Saturday, 6 August 2016

[amdavadis4ever] ભારતના ત્ર ણ લાંબા સમય નાં મોટાં સંઘર્ષ સ્થળ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતમાં વિશાળ અને લાંબા સમયથી ચાલતા ત્રણ સંઘર્ષ-અથડામણ-લડાઈના વિસ્તારો છે. પહેલો વિસ્તાર છે જમ્મુ અને કાશ્મીર. બીજો છે ઝારખંડ, ઓરિસ્સા અને છત્તીસગઢ જેવાં રાજ્યોને સ્પર્શતો મધ્યભારતનો આદિવાસી પટ્ટાનો વિસ્તાર અને ત્રીજું સંઘર્ષ સ્થળ છે ઈશાન ભારતનો ટ્રાઈબલ પટ્ટો.

પહેલો જે વિસ્તાર છે એની સમસ્યા એવી છે કે કાશ્મીર ખીણના મુસ્લિમોને લાગે છે કે વિભાજન દરમિયાન તેમને કશું કહેવાનું મળ્યું જ નથી કે તેમને અભિપ્રાય આપવાની તક મળી નથી. જવાહરલાલ નહેરુએ ત્યારે આપેલું પ્લેબિસાઈટ લેવાનું એટલે કે તેમને શું કરવું હતું કે કરવું છે એ કહેવા માટેનો જનમત લેવાનું વચન પરત ખેંચી લેવામાં આવ્યું હતું. એ પછી ઘણા કાશ્મીરીઓ જેને કાયદેસરના કે નિયમસરના હોવાનું સ્વીકારી ન શકે એવા શ્રેણીબદ્ધ પગલાં બાદ કાશ્મીર ભારતીય પ્રજાસત્તાકમાં વિલય પામ્યું હતું. અગાઉ યુનાઈટેડ નેશન્સને પણ કાશ્મીર મામલામાં ખેંચવામાં આવ્યું હતું, પણ શીત યુદ્ધ અને વિભાજિત સલામતી સમિતિને પગલે મામલો અસ્પષ્ટ છોડી દેવાયો હતો. વાસ્તવિકતા ન સ્વીકારી શકનારા કાશ્મીરીઓએ હિંસક બળવો કર્યો હતો. કાશ્મીરીઓની બે પેઢી શક્તિશાળી લશ્કરી હાજરીમાં ઉછરી છે અને ખીણના હિન્દુઓના બોરિયા-બિસ્તરાં લપેટી દઈ હાંકી દેવામાં આવ્યા છે અને કાશ્મીરી અલગતાવાદી હિંસાચાર રાજ્ય છોડીને વિદાય થયો નથી. આ તમામ દશાઓમાં મુંબઈ કે દિલ્હીમાં કાશ્મીરીઓ દ્વારા બૉમ્બસ્ફોટ કે હમલા કરાયા નથી. જે કાશ્મીરીઓએ શસ્ત્રો ઉપાડ્યા છે એ તેમણે રાજ્યની અંદર ઉપાડ્યા છે અને ભારતીય સશસ્ત્ર દળો સામે ઉપાડવામાં આવ્યા છે. આ લોકોને મોટા ભાગના કાશ્મીરીઓ, જે રીતે બાકીના ભારતમાં તેમને જોવામાં આવે છે, એ રીતે ત્રાસવાદી તરીકે જોતા નથી. ભારત કહે છે કે ત્યાં જે સમસ્યા છે તે બાહરી સમસ્યા છે. જો પાકિસ્તાન તરફથી બદમાશી કરવામાં ન આવે તો ત્યાં કશો મુદ્દો જ ન હોય. જોકે, કાશ્મીરીઓની સામે અતિશય હિંસાચાર દર્શાવે છે કે આપણે જાણે કે કાશ્મીરીઓ સાથે ભારતીય તરીકે વ્યવહાર કરતા નથી.

સંઘર્ષનાં બીજા સ્થળે પારંપરિક આદિવાસી વિસ્તારોમાંથી સંસાધનો લેવા સંબંધી છે. આ વિસ્તારો ખનિજ અને કોલસાની રીતે અતિ સમૃદ્ધ છે અને ભારતીય સરકાર એ જણસોનો 'રાષ્ટ્રીય સંપત્તિ' પેટે ઉપયોગ કરવા માગે છે. દુર્ભાગ્યે જે આદિવાસીની જમીનો લઈ લેવાઈ છે અથવા લઈ લેવામાં આવી રહી છે તેમને આપણે સારી રીતે રાખી-જાળવી શકતા નથી. અમુક અંશે આમ જાણીબૂઝીને નથી કરાયું. ભારત પરિણામ લાવવાને સમર્થ નથી, સમૃદ્ધ તો લગીરેય નથી. સરકાર મોટાભાગના ભારતીયોને સંપૂર્ણપણે શિક્ષણ કે આરોગ્ય સુવિધા આપી શકતી નથી, ગરીબોને તો ખાસ આ બધું આપી શકાતું નથી, પણ ભારતની વસતિના આઠ ટકા આદિવાસીઓના કિસ્સામાં વધારાનો એવો આગ્રહ હોય છે કે તેમણે જ ભોગ આપવાનો, ન્યોચ્છાવર કરવાનું. તેમની જમીનમાંથી શહેરી વિસ્તારોમાં ચાલતા એરકન્ડિશ્નરો અને વૉશિંગ મશીનો માટે કોલસા લઈ જવામાં આવે છે. તેમનાં જંગલો કાપી નાખવામાં આવે છે, પ્રદૂષિત કરવામાં આવે છે. જો કોલસાના આવા થરનાં થર દક્ષિણ મુંબઈ કે દક્ષિણ દિલ્હીમાંથી મળી આવે તો આપણે ખાતરી રાખી શકીએ કે સૌથી વધુ વાતો માનવ અધિકારો, શોષણ અને પર્યાવરણની થશે અને આપણે સાંભળી ન હોય એટલી બધી થશે, પણ આ આદિવાસીઓ પાસે એમની લડાઈમાં બહુ બધા સાથીદારો નથી.

આ શોષણ સામેના હિંસાચારને માઓવાદ કે ડાબેરી અંતિમવાદ કહેવામાં આવે છે. આવા સ્પષ્ટ કથનો શહેરી ભારતીયો માટે આ મામલામાં રહેલા અંદરનાં કારણો, હેતુઓને અવગણવાનું અને આ લોકોને 'ત્રાસવાદી' તરીકે સ્વીકારવાનું સહેલું બનાવી દે છે. અંતિમવાદી, આતંકવાદી, માઓવાદી અને જિહાદી જેવા શબ્દો માત્ર આ એક જ કારણસર આપણામાં પરોવી દેવામાં આવ્યા છે. કાશ્મીરી હિંસાચારની જેમ જ માઓવાદી હિંસાચાર પણ ચેન્નઈ કે કોલકાતા પહોંચ્યો નથી, એ આ આદિવાસી પટ્ટા સુધી જ સીમિત રહ્યો છે. આપણાં શહેરોમાં ધડાકા કરે એવી જમીનીસુરંગો નથી કે કોર્પોરેટ કચેરીઓને ઘેરો નાખવામાં આવ્યો નથી.

અથડામણ-સંઘર્ષનો ત્રીજો વિસ્તાર ઈશાનનો વિસ્તાર છે. ભારતનો આ એવો વિસ્તાર છે જે મોગલોના શાસન તળે નહોતો. બ્રિટિશરોએ અહીંના આદિમ અવસ્થાનાં જૂથો (ટ્રાઈબ્સ)ને શરણે આવવાની ફરજ પાડી અને આ વિસ્તારોને ખાસ્સા તાજેતરમાં ભારતમાં ભેળવવામાં આવ્યા હતા. આમાંની કેટલીક ટોળકીઓએ ૧૯૪૭ પહેલા પણ વિલિનીકરણનો વિરોધ કર્યો હતો. એમણે એમનો હિંસાચાર ચાલુ રાખ્યો હતો. કેટલાક દશકાથી તેમનો આ પ્રતિકાર ભારતીય લશ્કરને કારણે વધારે ઉગ્ર બન્યો છે, લશ્કરની અહીં સઘન હાજરી છે. જોકે ઈશાનના બળવાખોરો તેમની લડાઈ બૅંગલુરુ કે હૈદરાબાદમાં લડતા નથી. આપણા વિમાની મથકો પર હુમલા કર્યા નથી કે આપણી સ્કૂલોમાંથી બાન પકડ્યા નથી.

લાખો કાશ્મીરીઓ અને ઈશાનવાસીઓ તેઓ જ્યાં કામકાજ-નોકરી ત્યાં જ શહેરી ભારતીય કેન્દ્રોમાં વસવાટ કરે છે. એ લોકોને જ્યારે ઘર ભાડે ન મળે કે તેમની જાતિ-વંશના આધારે તેમના પર હુમલો કરવામાં આવે ત્યારે તેઓ સમાચારોમાં જોવા મળે છે. એ લોકોએ તેમની ધરતી-માટી પરનો સંઘર્ષ પાછળ છોડી દીધો છે. એવી રીતે છોડી દીધો છે કે જાણે એ તમામ હત્યા, તમામ શોષણ કોઈ બીજાના દેશમાં થઈ રહ્યું છે. આ કેન્દ્રીય સચ્ચાઈએ ભારતીય મધ્યમ વર્ગને આપણા ત્રણ સંઘર્ષો, અથડામણોને અવગણતા કરી દીધા છે. હિંસાચાર આપણને બિલકુલ સ્પર્શતો નથી એટલે જ આપણે સંઘર્ષનાં અંતર્ગત કારણો અને ફરિયાદો સામે આંખ આડા આંખ કરવાનું આવડી ગયું છે. આપણા ઘરનાં ડ્રોઈંગ રૂમોમાંથી અને ટેલિવિઝન સ્ટુડિયોમાંથી આપણે આ તમામ બાબતોને ત્રાસવાદ કહીએ છીએ. આપણે એનાથી આપણી જાતને અળગી કરી દઈ શકીએ છીએ અને આપણે એમ કરી શકીએ એટલા આપણે ભાગ્યશાળી પણ છીએ. સરકાર પણ આ લોકો સાથે ધારે એટલી મજબૂતી, સખ્તાઈ ધારણ કરી શકે છે, કારણ કે એમના પગલાં બાકીનાં આપણા જેવા લોકોને અસર કરતા નથી કે રસપ્રદ લાગતા નથી

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment