગયા છે, જેથી તેમના કુટુંબ, સગાંસંબંધી કે મિત્રો માટેની એક જમાનામાં ઊભરાતી લાગણીઓમાં ઓટ આવી ગઈ છે. આધુનિક પેઢીના સંતાનો જન્મતાંની સાથે જ આધુનિક સાધનો વચ્ચે ઉછરતાં હોય છે. માતા-પિતા પણ સંતાનને બાળપણથી જ ગૅઝેેટને હાથમાં પકડાવી દે છે. માતા પિતા પણ સંતાનના હાથમાં ગૅઝેટ જોઈને ગર્વ અનુભવે છે. ડૉક્ટરોનું કહેવું છે કે બદલાતી જીવનશૈલી અને કુટુંબો નાના થવાને કારણે માતા-પિતા પણ સંતાનો સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવાનું ટાળતા થયા છે. માતા-પિતાનો પ્રેમાળ વ્યવહાર તથા બાળકોની વાતમાં તેઓ રસ દાખવે તેવું સંતાન ઈચ્છતો હોય છે. આધુનિક માતા-પિતા પોતે જ મોબાઈલ ઉપર ગેઈમ રમવામાં કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોવાને કારણે બાળકો કરતાં પણ દુન્યવી ચીજોને વધુ મહત્ત્વ આપવા લાગે છે, જેને કારણે બાળકો સામાજિક સંબંધોથી દૂર રહેવાનું પસંદ કરવા લાગે છે. બાળકો ટી.વી.ના કોઈ ભયાનક દૃશ્યને કારણે માનસિક આધાત અનુભવે કે મોબાઈલમાં કોઈ હિંસક ગેઈમ રમે તેની અસર તેમના કુમળા મગજ ઉપર થતી હોય છે. ત્રાહિત વ્યક્તિ દ્વારા તેમની સાથે શારીરિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય, તેની અસરને કારણે પણ તેઓ મનોમન ગભરાટ અનુભવવા લાગે છે. ધીમ ેધીમે આ ગભરાટ ઉદાસીમાં ફેરવાઈ જાય છે. માતાપિતા બંને નોકરી કરતા હોય છે. આ બાળકો એકલા હોય ત્યારે અસ્વસ્થતા અનુભવવા લાગે છે. ભારતમાં ૨૦માંથી નવ વ્યક્તિ હતાશાનો શિકાર બનેલી જોવા મળે છે. ૧પ કરોડ યુવાવર્ગ એવો જોવા મળે છે કે જેમની રીતભાત સામાન્ય જોવા મળી ન હતી. મધ્યસ્થી બાદ જાણવા મળ્યું હતું કે બાળપણમાં વડીલો દ્વારા દુર્લક્ષ્ય સેવાયું હોય કે વારંવાર તેમની ઉપર ક્રોધિત થવાને કારણે તેમનું મનોબળ તૂટી જાય તેવું બનતું હોય છે. ધીમે ધીમે આત્મવિશ્ર્વાસ ઓછો થવાને કારણે તેમનો સ્વભાવ બદલાવા લાગે છે. બાળકો પણ ગુસ્સો અને આક્રમક વર્તન ધરાવતા થઈ જાય છે. સંતાન યુવાનીમાં પણ લાગણીશીલ રહે તેવું ઈચ્છતા વડીલોએ સંતાનના બાળપણમાં તેની યોગ્ય સંભાળ લઈને તેમની સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવો જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment