Sunday, 11 December 2016

[amdavadis4ever] સેક્યુલારિઝમ અને બિનસાંપ્ રદાયિકતા- આ છ ે અસલી ઓળખાણ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજની તારીખે દુનિયામાં કુલ દેશોની સંખ્યા બસ્સોથી થોડીક વધારે છે. આ બધા દેશોની શાસનવ્યવસ્થાનાં માળખાંઓ રાજાશાહીથી માંડીને પ્રમુખશાહી સુધી જુદા જુદા પ્રકારનાં છે. પોતપોતાની શાસનવ્યવસ્થાના આ ઢાંચાઓ વિશે એમનાં બંધારણો પણ ઘડાયેલાં હોય છે. આ બધા દેશો વચ્ચે ભારત એક એવો દેશ છે જેનું બંધારણ વિશ્ર્વમાં સહુથી અનોખું બન્યું છે. ભારતના બંધારણના આમુખમાં સેક્યુલર નામનો એક શબ્દ ઘૂસી ગયો છે. દુનિયાના કોઈ દેશે પોતાને સેક્યુલર તરીકે ઓળખાવીને ગૌરવ લીધું નથી.

આપણા મૂળ બંધારણના ઘડવૈયાઓએ ભારતને સેક્યુલર તરીકે ઓળખાવ્યો નહોતો. ૧૯૫૦થી પૂરાં પચ્ચીસ વરસ સુધી દેશ સેક્યુલર નહોતો. ઇંદિરાજીએ કટોકટીકાળમાં બંધારણમાં આ સેકયુલર નામનો વાઈરસ ઘુસાડી દીધો. સેક્યુલર શબ્દનો અર્થ ઈંદરાજી જાણતાં હશે કે નહિ એ આપણે જાણતા નથી. એમણે કદાચ આ વિશે કોઈની સલાહ લીધી પણ હશે તો જેએનયુના ઈતિહાસકારોની જ લીધી હશે એવું લાગે છે. પહેલાં પચ્ચીસ વરસ બંધારણીય રીતે સેક્યુલર ન હોવા છતાં આ દેશ સેક્યુલર જ રહ્યો હતો. બંધારણીય દરજ્જે સેક્યુલર બન્યા પછી, સેક્યુલારિઝમનું જે રટણ શરૂ થયું એનાથી વહેવારમાં એ ઓછો ને ઓછો સેક્યુલારિસ્ટ થતો ગયો. 

સાચી વાત તો એ છે કે આ સેકયુલર શબ્દ આપણે એના મૂળ અર્થથી સાવ વિપરીત રીતે વાપરી રહ્યા છીએ. આ શબ્દનું કોઈ ભારતીય ભાષામાં ભાષાંતર થઈ શકે એમ જ નથી. આપણે બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ એવું જે ભાષાંતર કર્યું છે એ મુદ્દલ સાચું નથી. સેક્યુલર શબ્દ એક ચોક્કસ પરિસ્થિતિમાં યુરોપમાં સોળમી સદીમાં પેદા થયો હતો. અત્યાર સુધી યુરોપના ખ્રિસ્તી દેશો ઉપર ધર્મના વડા તરીકે પોપની જોહુકમી ચાલતી હતી. પોપ ધર્મનો તો વડો ગણાતો જ હતો પણ યુરોપના દેશોના શાસન ઉપર પણ એની આણ પ્રવર્તતી હતી. આમ રાજ્ય અને ધર્મ સેળભેળ થઈ જતા હતા.

પોપના ધાર્મિક વડપણને ત્યારે સોસરડોટલ શબ્દથી ઓળખવામાં આવતું. સોસર મૂળ લેટિન શબ્દ છે અને એનો અર્થ ધાર્મિક વિધિવિધાન એવો થાય છે. સેક્યુલર પણ લેટિન શબ્દ છે અને એનો અર્થ દુન્યવી વ્યવહારો એવો થાય છે. પોપ આ બંને સત્તા ભોગવતો હતો. એણે પાપના પરવાના એ નામે સ્વર્ગની લેખિત ટિકિટો વેચવા માંડી ત્યારે માર્ટિન લ્યુથર નામના એક માથાફરેલ જર્મને પોપને પડકાર્યો અને કહ્યું, "તમને સોસર અને સેક્યુલર એમ બંને અધિકારો નથી. તમે ધાર્મિક વડા છો, એટલે કે સોસર છો માટે સ્ોક્યુલર એટલે કે દુન્યવી બાબતોમાં માથું ન મારો. આમ સેક્યુલર એટલે ધર્મ સિવાયની દુન્યવી બાબતો એવો અર્થ થાય છે.


આવી કોઈ પરિસ્થિતિ ભારતમાં ક્યારેય નહોતી એટલે આ સેક્યુલર નામનો વાઈરસ આપણે ત્યાં આવ્યો ત્યારે આપણને એનો અર્થ જ ખબર નહોતી. આપણે એને આપણી અનુકૂળતા પ્રમાણે બિનસાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ એવો અર્થ કર્યો, જે સાવ ખોટો છે. 
મૂળ સેક્યુલર શબ્દમાં ધર્મ સિવાયની જ દુન્યવી વાતો અને ખાસ કરીને રાજ્યતંત્ર એવી વિભાવના છે.

માર્ટિન લ્યુથરે, પોપે લોકોને પાપમાંથી મુક્ત થવા જે પરવાના નાણાં લઈને વેચવા માંડ્યા એનો વિરોધ કર્યો એટલે આ પ્રોટેસ્ટ કરનારાઓ પ્રોટેસ્ટન્ટ કહેવાયા. ઈંગ્લેન્ડના રાજાને એની સગી ભાભી જોડે પરણવું હતું. ખ્રિસ્તી ધર્મમાં ભાભી એટલે કે મોટા ભાઈની પત્ની માતા સમાન ગણાય છે. એની સાથેનાં લગ્ન વર્જ્ય છે. પોપે રાજાને આ પરવાનગી આપી નહિ એટલે આ રાજા પણ પ્રોટેસ્ટન્ટ બન્યો. આમ સોસર એટલે કે ધાર્મિક વિધિવિધાનો પૂરતો પોપ મર્યાદિત બન્યો અને પ્રોટેસ્ટન્ટોએ રાજ્યતંત્ર ઉપરથી એમનો અધિકાર દૂર કર્યો. સેક્યુલર શબ્દનાં મૂળ અહીં છે.

હવે આ સેક્યુલર શબ્દ આપણે ત્યાં જે રીતે પ્રયોજાઈ રહ્યો છે એ તો સાવ ભિન્ન અર્થમાં છે. ધાર્મિક વડાનો શાસન ઉપર કોઈ અધિકાર ન હોવો જોઈએ એટલા પૂરતો જ આ શબ્દ પ્રચલિત થયો હતો. રાજ્યે ધર્મમાં દખલગીરી ન કરવી જોઈએ એવો જ અર્થ આપણે ઠોકી બેસાડ્યો છે એ સાવ વિપરીત છે. આ શબ્દનો આપણે જે અનુવાદ કર્યો છે એ બિનસાંપ્રદાયિક શબ્દ પણ ભારે અનર્થકારી છે.

બિનસાંપ્રદાયિક શબ્દના મૂળમાં પ્રદાન છે. દાન એટલે આપવું અને પ્રદાન એટલે વિશેષરૂપે આપવું. આ પ્ર ઉપસર્ગ વિશેષતા માટે વપરાય છે. જેમ કે વકતા અને પ્રવકતા. સભામાં ઘણા માણસો આવ્યા હોય એમને મુખ કહેવાય. મુખ એટલે ચહેરો પણ વિશેષ મુખ એટલે પ્રમુખ. પ્રમુખ ન આવે ત્યાં સુધી સભા ચાલે નહિ. ટૂંકામાં પ્ર ઉપસર્ગ સાથે દાનનો મહિમા વધે છે. હવે આ પ્રદાન પૂર્વે સમ્ શબ્દ વાપરીએ એટલે સંપ્રદાન એવો શબ્દ બને. સમ્ એટલે સારી રીતે. આમ સંપ્રદાનનો અર્થ એ થયો કે જે સારી રીતે કહેવાયું છે, સારી રીતે અપાયું છે. હવે જે રીતે સંસારનું સાંસારિક બન્યું, સમાજનું સામાજિક બન્યું એ રીતે આ સંપ્રદાનનું સાંપ્રદાયિક બન્યું. પ્રદાન એટલે આપવું પણ જે અપાયું છે એ પ્રદાય કહેવાય. સાંપ્રદાયિકનો અર્થ એવો થયો કે જે સારી રીતે, સારા ઉદ્દેશથી, સારા ભાવ સાથે કહેવાયું કે અપાયું છે એનું સારી રીતે અનુશીલન કરે. સમાજ વ્યવહાર કરે એ સામાજિક કહેવાય, સંસાર વ્યવહાર કરે એ સાંસારિક કહેવાય એમ સંપ્રદાયનો વ્યવહાર કરે એ સાંપ્રદાયિક કહેવાય. પણ આમાં સારું, સ્વચ્છ એવું બધું અભિપ્રેત છે જ.

દુર્ભાગ્યે બન્યું છે એવું કે આપણે બિનસાંપ્રદાયિક શબ્દને પકડી લીધો છે. સેક્યુલર શબ્દને સમજ્યા વિના આપણે સેક્યુલર બન્યા એ જ રીતે સાંપ્રદાયિક શબ્દને સમજ્યા વિના આપણે બિનસાંપ્રદાયિક બની ગયા છીએ. સાંપ્રદાયિક એટલે જો સદ્વર્તન એવો અર્થ થતો હોય- જે ઉપર લખ્યા પ્રમાણે થાય છે- તો પછી બિનસાંપ્રદાયિક એટલે તો સદ્વર્તન નહિ કરનાર એવો જ અર્થ થાયને?

આજે પોતાને બિનસાંપ્રદાયિક કહેવડાવતાં સજ્જનો અને સન્નારીઓ પૈકી, આ શબ્દનો અર્થ સમજયા પછી પોતાને બિનસાંપ્રદાયિક કહેવડાવવાનું ચાલુ રાખશે ખરા? જો તેઓ આ અર્થ સમજ્યા પછી પણ પોતાની ટંગડી ઊંચી રાખવા પોતાને હજુ પણ બિનસાંપ્રદાયિક કહેવડાવતા ફરે તો આપણે એમને પૂછીએ- "તમે સારા વર્તન, સારા વ્યવહાર, સારા વિચારો અને જે કંઈ સારું છે એના વિરોધી છો?

સેક્યુલારિઝમ અને બિનસાંપ્રદાયિકતા આ બંનેની વિભાવનાના મૂળધર્મ છે. યુરોપમાં જ્યારે સેક્યુલર શબ્દ બન્યો ત્યારે પાયામાં ખ્રિસ્તી ધર્મ હતો. આપણે ત્યાં તો પ્રાચીનકાળમાં ધર્મ શબ્દ સંપ્રદાયના અર્થમાં વપરાયો જ નથી. વેદકાલીન સાહિત્ય અથવા તો રામાયણ- મહાભારત સુધીના કાળમાં ધર્મ એટલે મનુષ્યે પાયાનુું જે સદ્વર્તન કરવું જોઈએ એવો જ ભાવ છે. યજ્ઞકુંડો, મંત્રોચ્ચારો, પૂજાવિધિ આ બધા ક્રિયાકાંડ છે, ધર્મ નથી. જે રીતે સેક્યુલર શબ્દનો સાચો અનુવાદ આપણી ભારતીય ભાષાઓમાં થઈ શકે નહિ એ જ રીતે આ ધર્મ શબ્દનો અનુવાદ પશ્ર્ચિમની કોઈ ભાષા કરી શકે નહિ. મહાભારત ગ્રંથના ફ્રેન્ચ તથા અંગ્રેજી અનુવાદ કરનારાઓએ આ અનુવાદ શોધવા માટે ભારે મથામણ કરી હતી અને પછી પ્રયત્નો પડતા મૂકીને ધર્મ શબ્દ જ એમને એમ જ ફ્રેન્ચ તથા અંગ્રેજી ભાષામાં વાપર્યો હતો. ધર્મ એટલે રિલિજિયન નહિ એટલી ગતાગમ સેક્યુલારિસ્ટો અને બિનસાંપ્રદાયિકોને હવે થવી જોઈએ. રિલિજિયન એટલે સાંપ્રદાયિકતા, ધાર્મિકતા નહિ. (આધ્યાત્મિકતાની તો અહીં વાત જ નથી કરવી.)

વૈદિક પરંપરા માત્ર જીવન પદ્ધતિ હતી. આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એને આ પરંપરામાં ધર્મ કહેતા. ધર્મવિહિત અને ધર્મનિષિદ્ધ આ બે શબ્દો વૈદિક પરંપરાના અનુયાયીઓના લોહીમાં વણાઈ ગયેલા હતા. ક્રિયાકાંડ એ સાવ જુદી વાત હતી. આમાં હિંસક યજ્ઞોનો પણ સમાવેશ થઈ જાય છે. આ હિંસક યજ્ઞોનો તથાગત બુદ્ધે પહેલી વાર વિરોધ કર્યો અને વૈદિક પરંપરામાં એક જુદો ફાંટો પડ્યો. અહીં સુધી રિલિજિયન શબ્દના અર્થમાં કોઈ કશું જાણતું નહોતું. સહુ કોઈ એક પરંપરા જીવતા હતા. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં એટલે કે બુદ્ધનાં સો-બસો વરસ પછી ગ્રીકોનું આક્રમણ થયું અને ત્યારે હિંદુ શબ્દ બન્યો. ગ્રીકો સનો ઉચ્ચાર હ કરતા હતા એટલે સિંધુને એમણે હિંદુ નદી કહી અને સિંધુની આસપાસ રહેનારાઓ હિંદુ કહેવાયા. ભારતનો ઈતિહાસ લખનારાઓ પાસે ગ્રીક ઈતિહાસકાર મેગેસ્થેનસે લખેલો 'ઈન્ડિકા' નામનો ગ્રંથ બહુ મહત્ત્વનો છે. આ 'ઈન્ડિકા'માં હિંદુ શબ્દ વપરાયો છે. એ પછી બીજા સૈકામાં બૌદ્ધ ધર્મની જે સંગીતિ મળી એના કારણે બૌદ્ધ, હિંદુ આ બધી રિલિજિયન બની ગયા. જૈન પરંપરાનો પણ આમાં સમાવેશ થાય છે.

સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડે ત્યારે બધાએ નિદ્રાથી પરહરીને પોતપોતાના કામે વળગવું એવો આગ્રહ ભલે આપણે ન રાખીએ, પણ સૂરજ માથા ઉપર આવે ત્યાં સુધી માથા ઉપર ચાદર ઓઢીને સૂઈ રહેનારાઓને એટલું તો કહેવું જ પડે કે ભાઈ (કે બહેન) સૂતેલાને જગાડી શકાય પણ જાગતાને શી રીતે જગાડવા?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment