Tuesday 6 December 2016

[amdavadis4ever] છઠ્ઠી ડીસેમ્બ ર ઓગણીસોબાણું ના એ રવિવારની બપોર યાદ છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુંબજ તૂટ્યો, બપોરના અરસામાં. પછી બીજો. દૂરદર્શન એક જ ન્યૂઝ ચેનલ હતી. છાપાની ઓફિસો ધમધમતી થઇ ગઇ. રવિવારે આમેય સ્ટાફની હાજરી પાંખી હોય. મુંબઇમાં વણડિકલેર્ડ કર્ફયૂ જેવી સ્થિતિ થઇ ગઇ હતી. હું તો હસમુખ ગાંધીને બપોરે મળવા ગયો હતો અને મધરાત સુધી મેં સ્વેચ્છાએ દળવાનું કામ સ્વીકારીને ટ્રાન્સલેશન ડેસ્ક સંભાળી લીધી. સાતમીના મળસકે ચાર વાગ્યે છાપાની ઓફિસથી નીકળીને ચર્ચગેટથી ઊપડતી પહેલી લોકલ ટ્રેન પકડી અમે સૌ દાદર ઊતર્યા- ચોકલેટી ચા પીવા ગામ આખાનાં છાપાં ખરીદ્યાં. અને એ સાંજે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર વગેરેનાં પ્રમુખ અખબારો પણ મારી પાસે આવી ગયાં. એક બે છાપાના અપવાદ સિવાય સૌ કોઇએ બાબરી મસ્જિદ તોડવામાં આવી એવું મથાળું બાંધ્યું. અપવાદરૂપે જ બાબરી 'ઢાંચો' તોડી પાડવામાં આવ્યો એવું લખાયું. દૂરદર્શન પણ મસ્જિદ-મસ્જિદ જ કરતું રહ્યું.
ભગવાન રામની જન્મભૂમિ પર બંધાયેલી મસ્જિદનો ઢાંચો તૂટે એમાં ભારતમાં શું કામ આસમાન તૂટી પડવું જોઇએ? પણ મીડિયાએ સેક્યુલરિઝમના નામે લગાવવામાં આવેલી આગમાં પેટ્રોલ રેડી રેડીને એને ખૂબ ભભુકાવી. મહાત્મા ગાંધીના નામે તરી ગયેલી કૉંગ્રેસી પ્રજા મહાત્મા ગાંધીને જ ભૂલી ગઇ, ગાંધીજીએ કહ્યું હતું: 'મારા માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઇ ગઇ છે. જ્યારે ભયભીત થાઉં ત્યારે રામનામ લઇને ભયમુક્ત થઇ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી...દુનિયાના મહાગ્રંથોમાં તુલસી રામાયણ એ મારે મન અગ્રગણ્ય સ્થાન લે છે. હિન્દુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે'
પણ છઠ્ઠી ડિસેમ્બર'૧૯૯૨ના એ રવિવાર પછી જાણે હિંદુ ધર્મનું, હિંદુત્વનું અને હિંદુ પ્રજાનું અપમાન કરવાની જાણે હોડ લાગી. ગાંધીવાદીઓ, સર્વોદયવાદીઓ, સામ્યવાદી અને અન્ય પ્રકારના તકવાદીઓ લાકડી લઇ લઇને હિંદુઓને જાણે ઝૂડવા લાગ્યા. અફકોર્સ, કાગળ પર. કલમ દ્વારા. આમાંના કેટલાય લોકોએ એન્ટી-હિંદુ અર્થાત્ સેક્યુલર બનીને, મુસ્લિમ પ્રજાની આળપંપાળ કરીને કૉંગ્રેસ સરકાર પાસેથી ખૂબ ઇનામઅકરામો મેળવ્યાં. અને આમાંના કેટલાક સામ્યવાદીઓએ, ૨૦૦૨નાં ગુજરાત રમખાણો દરમ્યાન, યુ-ટર્ન લઈને ભાજપ સરકાર પાસેથી પણ માનપાન મેળવ્યાં. સામ્યવાદીઓ ઉપરાંત કેટલાક ગાંધીવાદી, સર્વોદયવાદી પણ શાર્પ યુ-ટર્ન લઈને હિંદુવાદી બની ગયા. કેટલાક દૂધદહીંમાં પગ રાખવા માંડ્યા, કેટલાક ડબલ ઢોલકી બની ગયા. આવા તકવાદી સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલરવાદી હોય છે એવી બાર પ્રકારની પ્રજાતિઓ મેં શોધી કાઢી અને એમને નામ દઇને ઉઘાડા પાડતો લાંબો લેખ ૨૦૦૨ના ગાળામાં લખ્યો.
મારા લેખનું મથાળું હતું : 'કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન વધુ ખતરનાક.' લેખમાં એક જગ્યાએ લખ્યું હતું : 'સરકારે કોમવાદી પક્ષો પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૯૨માં આપણે ૧૯૪૮વાળી જોઇ રહ્યા છીએ. પ્રતિબંધિત પક્ષોમાં મુસ્લિમ લીગનું નામ નથી. સરકાર કયા પક્ષને કોમવાદી કહેશે ? જે પક્ષો હિન્દુવાદી છે એ શું આપોઆપ કોમવાદી થઇ જાય? અને જે પક્ષ ઝનૂનભેર કોમવાદ ફેલાવે છે પણ તે મુસ્લિમોનો પક્ષ છે એટલે શું તે આપોઆપ બિનસાંપ્રદાયિક થઇ ગયો? હિન્દુસ્તાનમાં રહીને આપણે જો એ જ જોવાનું હોય કે હિન્દુત્વનો અર્થ કોમવાદ થાય તો પ્રત્યેક હિન્દુએ હવે નમાઝ પઢતાં શીખી લેવું પડશે. ઇસ્લામિક રિપબ્લિકન ઑફ ભારતની ઘોષણા કરવાની જ બાકી રહી છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment