Saturday, 6 August 2016

[amdavadis4ever] પીડા બેઉમાં છે, તમારે એમા ંથી એકની પસં દગી કરવાની છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રેગિસ્તાનમાં ભૂલો પડેલો માણસ રાત પડવાની રાહ જુએ, સૂર્યાસ્ત પછીનું અંધારું છવાય ત્યાં સુધી ધીરજ ધરે અને ધ્રુવના અચળ તારાને જોઈને પોતાની દિશા નક્કી કરી મુસાફરી આગળ વધારે.

પોતાના જ ઘરમાં, પોતાની જ દુનિયામાં ભૂલા પડી ગયેલા માણસ માટે ધ્રુવનો તારો કોણ? બીજી વ્યક્તિ, ચાહે એ અંગત હોય કે બિનઅંગત, સાથેની વાતચીત દિશા સૂઝાડી શકે. ક્યારેક. કોઈ પુસ્તક, કોઈ પ્રવચન કે કોઈનો હૂંફભર્યો સહવાસ પણ માર્ગ ચીંધી શકે. પણ આમાંનું કશુંય ધ્રુવના તારાની જેમ અચળ નથી, આમાંનું કોઈ ભવિષ્યમાં પણ એના એ જ વિચારો ધરાવશે એની કોઈ પાકી ખાતરી નથી. એમાં બદલાવ આવે એ શક્ય છે કારણ કે ભૂતકાળમાં એમના કેટલાક વિચારો અત્યારે છે એના કરતાં જુદા હતા. બહારનાને ભરોસે રહીને દિશા નક્કી કરવાથી ક્યારેક એ લોકો પોતાનું જ સુકાન ફેરવી નાખે તો એમના આધારે આગળ વધી રહેલો પ્રવાસી ગુમરાહ થઈ જાય.

કોઈકે આપણને એક વિચાર આપ્યો. ગમી ગયો. એ વિચારની આસપાસ જિંદગી ગૂંથીને ભવિષ્ય વણી રહ્યા હોઈએ અને ખબર પડે કે હવે એ વ્યક્તિ એ વિચારમાં શ્રદ્ધા ધરાવતી નથી. એવું કરવાનો એમને હક્ક છે. પણ એ વખતે આપણું શું? એમનો નવો વિચાર આપણને ન ગમ્યો હોય તો પણ એને અપનાવી લેવો? કે પછી એમણે જે ત્યજી દીધો છે એ જૂના વિચારને આપણે વળગી રહેવું?

એટલે જ બહેતર એ છે કે બીજાએ સર્જેલા તારાને ધ્રુવતારક માની લેવાને બદલે માણસ પોતે પોતાનો ધ્રુવ બને. બીજાએ જે ચીંધ્યો છે એ તારો એમના માટે ધ્રુવનો હોઈ શકે, આપણા માટે નહીં. દરેકની પાસે પોતપોતાનો એક ધ્રુવનો તારો હોય, એનો પોતાનો ગાઈડિંગ સ્ટાર હોય. નોર્થ સ્ટારને અંગ્રેજીમાં ગાઈડિંગ સ્ટાર પણ કહે.

માણસ પોતે જ પોતાનો માર્ગદર્શક બને એ કામ સહેલું નથી. પણ સ્વતંત્રતાપૂર્વક, આત્મનિર્ભર રહીને જીવવા માટે એવું કરવું અનિવાર્ય છે. જન્મતાંની સાથે જ પરાવલંબી જીવનનો આદિ થઈ ચૂકેલો માણસ સંસારમાં પૂરેપૂરો પ્રવેશતાં સુધીમાં સંપૂર્ણપણે પરાધીન બની જાય છે. આ માનસિક પરાધીનતા એને ક્યારેય આત્મનિર્ભર બનવા દેતી નથી, એને ક્યારેય વૈચારિક સ્વાવલંબન આપતી નથી.

વ્યક્તિના આંતરિક વિરોધાભાસોને બીજાઓ ઓળખી શકતા નથી. તમને આજે ગળ્યું ભાવે છે અને કાલે તમે મીઠાઈનો ઈનકાર કરીને તીખું માગો છો તો એવું કરવાનો તમને અધિકાર છે. એટલું જ નહીં બેઉને એક સાથે માણી શકવાની, એક સરખી તીવ્રતાથી માણી શકવાની ક્ષમતા પણ તમારામાં હોઈ શકે છે. કવિ કાન્ત કે ન્હાનાલાલની કવિતા જેટલો જ રસ તમને કૅટરિના કેફના નવા આઈટમ સૉન્ગમાં પડી શકે છે. તમારા માટે આ અસ્વાભાવિક નથી કારણ કે આ બધું જ સહજ રીતે તમારામાં ઊગતું આવ્યું છે. ખેતરની વચ્ચોવચ સુગંધી છાંયડો આપતા બોરસલ્લીના ઝાડ નીચે બપોરે કાથીનો ખાટલો ઢાળીને તમે ઘસઘસાટ ઊંઘી શકો છો, ફાઈવ સ્ટારના કિંગ સાઈઝડ પલંગ પર પણ એવી જ ઍરકંડિશન્ડ નિદ્રા માણી શકો છો અને સેક્ધડ ક્લાસના થ્રી ટિયરના કોચમાં છેક ઉપરની બર્થમાં પણ એ જ કક્ષાની ઊંઘ તમને મળી શકે છે. તમને આ ત્રણેય પરિસ્થિતિઓમાં જોનારાઓ એમાંની કોઈ પણ એક સ્થિતિ સ્વીકારીને કહેશે કે બાકીની બે તમારા માટે દેખાડો છે તો ભલે ને કહે.

માણસ જે કંઈ કરે છે તે પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કરે છે - કાં તો એ પોતાની મર્યાદાઓમાં રહે છે અથવા એ મર્યાદાઓને તોડીને વિકસવાનો પુરુષાર્થ કરે છે. પણ લોકોને તમારી મર્યાદાઓથી, વિકસવાની પ્રક્રિયાથી કે વિશિષ્ટતાઓથી કોઈ મતલબ હોતો નથી. તેઓ તમારે શું કરવું જોઈએ ને શું નહીં એ વિશે જ વિચારતા હોય છે.

લોકો તમારા વિશે શું વિચારે છે એ બાબતને મહત્ત્વ આપવાને બદલે તમારે શું કરવું છે, તમે શું કરી શકો એમ છો અને તમે શું નથી કરવા માગતા એ બાબતો પર જ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય ત્યારે જીવવું થોડુંક વધુ કઠિન જરૂર બની જવાનું. બીજાની દૃષ્ટિએ તમે આત્મકેન્દ્રી ગણાવાના - સેલ્ફ સેન્ટર્ડ. પણ હકીકતમાં આ આત્મનિર્ભરતા તરફનું સેલ્ફ રિલાયન્સ ભણીનું - પ્રથમ પગલું હોવાનું.

લોકોની અપેક્ષા મુજબ જીવનની તરાહ ગોઠવી દીધા પછી તેઓ નૃત્ય કરાવે તેમ જ તમારે ડાન્સ કરવો પડે. તમે એક બાબતમાં બીજાઓની અપેક્ષાઓ સંતોષી દો, તમારી પોતાની ઈચ્છાઓને કચડી નાખીને, પછી દરેકે દરેક બાબતમાં તેઓ આશા રાખતા થઈ જાય કે અહીં પણ એમનું ધાર્યું જ થવાનું. તમને ખબર હોય છે કે નવ્વાણું બાબતોમાં એમની અપેક્ષા મુજબનો વર્તાવ કર્યા પછી માત્ર એક જ વખત પૂરતું તમે તમારી મરજી મુજબનું વર્તન કરશો ત્યારે તેઓ અગાઉની નવ્વાણુંવાર આપેલી સ્વીકૃતિ પાછી ખેંચી લેવાના છે. માટે તમે નક્કી કરો છો કે દરેક બાબતમાં તમારે એમની ધૂન મુજબ જ નાચવું. પણ છેવટે ક્યારેક ને ક્યારેક આવું કરવાનો તમને થાક લાગતો હોય છે. આવું કરવાથી ખૂબ સહન કરવું પડે છે એવી પ્રતીતિ થઈ ગયા પછી જ ખ્યાલ આવે છે કે આના કરતાં તો પોતાની જીદથી જીવવાનો પ્રયત્ન કરતી વખતે જે સહન કરવું પડે તે ઓછું પીડાદાયક છે.

પીડા બેઉમાં છે. બીજાઓ નચાવે તેમ નાચવામાં અને પોતાનું ધાર્યું કરવામાં. વિકલ્પ તમારી પાસે છે. કઈ પીડા પસંદ છે તમને.

બીજાના વિચારોથી ચાલ્યા પછી, એ વિચારોને ધ્રુવતારક માનીને જીવનની દિશા ગોઠવ્યા પછી, એ વિચારો પલટાય છે ત્યારે દિશાફેર થઈ જાય છે. વિચારોમાં પરિવર્તન, એ આપણા હોય ત્યારે પણ આવવાનું છે. આવા સમયે પોતે સર્જેલો અલાયદો ધ્રુવ તારો હશે તો વિચારોમાં જેટલા અંશે પરિવર્તન આવશે એટલા જ અક્ષાંશ - રેખાંશ પર ધ્રુવનો તારો પણ સ્થળાંતર કરી લેશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment