Saturday, 10 December 2016

[amdavadis4ever] તમે જ્યોત િષમાં માન ો છો કે વ િજ્ઞાનમાં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું તમે જ્યોતિષમાં માનો છો? કે અસ્તિત્વવાદી છો? ઘણાં વર્ષોથી મેં જ્યોતિષશાસ્ત્ર વિશે લખ્યું નથી, પરંતુ હમણાં 'આઈ.બી. ટાઇમ્સ'ની વેબસાઈટમાં એ.વી. વર્ગીઝ નામના ભવિષ્યવેતાએ તાંત્રિકો અને જ્યોતિષીઓ વિશે લેખ લખ્યો છે. મુંબઈમાં લોકો બેજાન દારૂવાલાને ભવિષ્ય જાણવા અને હસ્તરેખા દેખાડવા જતાં-જાય છે. કહેવાય છે કે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પણ એક સમયે જ્યોતિષીઓ અને તાંત્રિકને કન્સલ્ટ કરતા. જોકે નિતિશકુમારના જ્યોતિષીને કહેલા સવાલ ઉપરથી લાગ્યું કે તે મંત્ર-તંત્રમાં માનતા નહીં. તેણે જ્યોતિષીને પૂછ્યું 'બિહાર રાજ્યને શેની જરૂર છે? મંત્ર-તંત્રની જરૂર છે કે લોકશાહીની? શિક્ષણની જરૂર છે? તે વખતના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ભીલવાડાના એસ્ટ્રોલોજર નાથુલાલ વ્યાસને કન્સલ્ટ કરતાં તેવું સાંભળેલું.

ઇંદિરા ગાંધીને પણ ગોડમેન ગણાતા 'વિદ્વાનો',પવિત્ર સ્થળો અને મંદિરો-મસ્જિદોમાં વિશ્વાસ હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી જેવાને ઈંદિરાજી હાથ બતાવતા. આ ધીરેન્દ્ર બ્રહ્મચારી તો તેની વિદ્યાને કારણે દિલ્હીમાં પાવર બ્રોકર પણ બની ગયા હતા. એક સમયના વડાપ્રધાન પી.વી. નરિસંહરાવે તો એન.કે. શર્મા નામના એસ્ટ્રોલોજરને પોલિટિકલ એડવાઇઝર તરીકે રોકયા હતા. જોકે, ડો. મનમોહન સિંઘ તાંત્રિક કે ભવિષ્યવેતામાં માનતા નહીં. ભારત દેશ શ્રદ્ધાળુ દેશ છે, ડેસ્ટિનીમાં માનનારાઓનો દેશ છે. 1967ની પાર્લામેન્ટની ચૂંટણી વખતે જનસંઘના નેતાએ જનસંઘનું ભવિષ્ય ચૂંટણીમાં કેવું છે તે જ્યોતિષી પાસેથી જાણ્યુ હતું. જનસંઘ એક નેતા જગદીશપ્રસાદ દ્વિવેદીએ લખ્યું હતું કે જ્યારે મેં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પૂછ્યું કે ચૂંટણીમાં આપણા પક્ષનો કેવો દેખાવ થશે, જ્યોતિષી શું કહે છે?
ત્યારે પંડીત દીનદયાલ ઉપાધ્યાયે બહુ જ વિનમ્ર ભાવે સરસ જવાબ આપ્યો હતો કે 'અમે તો એવા માણસો છીએ જે માત્ર કર્મમાં જે માને છે. અમે પુરુષાર્થ ઉપર ભરોસો રાખીએ છીએ. અને માનીએ છીએ કે એસ્ટ્રોલોજી ઉપર જ વિશ્વાસ રાખીને હાથ જોડીને બેસી રહેવું માનવી માટે નુકસાનકર્તા છે. વાચક તરીકે તમે મને પણ પૂછશો કે હું જ્યોતિષમાં માનું છું? તો મારો સીધો જવાબ છે કે એસ્ટ્રોલોજીને એક સાયન્સ તરીકે અમુક વિજ્ઞાનીઓએ જાહેર ર્ક્યું ત્યારથી હું એસ્ટ્રોલોજીમાં માનું છું, પણ આજે ભાગ્યે જ કોઈ એસ્ટ્રોલોજર અગર દેશી ભાષામાં 'જાણતલ જોશીડા' બાકી રહ્યા છે. આજે વર્તમાન જ્યોતિષીઓમાં બુદ્ધિમંતોને વિશ્વાસ નથી. 45 વર્ષ પહેલાં એક સમાચાર સંસ્થામાં હું ઉપતંત્રી હતો ત્યારની વાત કરું: અમારી સંસ્થાની લાઇબ્રેરીમાં એક લાઇબ્રેરિયન કન્યા હતી.
તે કુંવારી હતી. હું પણ કુંવારો હતો. તેના પિતા પ્રખર જ્યોતિષી હતા. અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી ર્ક્યું. પણ તેના પિતાએ જ્યોતિષી તરીકે આ લગ્ન નામંજૂર ર્ક્યાં! તેમને વાંધો માત્ર જ્યોતિષની દૃષ્ટિએ હતો. તેમણે પુત્રીની જન્મપત્રિકા જોઈને કહ્યું કે તેના નસીબમાં સંતાન નથી. જ્યારે મારી કુંડળીમાં એક સંતાન છે. પરિણામેે અમારાં લગ્ન ન થયાં. તેણે પછી તેના અખબારના પ્રેસમેનેજર સાથે લગ્ન ર્ક્યા. બંનેની જન્મકુંડળી મળતી આવતી હતી, તેથી લગ્ન થયાં. તેમને સંતાન નથી. આવો દાખલો આપી હું વાચકોને જ્યોતિષમાં શ્રદ્ધા રાખવા પ્રેરતો નથી. પણ, 45-50 વર્ષ પહેલાં જે કક્ષાના વિદ્વાન જ્યોતિષીઓ હતા, તેવા આજે નથી. આજે જ્યોતિષ પર વિશ્વાસ રાખી જીવન ચલાવવું સાયન્ટિફિક નથી.
છતાં, અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ તેમજ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ અમુક નિર્ણય લેતા પહેલાં જ્યોતિષીઓને કન્સલ્ટ કરતા અને હજી કરે છે. લંડનનું દૈનિક 'ગાર્ડિયન' લખે છે કે 1985થી 1995 સુધીમાં અમેરિકન મિલિટરી ઇન્ટેલિજન્સે જ્યોતિષીઓને બસ્સો વખત કન્સલ્ટ ર્ક્યા હતા. હમણાં હું ભાગવતકથા અને રામચરીત માનસના પ્રખર પ્રવચનકાર રમેશભાઈને મળવા ગયો. મેં તેમને પૂછ્યું 'શું જ્યોતિષશાસ્ત્ર'માં માનો છો? તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ છે. જ્યોતિષ સાથે પ્યોર મેથેમેટિક્સ સંકળાયેલું છે, પરંતુ આજે લેભાગુ જ્યોતિષીઓ બહુ ઉમટી પડ્યા છે. જ્યોતિષશાસ્ત્રમા 'ફલાદેશ વિભાગ' છે. જ્યોતિષશાસ્ત્રીને ઘણી લાંબી સાધના પછી જ આ ફલાદેશનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment